SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ કાળધર્મ પામ્યા. તેઓશ્રીની સ્મશાનયાત્રામાં સમગ્ર દક્ષિણ ભારતમાંથી ઠેર ઠેરથી શ્રદ્ધાળુઓ ઊમટી પડયા હતા. ૪૭ વર્ષના દીક્ષાપર્યાય પાળી, સ્વ-પર કલ્યાણની પ્રવૃત્તિઓથી ક્ષણભંગુર જીવનને ધન્ય ધન્ય બનાવી જનાર પરમ સાધુવર મહાત્માને કોટિ કેડિટ વંદન ! ( --પ. પૂ. મુનિશ્રી નંદીભૂષણવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી એક સગૃહસ્થના સૌજન્યથી ) વધુ માનતપના મહાન તપસ્વી અને શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ ગુરુકૃપાથી શું ન બને ? ગુરુકૃપાથી જ બધુ બને છે. ગુરુકૃપા વ્યક્તિને વિરાટ વ્યક્તિત્વ અપાવે તેનુ જીવતુ–જાગતું દૃષ્ટાંત એટલે પૂજ્ય આચાર્ય શ્રી વિજયપ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ. તેઓશ્રીના જન્મ રાજસ્થાનમાં વીસલપુરમાં સ. ૧૯૭૧ના જેઠ સુદ ૧૧ના રોજ થયેા હતા. પિતાનુ નામ મગનલાલજી અને સ્વનામ પ્રેમચંદજી હતું. દીક્ષા પૂર્વ તે ગાંધીવાદી હતા. ધર્મોમાં જોડાયા તે પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના ચુસ્ત રાગી અન્યા. ત્યાર ખાદ્ય પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયકનકચ`દ્રસૂરિજી મહારાજના પરિચયમાં આવ્યા, જ્યાં તેમને આધ્યાત્મિક વાતાવરણ મળ્યું અને આરાધકો સાથેના સહયોગ સાંપડચો. યેાગ્ય ઉંમર થતાં કુટુંબીઓએ તેમને સ'સારના અંધનમાં બાંધી દીધા, અને દુનિયાદારીમાં જોડી દીધા. તેમ છતાં તેમની ધર્મ ભાવના દિન-પ્રતિદિન વધતી રહી. ભાગ્યજોગે ધર્માંમાં સોંપૂર્ણ સાથ આપે તેવાં ધર્મ પત્ની મળ્યાં. ઘેાડાં વર્ષોમાં તે સંસારનાં અંધનેથી મુક્ત થવા ઉત્સુક બન્યા. પણ કુટુંબીજના તેમને દીક્ષા લેવા દે તેમ ન હતા. ભાઈએ પણ મક્કમ હતા. આ સમયમાં તેમના વૈરાગ્યભાવવૃદ્ધિ પામતે રહ્યો. એટલું જ નહિં, પોતાનાં ધર્મપત્ની અને નાની બહેનને પણ વૈરાગ્યના રંગે રંગી દીધાં. એક બાજુ કુટુ ખીએ દીક્ષાની અનુમતિ આપવા તૈયાર થતા ન હતા, તે બીજી બાજુ તેઓ દીક્ષા લેવા વધુ ને વધુ ઉત્સુક બનવા લાગ્યા. તેમના માટે ‘હવે શું કરવુ ?’એ પ્રશ્ન હતે. છેવટે જ્યારે લાગ્યું કે કુટુ બી કોઈ રીતે દીક્ષા માટે રજા આપે તેમ નથી, ત્યારે તેઓ તેમ જ તેમનાં ધર્મીપત્ની અને બહેન-ત્રણેય સાવરકુંડલા આવ્યાં. ત્યાં તેમણે પેાતાનાં ધર્મપત્ની અને બહેનને શકય એટલું અનુષ્ઠાન કરાવી દીક્ષા અપાવી. તેઓ અનુક્રમે સાધ્વીશ્રી કીતિ પ્રભાશ્રીજી અને સાધ્વીશ્રી હેમપ્રભાશ્રીજી નામે દીક્ષિત થયાં. હવે પાતે બાકી રહ્યા. શું કરવું ? તે વિચારવા લાગ્યા. તેઓ અધ્યાત્મયેાગી પન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના નિકટના પરિચયમાં આવેલા; અને પોતાની દીક્ષા લેવાની ભાવના તેમને જણાવેલી પણ હતી. એટલે બીજો કોઈ વિચાર કર્યા વિના તેએ સીધા ઊપડયા પૂ. પન્યાસજી પાસે–મહારાષ્ટ્રના વાણી ગામે. ત્યાં યેાગાનુયોગ એ જ સમયે હાલારનિવાસી મુમુક્ષુ કેશવજીભાઈની દીક્ષાના કાર્યક્રમ ચાલી રહ્યો હતા. ત્યાં પ્રેમચંદજીભાઈ ને આવેલા જોઈને પૂ. ૫.ન્યાસજી મહારાજે પૂછ્યું પણ ખરું કે, Jain Education International 2010_04 શાસનપ્રભાવક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy