SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક શુદ્ધિના માર્ગ પુન: પ્રસ્થાન : આગમે તથા શાસ્ત્રાના અધ્યયન-પરિશીલનથી તેઓશ્રી જોઇ શકયા કે આગમવિહિત સાધ્વાચાર અને તે સમયે પ્રચલિત આચાર વચ્ચે ઘણું અંતર છે. મુનિજીવનમાં પુષ્કળ શૈથિલ્ય પ્રવેશી ગયુ છે. શ્રી જિનાજ્ઞાની બ્યાખ્યા અને નિષ્ઠામાં ગડબડ થઈ છે. ખરેખર, એ સમયે જૈન શ્વેતાંબર સ`ઘની સ્થિતિ શે!ચનીય હતી. પ્રાચીન ગામાં ખૂબ વિખવાદો, મતભેદો ઉત્પન્ન થઈ ગયા હતા. મુનિસ`સ્થા શિથિલાચારમાં સરી પડીને ફરી ચૈત્યવાસની સ્થિતિએ પહોંચી ગઇ હતી. મુનિએ માટે અકલ્પ્ય અને નિષિદ્ધ રીત-રિવાજો, સમાર ંભેા છડેચોક થતાં. યતિએ કેટલીય સૂવિરુદ્ધની પરપરાએ પોતાના લાભાથે શરૂ કરી દીધી હતી. પાંચ મહાવ્રતના પાલનની દરકાર રાખવામાં આવતી ન હતી. દરેક વાતને બચાવ કાળ કે પર પરાના નામે કરવામાં આવતા. વળી આવી અશુદ્ધિ અને વિકૃતિના પ્રત્યાઘાત રૂપે લાંકાશાહ, કડવાશાહ વીજા વગેરે વ્યક્તિઓના સ્વતંત્ર સંપ્રદાયા ઉદ્ભવી ગયા હતા. ઉત્કૃષ્ટ વૈરાગ્ય અને સત્યનિષ્ઠાને વરેલા ઉપાધ્યાય શ્રી પાર્શ્વ 'દ્રજીને આ અશુદ્ધ વ્યવહાર અને શિથિલાચાર ખટકવા લાગ્યા. પરપરા પર મુકાતા વધુ પડતા ભાર તેમને ખાટો લાગ્યો. તે સમયના પ્રાયઃ બધા ગચ્છાની આ સ્થિતિ હતી. ઉપાધ્યાયજીએ પાતાના ગુરુ શ્રી સાધુરત્નજી પન્યાસ સાથે આ વિષયની ચર્ચા કરી, ત્યારે તેમણે એની અનુમેાદના કરી અને શિથિલાચારના અંત આવે તે સારું એવી ભાવના દર્શાવી. અંતે ઉપાધ્યાયશ્રી પાર્શ્વ ચ’દ્રે ‘ક્રિયાહાર ’ કરવાના નિર્ણાં કર્યાં. અનેક ઊલટી-સૂલટી પર પરાઓને આગમની કસેાટી પર કસી તેની યેાગ્યાયેાગ્યતા તપાસી. મા દશક સિદ્ધાંતે નક્કી કર્યા. આખરે સ. ૧૫૬૪માં નાગારમાં ક્રિયાઉદ્ધાર કર્યાં, અર્થાત્ પાંચ મહાવ્રતના ચુસ્ત પાલનને સ્વીકાર કર્યાં અને સૂત્રવિરુદ્ધની બધી પરપરાઓના ત્યાગ કર્યો. પર આધ્યાત્મિક શૌય : આ ક્રિયેષ્ઠાર એ પૂ. દાદાસાહેબના જીવનનું પ્રમુખ કા હતું. સ્થાપિત પરંપરાઓના નિષેધ કરી, શિથિલ વ્યવહારના અંત આણવા તેઓશ્રી સંઘમાં ઊતર્યાં. આમાં તેમને ઓછું નથી કરવું પડતું. તેમને સમજવામાં નિષ્ફળ ગયેલા રૂઢિવાદી યતિવગ તરફથી ઘણા અવરોધે આવ્યા. વિચિત્ર આક્ષેપ થયા. દાદાસાહેબે દરેક પ્રશ્ન, શ’કા, આક્ષેપના ઉત્તરો શાસ્ત્રાધારે અને પૂર્ણ સમભાવ જાળવીને આપ્યા. વિરોધીઓનાં વિધાનાના ખ’ડનમાં પણ કદાગ્રહ, કટુતાને આશ્રય લીધા વગર, અનેકાંતવાદના આશ્રય લઈ ને, જે અસત્ય જણાયું તેની નિીકપણે કડક આલોચના કરી. શુદ્ધ આચારના અને સત્યના સમર્થનમાં તેમણે પોતાની સમગ્ર શક્તિ રેડી. આમ, યુગના પ્રવાહની સાથે તણાઈ જવાને બદલે, એ પ્રવાહને સુમાગે વાળવાનો ‘ ભગીરથ ’પુરુષાર્થ કરીને પૂજ્ય દાદાસાહેબે તેમના જવલંત આધ્યાત્મિક શૌર્યનાં દર્શન કરાવ્યાં. પૂ. દાદાસાહેબના ‘ ક્રિયાદ્વાર ’ના શુભ પ્રત્યાઘાતે પણ પડથા જ. એ યુગમાં નવજાગરણ અને શુદ્ધીકરણનાં મંડાણુ દાદાસાહેબે કર્યાં હતાં. એ તથ્ય, અન્ય ક્રિયાન્દ્વારા ’નાં સંવત પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. સ. ૧૫૬૪ માં એમણે ક્રિયાદ્વાર કર્યાં, ત્યાર માદ તપાગચ્છમાં સ. ૧૫૮૨ માં શ્રી આનંદવિમલસૂરિએ, ખરતગચ્છમાં સ.૧૯૧૪ માં શ્રી જિનચંદ્રસૂરિએ અને અચલગચ્છમાં સંભવતઃ સ. ૧૬૦૨ માં શ્રી ધ મૂતિ સૂરિએ ક્રિયાદ્ધાર કર્યો. 6 Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy