SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૦ જ્ઞાનાપાસક મુનિવરશ્રી બાલચંદ્રજી મહારાજ વ્યાખ્યાનકુશળ, સાહિત્યપ્રિય, જ્યાતિષજ્ઞાતા, આકષ અને પ્રેમાળ, આબાલવૃદ્ધ સૌને પ્રિય એવા શ્રી બાલચ'દ્રજી મહારાજ જૈન સાધુતાના આદર્શો નમૂના સમાન હતા. ખેડૂતના પુત્ર હોવા છતાં પૂર્વના આરાધક એવા આ મુનિવર શ્રમણપરપરાના એક રત્ન બની રહ્યા. જન્મસ્થાન-મકતુપુર ( તાલુકા સિદ્ધપુર ). જન્મ સં. ૧૯૫૩. સ’સારી નામ-બેચર. પાંચ વર્ષોંની વયે માતાપિતાની છાયા ગુમાવી. ફોર્મ ને ત્યાં ઊછર્યાં. ભદ્રિક અને દયાળુ પ્રકૃતિના કારણે ખેતરમાં કામ કરતાં જીવજંતુની હિંસા જોઈ જીવ કપી ઊઠતે, એવામાં પરમ ગીતા શ્રીં ભ્રાતૃચંદ્રજી મહારાજ તથા તેમના શિષ્ય શ્રી પૂનમચંદ્રજી મહારાજના સમાગમ થયા અને પ્રેચરના આત્મા સંયમ પ્રત્યે આકર્ષાયા. એક દિવસ ચાલતાં મહેસાણા ગુરુમહારાજ પાસે પહોંચ્યા. ત્રણ-ચાર વના અભ્યાસ પછી સ. ૧૯૭૦માં શ્રી ભ્રાતૃચદ્રસૂરિજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લઈ શ્રી પૂનમચંદ્રજીના શિષ્ય મુનિશ્રી બાલચંદ્રજી બન્યા. શાસનપ્રભાવક શાસ્ત્રાધ્યયન, ગુરુસેવા અને જપ-તપ તેમના જીવનમાં વણાઈ ગયા હતા. કવિત્વશક્તિ અને વતૃત્વશક્તિ તે કુદરતી બક્ષિસ રૂપે મળી હતી. તેમનાં વ્યાખ્યાન સૌને રોચક અને પ્રેરક બનતાં, ભવ્ય સુખાકૃતિ, તેજસ્વી લલાટ, મધુર વાણી તેએશ્રીની સાધુતાની આભાને પ્રસરાવતાં. તેમને જાતિસ્મરણુ દ્વારા ત્રણ ભવની ઝાંખી થઈ હતી. ૨૦૧૯માં નાના આસબિયા ગામે સમાધિપૂર્વક સ્વવાસ પામ્યા. એવા એ પૂજ્યવરને શતશઃ વંદના ! Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy