SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૫૭ ] આ ઉપકાર કરવામાં તત્પર એવા પણ પોતાના ભક્તો ઉપર અન્ય દે તેટલા ખુશી થતા નથી જેટલા આપ આપના ઉપર અપકાર કરનારા કમઠગશાળાદિ પ્રાણીઓ ઉપર પણ ખુશી થાઓ છે. અહે! આપનું સર્વ અલૌકિક છે. (૫) हिंसका अप्युपकृता, आश्रिता अप्युपेक्षिताः । इंदं चित्र चरित्रं ते, के वा पर्यनुयुञ्जताम् ? ॥६॥ હે વીતરાગ ! ચંડકૌશિકાદિ હિંસક ઉપર આપે ઉપકાર કર્યો છે અને સર્વાનુભૂતિ તથા સુનક્ષત્રમુનિ આદિ આશ્રિતોની આપે ઉપેક્ષા કરી છે. આપના આ વિચિત્ર ચરિત્રની સામે પ્રશ્ન પણ કેણ ઉઠાવી શકે તેમ છે ? (૬) तथा समाधौ परमे, त्वयात्मा विनिवेशितः । . सुखी दुःख्यस्मि नास्मीति, यथा न प्रतिपन्नवान् ॥७॥ આપે આપના આત્માને પરમ સમાધિને વિષે તે પ્રકારે સ્થાપન કરી દીધો છે કે જેથી હું સુખી છું, કે નથી? અથવા હું દુઃખી છું, કે નથી? તેનું પણ આપને જ્ઞાન ન રહ્યું-તેના જ્ઞાનની આપે દરકાર પણ ન કરી. (૭) ध्याता ध्येयं तथा ध्यानं, त्रयमेकात्मतां गतम् । इति ते योगमाहात्म्यं, कथं श्रद्धीयतां परैः ? ॥८॥ Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy