SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અગર આપનું દિલ હોય તે હું (આપનો સેવક) આપની સેવામાં આવીને રહું.” આના જવાબમાં વિજયદેવસૂરિએ જણાવ્યું કે–“અહિં તો હમારું કંઈ કામ નથી, પરન્તુ ખંભાતના સંઘને પત્ર આવ્યું છે, હેમાં લખ્યું છે કે–ખંભાતમાં મહર સ્તંભ કરવામાં આવેલ છે. હેની પ્રતિષ્ઠા કરવાને માટે આપ પધારે, અથવા તે સેમવિજય વાચકને અહિં (ખંભાત) આવવા માટે આજ્ઞા આપે. માટે હમે ખંભાત જાઓ.” વિજયદેવસૂરિ પાટણમાં રહીને સાગરમતના બે પ્રરૂપવા લાગ્યા. આથી નંદિવિજય વાચક કઈ કઈ વખત હેમને હિતકારી વચનેથી સમઝાવતા કે-આપે આ શું વિચાર્યું કામ આદર્યું છે? ગુરૂવચન કેમ આદરતા નથી? ગુરૂ વચન કેઈથી લાપી શકાય નહિં, છતાં આપ આપના ચિત્તને શા માટે ચલાયમાન કરે છે? અગર આપ ગુરૂ વચનની પ્રરૂપણા કરશે, તે જ બધા આપના થઈને રહેશે નહિં તે આપને કોઈએ માનશે નહિં. એ પ્રમાણે ઘણુઓએ સમજાવ્યું, પરંતુ હેમણે માન્યું નહિં. અને અમદાવાદ, ખંભાત વિગેરે ગામમાં છાનામાના પત્ર લખી દીધા કેએક ગુપ્ત લેખ કરે છે, માટે હમે બધા સંખેશ્વર આવે. વળી સાગને તેઓ ઘણું ધીરજ આપતા અને અમુક અમુક ક્ષેત્રમાં રહેવાને આદેશ પણ આપતા. નંદિવિજય વાચક આ બધી હકીકત જાણીને ઘણા દુઃખી થતા. હેમણે કુણગેરથી દર્શનવિજ્યજીને તેડાવ્યા અને બધી હકીકત હેમને જણાવી. એટલું જ નહિં પરંતુ તેમની પાસે એક પત્ર લખાવીને સમવિજય વાચકને, વિજયદેવસૂરિની તમામ હકીકત જ ણાવી. તે પત્ર વાંચ્યા પછી સેમવિજય વાચકે છત્રીસ બેલ લખી જણાવ્યા. |[ ૫૬ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy