SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાનકાળના પ્રભાવક સદ્ગત શ્રમણભગવંતો પૂજ્ય ઉપાધ્યાયશ્રી મેાહનવિજયજી મહારાજ શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય પુજ્ય ઉપાધ્યાયશ્રી મેાહનવિજયજી મહારાજના જન્મ સ. ૧૯૨૨ના ભાદરવા વદ બીજને દિવસે જાલેાર જિલ્લાના સેબુજા ગામમાં થયેા હતેા. તેમના પિતાનુ નામ બઢીચંદ રાજપુરાહિત, માતાનું નામ લક્ષ્મીબાઈ અને તેમનું જન્મનામ મેહનલાલ હતું. પિતા બદ્રીચંદ સૌધ બૃહત્તપાગચ્છીય પૂજ્ય આચાર્ય શ્રી વિજયપ્રમેાદસૂરીશ્વરજી મહારાજના પરમ ભક્ત હતા. એક દિવસ બીચંદ પુત્ર મેાહનને લઇ ને ગુરુદેવ પાસે વંદન કરવા ગયા, ત્યારે ગુરુદેવે મેાહનને જોઈને તેને નાની વયમાં દીક્ષાના યોગ હોવાનુ જણાવ્યું. આ સાંભળી પ્રથમ તા પિતા બદ્રીચંદ ઉદાસ બન્યા, પણ પછી પૂ. ગુરુદેવે ત્યાગધને મહિમા અને મહત્તા સમજાવતાં ગૌરવાન્વિત અન્યા; અને પુત્ર મેાહનને આઠ વર્ષને થતાં ગુરુચરણે સમર્પિત કરી દીધા. બાળક મેાહનમાં ધર્મ સંસ્કાર સહેજપણે ખીલ્યા હતા. તેની બુદ્ધિ ત્યારે એટલી તીવ્ર ન હતી; પણ જ્ઞાનપ્રાપ્તિની ઝંખના, વિનયવિવેક અને ગુરુકૃપાખળે તેણે ચેડા જ સમયમાં પંચપ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ભાષ્ય અને કર્માંત્ર થાના તલસ્પશી અભ્યાસ કર્યાં. પૂ. આચાર્ય શ્રી વિજયપ્રમેદસૂરિજી મહારાજ વાવૃદ્ધ હતા. વળી, તે વ્રત-નિયમ અને ધ્યાનને કારણે પૂરા સમય આપી શકે તેમ ન હોવાથી મેહનને વધુ અભ્યાસ માટે પટ્ટાધિપતિ પૂજ્યશ્રી વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજ પાસે મેકલી આપ્યા. અહી એમણે એક વર્ષીમાં જ ચ'દ્રિકા પૂર્વાધ તથા અન્ય પ્રકરણગ્રંથો અસહિત અવગત કરી લીધા. પૂ. ત્યાગી ગુરુદેવના સહવાસ અને ઊંડા ધર્માભ્યાસથી મેાહનભાઈના સ`સ્કાર વૈરાગ્યભાવમાં પરિણમ્યા. અને એક દિવસ વિદ્યાગુરુશ્રી રાજેન્દ્રસૂરિજી સમક્ષ પોતાની દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી. પૂજ્યશ્રીએ મેાહનના પરિપક્વ વૈરાગ્યભાવ જાણી, પૂ. ગુરુદેવશ્રી પ્રમેાદસૂરિજી પાસેથી મુમુક્ષુ મેાહનની દીક્ષા માટે આદેશ મગાયૈ!. સ. ૧૯૩૩ના મહા સુદ બીજના દિવસે માળવાના જાવરા શહેરમાં ભાઈ મેાહનને ભવ્ય મહાત્સવપૂર્વક દીક્ષા પ્રદાન કરી મુનિશ્રી માહનવિજયજી નામથી જાહેર કરવામાં આવ્યા. દીક્ષા ગ્રહણ કર્યાં ખાદ મુનિશ્રી મેહનવિજયજી મહારાજ સયમની ઉત્કૃષ્ટ સાધના સાથે વિદ્યાભ્યાસમાં પણ આગળ ને આગળ વધવા લાગ્યા. આગમગ્રંથનુ યોગેન્દ્વહનપૂર્વક ગુરુદેવ સમક્ષ પડન કર્યુ. સ. ૧૯૩૯ના માગશર વદ ૧ના શુભ દિવસે કુક્ષી તીથે તેમને વડી દીક્ષા . હુ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy