SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૮ ] જિનભક્તિ ચિત્ત અને ચિતન્યથી શૂન્ય હોય છે, તેથી તેમનામાં કવિત્વ કે વતૃત્વને સુલભ એવી વાચા હોતી નથી. અને જ્યાં સુધી એવી વાચા ન મળે ત્યાં સુધી ચોગ્યના ગુણગાન થઈ શકતા નથી. એવી વાચા મળ્યા પછી પણ મોટા ભાગના દેવ-મનુષ્ય પોતાની ભવાબિનન્દિતાના ગે અન્ય અર્થાત ગુણ ગાન કરવાને અયોગ્ય દેવ અને મનુષ્ય આદિના અદ્દભૂત ગુણાનું કીર્તન કરવા માટે જ પ્રયત્યશીલ રહે છે અને એ રીતે વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત કર્યા પછી પણ સવ–આત્માને મલિન કરવામાં જ પ્રવૃત્ત થાય છે. થોડાક જ ભવ. વિરક્ત મહાપુરૂષે એ જાતિની વકતૃત્વ અને કવિત્વ શક્તિને પ્રાપ્ત કર્યા બાદ સ્તુતિ અને સ્તવનને રેગ્ય એવા ગુણ સંપન્ન દેવ-ગુર્નાદિની સ્તુતિ આદિમાં પ્રયત્નવાન બને છે અને એ કાર્ય દ્વારા પોતાના આત્માને કર્મ મલથી વિમુક્ત બનાવે છે. ગુણુવર્ણનની આવશ્યકતા ગુણસંપન્ન કે ગુણાધિક આત્માઓના સદ્દભૂત ગુણનું સમુત્કીર્તન કરવું એજ વાણ-સરસ્વતી પ્રાપ્ત કર્યાનું સાચું ફળ છે. સ્તુતિને ચોગ્ય હોય તેની સ્તુતિ કરવાનો અવસર જીવને ભવારણ્યમાં કઈકજ વખત પ્રાપ્ત થાય છે. જીવને ઘણેખરો કાળ તે શક્તિના અભાવે ગ્યની સ્તુતિ વિનાને જ પસાર થાય છે Jain Education International 2000 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy