SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રી કર્મચંદ્ર પોતાના કુટુંબ સાથે શત્રુંજય, રૈવતગિરિ, થંભતીર્થ અને આજની યાત્રા કરી. હે પોતાની કાર્યદક્ષતાથી જહેમ રાજા કલ્યાણમલ્લની સંપૂર્ણ મહેરબાની મેળવી, તેમ રાજકુમાર રાયસિંહ સાથે પણ ઘનિષ્ઠ સંબંધ કરી દીધો. રાય કલ્યાણમલ્લની ઈચ્છા હતી, કે–એક વખત હું જોધપુરના સિંહાસનમાં બેસું તો કમલપૂજા કરૂં. આ ઈછા તેના પૂર્વજ વિક્રમ (વીકાજી) ની હતી, અને તે ઈચ્છા પૂર્ણ કરવાની કલ્યાણમલની ભાવના હતી. રાજાની આ ઈચ્છા પૂર્ણ કરવાને મંત્રી કર્મચંદ અને રાજકુમાર રાયસિંહ અકબરની સેવા કરવા લાગ્યા અને અકબરની પ્રસન્નતા મેળવી રાય કલ્યાણમલ્લની ઈચ્છા પૂર્ણ કરાવી. રાય કલ્યાણમલે કર્મચંદ મંત્રીની ઘણું તારીફ કરી, અને કંઈ વચન માંગવાને જણાવ્યું. મંત્રી કર્મચંદ્ર બીજું કંઈ ન માગતાં, ચોમાસાના ચાર મહીના ઘાંચી, કુંભાર અને કઈ આખા રાજ્યમાં આરંભ સમારંભ ન કરે, એ હુકમ બહાર પાડવાની માંગ કરીરાજાએ તે સ્વીકારી, તે ઉપરાન્ત “માલ” નામને જેહે કર લેવામાં આવતો હતે, હેને જેને પાસેથી ન લેવાનું ઠરાવ્યું. જકાતને ચેાથે ભાગ બંધ કર્યો, તેમ બકરા ઉપર હે કર લેવાતે તે પણ બંધ કરાવ્યું. વળી રાજાએ એમ કહીને કર્મચંદ્ર મંત્રીને ચાર ગામ આપ્યાં કે-હારી અને હમારી સંતતિ કાયમહોય, હાં સુધી હેને ભગવટા હમારે છે. પોતાના સહી-સિકકા સાથે તે ગામને પટ્ટો લખીને કર્મચંદ્રને આપવામાં આવ્યે. નગર છે. જોધપુર વસાવનાર ધારાવના છઠ્ઠા પુત્ર બીકારાવ હેનો જન્મ વિ. સં. ૧૪૯૫ (ઈ. સ. ૧૪૩૯) માં થયો હતો, હેણે ઇ. સ. ૧૪૮૮ માં આ નગર વસાવ્યું હતું. મારવાડનાં જેનોની મોટી વસ્તીવાળાં શહેર પૈકીનું આ એક છે. અહિં લગભગ ચાર-સાડી ચાર હજાર જેનોની વસ્તી છે. અનેક આલીશાન જૈન મંદિર અને ઉપાશ્રય પણ છે. જેનોના પ્રાચીન જૈન પુસ્તક ભંડારા માટે પણ આ નગર પ્રસિદ્ધ છે. વધુ માટે જૂઓ મારતમા ( ૯ ) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy