SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ યાનું કલંક સંઘ ઉપર આવ્યું, એમ વિચારી હેમણે બહુ દુઃખિત વદને આ હકીકત ગુરૂને જણાવી. ' આચાર્યે કહ્યું:- “હૂમે ચિંતા ન કરો. કોઈ એક ર તે આભરણે ચેરી લઈને આઘાટ ગયે છે. તે માણસને જુગાર રમતો આજથી વીશમા દિવસે તમારા માણસે પકડશે. તે આભષણે મ્હણે એક વાવડીમાં પથરા નીચે દાટ્યાં છે.' ભદ્રવ્યવહારીએ ઝટ માણસે મેકલ્યાં. માણસે આહડ ગયા. જુગારીઓની સાથે રમતાં તે ચોરને પકડ્યો. બતાવેલા સ્થાનમાંથી આભરણે પ્રાપ્ત કર્યા. પછી ચેરને બાંધીને શેઠની પાસે લાવ્યા. ચોરને લેવા માટે ગયેલા માણસોએ તમામ હકીકત કહી, અને તે બધી આચાર્યશ્રીના કહેવા પ્રમાણેજ મળી. આભૂપણે પ્રભુને ચઢાવવામાં આવ્યાં. અને ગુરૂના વચનથી ચોરને મુક્ત કર્યો. હારપછી ત્યહાંથી સંઘે પ્રયાણ કર્યું, અનુક્રમે સંઘ આહડ આવ્યું. ગુરૂને વધાવીને સૌ પોતપોતાને સ્થાનકે ગયા. આહડથી પછી આચાર્યશ્રી નટુલાઈ ગયા. અહિંના શ્રાવકોએ (૧) નડુલાઈ ( નાડલાઈ ) આ ગામ મારવાડની પંચતીર્થમાંનું એક તીર્થસ્થાન છે. વર્તમાનમાં અહિં અગીયાર દેરાસરો છે જહેમાંના બે પહાડો ઉપર છે. આ બન્ને પહાડોને શત્રજય અને ગિરિનાર પહાડથી ઓળખવામાં આવે છે. અહિંનાં મંદિરમાંથી જુદાજુદા સંવતના ઘણા લેખ પ્રાપ્ત થાય છે. જહેવા કે – ૧ આદિનાથના દેરાસરના સભામંડપમાં રાયપાલરાજાના વખતનો સં. ૧૧૮૪ના માઘ સુદિ ૫ ની તારીખનો. ૨ સં. ૧૧૯૫ના આસો વદ ૧૫ ( ૦))) ની મિતિનો. આ લેખમાં અહિંના ગિરિનાર પર્વત ઉપરના નેમિનાથના મંદિરના ધૂપ, દીપ, નૈવેદ્ય વિગેરે લાગાની હકીકત છે. ૩ સં. ૧૨૦૦ના પેન્ટ સુદિ ૫ ગુરૂવારની મિતિન. આદિનાથના દેરાસરના સભામંડપમાં આ લેખ છે. આની અંદર પણ દેરાસરને કરેલ ભેટનું વર્ણન છે. [ ૩૧ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy