SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કોઠારી મહિરાજ અને તેમનાં પત્ની માણેકદેવીના પુત્ર કે ઠારી શ્રીપાલ અને સહજપાલ તથા શ્રીપાલની પત્ની સુહદે, એમણે ધનને લાવે લેવાની ઈચ્છા કરી અને લમીસાગરસૂરિ પાસે જઈને પ્રતિમાની અને બીજાં હજારે જિનબિંબોની પ્રતિષ્ઠા કરી હતી. અબુદાચલમાં મં, ગદાએ કરાવેલ ધાતુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. વાગડનાં ગિરિપુર (ડુંગરપુર)માં ગભીરાપાર્શ્વનાથનું મંદિર બન્યું હતું, તે પણ આ આચાર્યશ્રીના ઉપદેશથી જ. ધારના રહેવાસી મારવાજ્ઞાતીય સંધવી હર્ષસિંહે ૭ ધડી સુવર્ણ ખરચીને ૧૧ પ્રાસાદ કરાવ્યા હતા, તે પણ લમીસાગરસૂરિના ઉપદેશથી જ, એવી સતે તેમના ઉપદેશથી અનેક મંદિર બન્યાં હતાં, અને પ્રતિષ્ઠાએ પણ ઘણી થઈ હતી. - વળી એમણે દેવગિરિના સં. નગરાજ અને ધનરાજે કરેલા ઉત્સવપૂર્વક શ્રી મને સૂરિપદ આપ્યું હતું. દેવગિરિના સા૦ મહાદેવે કરેલા ઉત્સવ પૂર્વક શ્રી હેમહંસગણિ અને શ્રી સુધાનંદનને વાચકપદ આપ્યું હતું. વળી ગછની અંદર પડેલા વિષવાદને પણ દૂર કરાવી મેળ કરાવ્યો હતો. તેમાં તેમના ઉપદેશથી કુંભલમેરમાં (કુંભલગઢ) સમવસરણાદિ મંદિરે પણ થયાં હતાં. શ્રીલક્ષ્મીસાગરસૂરિએ, સુધાનંદનરિ, રત્નમંડનસૂરિ, શુભરત્નસૂરિ, શ્રીસે જયસૂરિ, શ્રીજિનસેમસૂરિ, જિનહંસસૂરિ, સુમતિસુંદરસૂરિ, સુમતિસાધુસૂરિ, ઇંદ્રનંદિસૂરિ, અને રાજપ્રિયસૂરિ એ દશને આચાર્ય પદવી આપી હતી, એમ ત્રણ પાનાની પટ્ટાવલીમાં લખ્યું છે. હારે શ્રી સોમવિમલે, સં. ૧૬૦૨ને જેઠ મહીનાની તેરસે બનાવેલી ગચ્છનાયકપલવલીસન્માયમાં અગીયાર આચાર્ય બનાવ્યાનું આ પ્રમાણે લખ્યું છે – - “પાટિ લષમીસાગર નાગરસેવી પાય, ખંભનયર ભલીપરિગચ્છમેલ કરિ ગુરૂ રાય; અગ્યાર આચારિજપદ કીધાં સુવિચાર, , , પાટિ કાપ્યા સુમતિ સુમતિસાધુ ગુણધાર. (જૂઓ. ઐતિહાસિક સઝાયમાલા. ભા. ૧, પ• ૪૯), વળી “ગુરૂગુણરત્નાકરકાવ્યમાં ૯ આચાર્ય ગણાવ્યા છે-સુધાનંદસૂરિ, [૨૮] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004601
Book TitleAetihasik Ras Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy