________________
નહિ અને પોતાનાં વતે છોડ્યા નહીં. છેવટે રાજાએ પોતાની પાસે બોલાવી શાબાશી આપી. એ પ્રમાણે સિદ્ધિચંદ્રજીને પોતાના પક્ષમાં લેવા માટે વિજયદેવસૂરિ અને બીજા સાગરપક્ષવાળાઓએ કરેલા પ્રયને નિષ્ફળ ગયા. સિદ્ધિચંદ્રજીએ તે વિજયસેનસૂરિની પરંપરાને બરાબર પાળી. બીજા આચાર્ય માટે વિનંતિ.
આ પછી નંદિવિજયજી વાચક, સિદ્ધિચંદ્ર કવિ અને બીજા પણ ગીતાર્થે મળીને સેમવિજયવાચકને પ્રાર્થના કરવા લાગ્યા કે– હવે આપે હીરપરંપરા રાખવા માટે બરાબર પ્રયત્ન કરવાની જરૂર છે. હવે જે નવા આચાર્ય સ્થાપન કરવામાં આવે, તેજ ગુરૂની લાજ રહી શકે તેમ છે.” સામવિજયજીએ ગંભીરતા પૂર્વક ઉત્તર આપે કે-આપણે ઉતાવળ કરવાની કંઈ જરૂર નથી. ધીરે ધીરે બધું ઠીક થશે.” આમ સાધુઓને સમજાવી શ્રાવકે પાસે પાછો વિજયદેવસૂરિને આવવા માટે પત્ર લખાવ્યું. એમ એકજ વાર નહિં, પરંતુ કેટલી વાર પત્ર લખ્યા, પરન્તુ હેમની તરફને એકજ જવાબ આવતો રહ્યો કે “જહે કરવું હતું તે કર્યું છે. હવે હમારે પાલવે તેમ કરે.” વળી ખંભાતને સંઘ અમદાવાદ આવ્યા અને સંઘના આગેવાન સંઘવી સેમકરણ, શાહ સામે વિગેરે સેમવિજયજીને કહેવા લાગ્યા કે-જે આપ અમારૂં એક વચન માને તો કેઈ ઉપાયે મેળ થાય તેમ છે. સેમવિજયજીએ તે વાત સ્વીકારી, મ્હારે હેમણે કહ્યું–‘વિજયસેનસૂરિએ હે પટે ગ્રંથ માટે લખ્યા છે, તે વિજયદેવસૂરિના નામે લખવામાં આવે.”
સેમવિજયજી વાચકે કહ્યું કે–“જે તેઓ માનતા હોય, તે અમને તેમ કરવામાં વાંધો નથી.” તે પછી સંઘે એક પત્ર વિજ્યદેવસૂરિ ઉપર લખે. તેમ એક પત્ર પાછે સેમવિજયજી વાચકે પણ લગે.
[ ૬૯ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org