SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત-સાર. કોચરવ્યવહાર રાસ. (પૃષ્ઠ ૧-૧૨ ) તપગચ્છનાયક શ્રીવિજયસેનસૂરિના સમયમાં, કવિરાય કનકવિજયના શિષ્ય શ્રીગુણુવિજય કવિએ, સં. ૧૯૮૭ના આસો સુદિ ૯ ના દિવસે ડીસા નગરમાં આ રાસ રમે છે અને તેની, સં. ૧૭૪૨ના કાર્તિક સુદિ ૧૫ ને મંગળવારે લખાએલી પ્રતિ ઉપરથી સંશોધિત કરવામાં આવેલ છે. રાસસાર–“જીવદયા” એ આ રાસને પ્રધાન વિષય છે. ગુજરાતના અણહિલપુર પાટણ નગર, કે જે એક સમયે ૪૪૪ ગામ તાલુકે હતું, તેનાથી પંદર ગાઉ દૂર, લખમણુ રાજાએ વસાવેલા સલખણપુર ગામમાં ઘણું ધનવાન વાણીઆઓ વસતા હતા. તેમાં વેદશાહ એ નામને એક વીશાપોરવાડે રહેતા હતા. તેની સ્ત્રીનું નામ વીરમદે હતું અને પુત્રનું નામ કેચર. કેચર નાનપણથી જ ધર્મશીલ અને પ્રતાપવંત હતે. સલખણુપુરથી લગભગ એક ગાઉને છેટે બહિચર નામનું ગામ છે. આ ગામ, લેકપ્રસિદ્ધ * આ રાસ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે હાલમાં જહેને “શંખલપુર કહેવામાં આવે છે તે, અથવા એને શુદ્ધ કરવાના હેતુથી “શૃંખલપુર” કહેવામાં આવે, તે તે ખરૂં નામ નથી. “લખમણ” એ એના સ્થાપનું નામ સૂચવતું સલખણપુર” એજ એ ગામનું વ્યવહારિક ખરૂં નામ છે. L[ 1 ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004601
Book TitleAetihasik Ras Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy