________________
કવિતાના વાસ્તવિક ગર્વ માટે કવિનું આ કથન કંઇ કમ નથી) મહેટા મોટા મંત્રીઓ અને રાજાઓને પણ ખુશી કયી છે. વળી જહેના ઉપદેશથી ઘણે ઠેકાણે દેહરા, અને મોટા મહેટા ઉપાશ્રય થયા છે, તેમ મીર-મલિક (ઉમર વો-સરદારે) નમે છે, હેને (હને) પંચાવનામાં (સં. ૧૫૫૫ માં) પંડિતપદ મળ્યું. વળી જડે ગણિ (હું) તપાગચ્છના શણગારરૂપ શેભે છે, અને જહે દેશપરદેશમાં વિચરે છે, તે સોરઠ દેશમાં ગિરનાર થઈને ગુજરાત આવ્યા અને અણહિલવાડ પાટણ પાસે માલસમુદ્ર (“માલસુંદ” ગામ છે, તે ) માસુ રહ્યા. અહિંના સંઘની વિનતિથી વિમલરાસનું કથન કર્યું. અને સં. ૧૫૬૮ના આ મહીનાના નિર્મળ (કેટલાક નિર્મળનો અર્થ “શુકલ પક્ષ' કરે છે) રવિવારે પાર્શ્વનાથની પાસે મૂળ નક્ષત્રમાં વિમલરાસનું વૃત્તાન્ત પૂરું કર્યું.
કવિએ પિતે આપેલું આ વૃત્તાન્ત, કદાચિત્ કેટલાકને આત્મગૌરવના દોષવાળું માલુમ પડતું હશે, પરંતુ હેમ માનવાને કંઈ પણ કારણ નથી. આ પદ્ધતિ, કેઈપણ ચરિત્રનાયકનું સાચું વૃત્તા ન્ત જાણવા માટે ઘણું ઉપયોગી છે. અત્યારે પણ પાશ્ચાત્ય દેશમાં આ પદ્ધતિ જેવામાં આવે છે.
વિમળપ્રધ” માં કવિએ પોતે આપેલા વૃત્તાન્ત ઉપરથી આપણે કવિનું સં. ૧૫૬૮ સુધીનું આત્મજીવન જઈ શક્યા, પરતુ હેમનું આયુષ્ય કેટલું ? અને સં. ૧૫૬૮ પછી હેમણે. શું શું કાર્યો કર્યા? તે ચોક્કસ રીતે જાણવાને વિશેષ કંઈ સાધને હને મળ્યાં નથી. હા, કવિની જડે કૃતિઓ રહને પ્રાપ્ત થઈ છે, અને હેમાં હે સંવતવાળી છે, હેની અંદર સં. ૧૫૮૯ ની સાલ સુધીની કૃતિ છે. (તે કૃતિ આજ યશોભદ્રાદિને રાસ) એટલે સં. ૧૫૮૯ સુધી તે કવિવરની વિદ્યમાનતા અવશ્ય હતી. હવે તે પછી કવિવરે કમ્હાં સુધી સાહિત્યક્ષેત્રને શોભાવ્યું ? તે શોધવું બાકી છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org