SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અંબસ્ત કરવા માટે પાટણ જવા નીકળ્યા. ચાંપસી મહેતે, સારંગ મહેતે, તે શાહ વિગેરે મહાજનના આગેવાનોએ રથ જોડીને પ્રયાણ કર્યું. પાટણની નજીક આવતાં પાટણનું મહાજન હામે આવ્યું અને પાટણના મહાજને બે મહીના માથે લીધા. ટીપમાટે નીકળેલું ડેપ્યુટેશન પાટણથી વૈરાટ (ધોળકા) ગયું. હાંના મહાજને દશ દિવસ લખ્યા. આ પ્રમાણે કરતાં વીસ દિવસ નિકળી ગયા. હવે માત્ર દશ દિવસમાં બધું કામ પતાવીને ચાંપાનેર જવું જોઈએ, જે તેમ નહિં થાય, તે ભાટ આપઘાત કરીને મરી જશે, એવી શેઠને ચિંતા થઈ. ખેર, ધોળકેથી ધંધૂકે જવા નીકળ્યા. રસ્તામાં હડાળા ગામ આવ્યું. હડાળાના રહીશ ખેમાદેદરાણુને ખબર પડી કે ચાંપાનેરનું મહાજન ભાગેળે થઈને જાય છે. એટલે એમે સ્ટ હામે ગયે. અને સાંપશી શેઠની પાસે જઈને મારી માગણી સ્વીકારે, હારી માગણી સ્વીકારે.” એમ વિનતિ કરવા લાગ્યું. ખેમાનાં મેલાં ઘેલાં કપડાં અને અત્યન્ત નમ્રતા ભરેલું બોલવું સાંભળીને ચાંપશી શેઠને લાગ્યું કે “આ વળી ભૂખ્યાને ઘરે ઉપવાસી” આવે છે. હવે ધનની કેટલી જરૂર છે, તે એ જાણતો નથી ને ઉલટેએ હારી પાસે માગવા આવે છે.” ચાંપસી શેઠે કહ્યું કેઅવસર જોઈને માગવું હોય તે માગે.” એમાએ કહ્યું હારે ઘરે (૧) હડાળા, નામનાં બે ગામ છે. એક રાજકેટથી ઇશાનમાં ૫ ગાઉ ઉપર, અને બીજું ઘોળકેથી ધંધૂકે જતાં લગભગ બારગાઉ ઉપર–પ્રસ્તુતમાં આ બીજું હાળા લેવાનું છે. અહિથી એક તામ્રપત્ર પણ મળી આવેલ છે કે જે શ૦ સં૦ ૮૩૬ (વિ સં૦ ૯૭૧, ઇ. સ. ૯૧૪) પણ સુદિ ૪ને લખેલ છે, આ તામ્રપત્ર અહિં ચાવડાઓ સજ્ય કરતા હતા, એ વાતને પુરવાર કરે છે. વળી આ હડાળા તેજ છે કે- હાંથી વસ્તુપાલને ધનની પ્રાપ્તિ થઈ હતી. આથી એ સિદ્ધ થાય છે કે આ હાળા પ્રાચીન ઐતિહાસિક ગામ પૈકીનું એક ગામ છે. [૪૨] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004601
Book TitleAetihasik Ras Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy