SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનગુણસ્તવનને મહિમા [ ૧૮૫ ] નારકીના આત્માઓ પણ સુખને અનુભવે છે. અરિહતાને ઉદય કાના સંતાપને હરનાર ન હોય ? આપના ચરણેનું અવલંબન સ્વીકારીને અનેક આત્માઓ આ ભયાનક ભવસાગરને તરી જાય છે. શું યાનપાત્રના આધારને પામેલું લડું પણ સાગરને પારને નથી પામતું ? હે ભગવન! આપ મનુષ્યલોકમાં લોકોના પુણ્યથીજ જન્મ પામે છે. વૃક્ષ વિનાના વનમાં ક૯પ. વૃક્ષની અને જલ વિનાની મરૂભૂમિમાં નદીના પૂરની જેમ આપને જન્મ લેકોને અતિ ઈષ્ટ છે. ત્રણલેક રૂપી કમલને વિકવર કરવા માટે ભાસ્કર તુલ્ય અને સંસારરૂપી મરૂભૂમિમાં ક૯પતરૂ સમાન, હે જગન્નાથ ! તે મુહૂર્ત પણ ધન્ય છે કે જે મુહૂર્તમાં અપુનર્જન્મ એવા આપને વિશ્વના પ્રાણીઓના દુઃખને ઉછેદ કરવા માટે જન્મ થાય છે. તે મનુષ્યોને ધન્ય છે કે જે અહર્નિષ આપના દર્શન કરે છે. હે ભવતારક! આપની ઉપમા આપવા માટે અન્ય કોઈ વસ્તુ છે જ નહિં આપની સમાન આપજ છે, એટલું જ કહીને અમે અટકી જઈએ છીએ. આપના સદ્ભૂત ગુણે બોલવા માટે પણ અમે સમર્થ નથી, એમ કહેવું તેમાં કશું જ આશ્ચર્ય નથી. સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલ અગાધ પાણીનું માપ કાઢવા માટે કોણ સમર્થ છે? Jain Education International 2500 Potate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy