________________
આવીને કહેવા લાગ્યો કે- અમારા હુકમ સિવાય આ ગિરિ ઉપર કેઈ ચઢી શકતું નથી, તે તમારા માણસે કેમ ચઢે છે?' સંઘવીએ કહ્યું કે–રાજાના હુકમથી ચઢે છે” આમ વાતચીત ઉપરથી ચઢા ઉતરી થઈ ગઈ. સંઘના સુભટે એકદમ તૈયાર થતાં અહિંના ગરાસીઆઓ મૂડીવાળીને નાઠા, અને ઘેટી ગામમાં જઈને પેસી ગયા.
સંઘ દસ દિવસ સુધી અહિં રહ્યો, અને શુભ ભાવનાપૂર્વક યાત્રા કરી અહીં હમેશાં સ્વામીવાત્સલ્ય થતાં અને રેજ નવાં નવાં પકવાન્નોનાં જમણે થતાં યાત્રા કરી સંઘવીએ પાંચ હજાર રૂપિયા ભંડારમાં આપ્યા. તમામ લેકે આ સંઘવીની ઉદારતાની મુક્તકઠે પ્રશંસા કરવા લાગ્યા. યાત્રા કરીને પછી બધો સંઘ અમદાવાદ આવ્યા. અહિં દસ દિવસની સ્થિરતા કરી. પછી સંઘની સાથે વિજયાનંદસૂરિ પણ મારવાડમાં આવ્યા. સિરોહી થઈને પછી નાડલાઈ પધાર્યા. પહેલું ચોમાસુ હેમણે નાડલાઈમાં કર્યું. બીજુ ધવલીમાં, ત્રીજુ નાડલાઈમાં અને ચેાથુ વાઘસિણે કર્યું. સૂરિજી લુણાવાસ પધાર્યા.
હારે હાંના કાહાના શ્રાવકે કેટલાંક બિંબ ભરાવી પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગે એકને વાચક પદ આપ્યું. ત્યહાંથી પછી સીહી પધાર્યા અહીં ગુજરાતથી શાંતિવિજયગણે આવ્યા અને હેમણે ગુજરાતના સંઘ તરફથી આચાર્યશ્રીને ગુજરાતમાં પધારવા વિનતિ કરી. વિનતિને માન આપી સૂરિજી રાજનગર પધાર્યા. અમદાવાદમાં હેમના ઉપદેશથી અનેક પ્રકારનાં ધાર્મિક કાર્યો થવા લાગ્યાં.
અહિં સુધીનું વૃત્તાન્ત આપી કવિએ છેલ્લી ઢાળમાં આ બીજે અધિકાર બનાવ્યાને સંવત્ (જે સંવત્ -આ રાસના પ્રારંભમાં આપે છે) અને પોતાનો પરિચય આપે છે. ( આ પરિચય રાસ સારના પ્રથમ અધિકારની અંતમાં આવે છે તેજ છે. )
SA•
[૫]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org