SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ co શાસનપ્રભાવક ઉપર તત્વબોધિની વૃત્તિ વગેરે વૃત્તિઓ રચી છે. “નયગોચર ભ્રમનિવારણમ ” દ્વારા નયસંબંધે બહુશ્રત પૂર્વાચાર્ય ભગવંતની વ્યાખ્યાનું સમુદ્ઘાટન અને એમાં થતા ભ્રમનું નિવારણ સુંદર રીતે કર્યું છે. ધર્મશાસ્ત્રમાં “તત્ત્વાર્થ ત્રિસૂત્રિ પ્રકાશિકા” રચીને તત્ત્વજ્ઞાનની સૌરભને વ્યાપકરૂપે વિસ્તાર છે. સાહિત્યરસિક : કવિ ધનપાલરચિત “તિલકમંજરી” ઉપરની પરાગ ટીકા તે આચાર્યશ્રીની લબ્ધપ્રતિષ્ઠ રચના છે. હેમચંદ્રાચાર્યને પજ્ઞ “કાવ્યાનુશાસન' ઉપર નામક ટીકા અને “છંદાનુશાસન” ઉપર પ્રદ્યોત નામક ટીકા તેઓશ્રીની ઊંડી સાહિત્યસૂઝની પરિચાયક છે. પણ દેવગુર્વાષ્ટકમાં તેમણે શ્રી નેમિનાથ ભગવાન અને શ્રી નેમિસૂરિજી આચાર્યશ્રીનું જીવન-કવન સુંદર રીતે ગૂંચ્યું છે. કયર્થક આ રચનામાં તેઓશ્રીએ શબ્દલાલિત્ય અને અર્થગાંભીય ઠાંસી ઠાંસીને ભર્યા છે. ) જ્ઞાન-વૈરષ્યિની સૌમ્યમૂર્તિ ; પૂજ્ય આચાર્યશ્રી જ્ઞાનગંભીર સાગરની પ્રતિભા ધરાવતા હતા, તે સાથે પ્રભાવશાળી વતા પણ હતા. તત્ત્વદર્શન જેવા શુષ્ક વિષયને દષ્ટાંતે-દલીલથી રસાળ અને હૃદયંગમ બનાવવાની તેમની માવજત અનન્ય હતી. અનેકવિધ શાનું વિપુલ જ્ઞાન ધરાવતા હોવા છતાં તેઓશ્રી આબાલવૃદ્ધ સહુ સાથે સૌહાર્દપૂર્વક સૌમ્ય વ્યવહાર કરતા. વિશાળ શિષ્યપ્રશિષ્ય પરિવાર ધરાવતા અને પ્રલંબ દીક્ષા પર્યાયથી શાસનસેવાનાં અનેક કાર્યો કરી જનારા ગીતાર્થ આચાર્યશ્રીને કોટિ કોટિ વંદના. (સંકલન : “જૈન”ના તા. ૧૪-૩-૬૪ના અંકમાંથી સાભાર.) સર્વસંપદાના ઋણ અદા કરવા પોતાના પરમોપકારી ગુરુદેવ પ્રત્યેનો જેમનો સમર્પણભાવ ઉચ્ચ કોટિનો હતો એવા પ્રાકૃતવિશારદ ધર્મરાજા પૂ. આચાર્યશ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ બહુરત્ના વસુંધરા : જગતના જીવોને અભયમાર્ગ તેમ જ મુકિતમાર્ગદાતા શ્રી જિનેશ્વર ભગવંતના શાસનરસિક ધર્માત્માએથી મઘમઘતું અને તે ધર્માત્માઓની જિનશાસનપ્રભાવક અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું નગર અમદાવાદ તે ગુરુદેવ ધર્મરાજાનું જન્મસ્થાન. અમદાવાદના માણેકચોક પાસેની ખેતરપાળની પિળમાં રહેતા ફતેહચંદ મનસુખલાલ કીનખાબવાળાના નામથી સુપ્રસિદ્ધ કુટુંબમાં વસતાં પિતા અમીચંદભાઈ અને માતા અંબાબેનના પુત્ર રૂપે સં. ૧૯૫૭માં પિષ વદ ૧ના પવિત્ર દિને પૂ. ગુરુદેવનો જન્મ થયે હતે. તેઓશ્રીનું જન્મનામ કાંતિલાલ હતું. વિકમની વીસમી સદીના વવૃદ્ધિ, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ સંઘસ્થવિર આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ (બાપજી મ. સા. ) પણ આ જ કુટુંબના સુપુત્ર હતા. જે કુટુંબમાં ધર્મસંસ્કારની પરંપરાની જાળવણી વડીલે સજાગ થઈ કરતા હોય Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy