________________
૧ માઈલ ઉપર આવેલું એક પરૂં છે) થી મૂળ ઉપાશ્રયમાં આવ્યા, આ સિવાય શ્રીપૂજયના શિષ્ય કાન્તિસાગર ઉપાધ્યાય, પંડિત ક્ષેમસાગરગણિ, નયસાગર ગણિ, ગણિ હિતસાગર, ગણિ વીરસાગર અને કીર્તિસાગર વિગેરે સર્વશિખ્ય મંડલી ગુરૂની અહર્નિશ સેવા કરવામાં ગુંથાઈ ગઈ.
વૃદ્ધિસાગરસૂરિએ આચાર્ય લહમીસાગરજીને છેવટની
હેમાં પણ પોતાને સત્યસૌભાગ્યના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. આની એક પ્રતિ પાલીતાણામાં મુનિરાજશ્રી કર્ખરવિજયજીના ભંડારમાં છે.
આ કસૌભાગ્યના પ્રશિષ્ય અને વીરસૌભાગ્યના શિષ્ય મુનિ પ્રેમસૌભાગ્યે સુહાલા ગામમાં સં. ૧૭૭૪ના આસો શુદિ૧૭ને ગુરૂવારે જયવિજય. રાસની એક પ્રતિ લખી હતી. આ પ્રતિ પૂના-ડેક્કન કોલેજની લાયબ્રેરીમાં છે.
આ ઉપરાન્ત આજ ઇંદ્રસૌભાગ્ય, દિગમ્બરાદિ અગિઆર મતના સ્વરૂપને પ્રકાશ કરનારી મહાવીરવિજ્ઞપ્તિ રૂપ પત્રિશિકા બનાવેલી છે – જયેની અંતમાં પિતાનો પરિચય આપતાં લખે છે કે – " इत्थं वाचकनायकस्य सुगुरोः श्रीसत्यसौभाग्यस
नाम्नो वादिमदद्रुमैककरिणोऽन्तेवासिनेंद्रेण च"।
આ વાકયમાં પોતાને વાદિના મદ રૂપી વૃક્ષને તોડવામાં એક હાથી સમાન બતાવેલ છે. આ પુસ્તકની સં. ૧૭૦૯ ના વૈશાખ વદી ૪ ના દિવસે રાધનપુરમાં લખેલી એક પ્રતિ પૂના–ડેક્કન કૅલેજ લાયબ્રેરીમાં વિદ્યમાન છે.
૨ લક્ષમીસાગર આપણું પૂર્વ પરિચિત નિધિસાગરજી એજ આ લક્ષ્મીસાગરસૂરિ છે. હેમણે સિદ્ધાચલ,ગિરિનાર, તારંગા, અંતરીક્ષજી,આબૂ વિગેરેની યાત્રાઓ કરી હતી. સં. ૧૭૮૮ ના સૂરતના ચાતુર્માસમાં હેમનું શરીર જીર્ણ થતાં હેમણે વિજયાદશમીને દિવસે પ્રમોદ સાગરને ગ૭નો ભાર સોંપ્યો હતો. અને હેમને આચાર્ય પદવી આપી હેમનું નામ કલ્યાણસાગરસૂરિ સ્થાપ્યું હતું. છેવટે સં. ૧૭૮૮ ના આ વદિ ૭ ના દિવસે રાત્રીએ તેમને સ્વર્ગવાસ થયો હતો.
(જૂઓ, એ. રાસમાળા, ભાગ ૧ લે, નિવેદનનું ૫. ૨૦-૨૧)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org