________________
શ્રમણભગવત-૨
૩૯૧ અને પ્રતિષ્ઠિત કરવાની પૂજ્યશ્રીની અખંડ આરાધના છે. આજે પ૬ વર્ષના સુદીર્ઘ દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ એ સિદ્ધ કરી આપ્યું છે.
તેઓશ્રીનાં પુસ્તકે– લલિતવિસ્તા”, “પરમતજ', “ધ્યાન અને જીવન”, “ગદષ્ટિ સમુચ્ચય”, “ઉચ્ચ પ્રકારના પથે”, “અમૃતકિયાના દિવ્ય માગે', “સમરાદિત્યના ૪ ભ', “યશોધરચરિત્ર', “મહાસતી કષિદત્તા”, “ન્યાયભૂમિકા”, “મહાસતી મદરેખા”, “સીતાજીના પગલે પગલે”, “અમીચંદની અમીદ્રષ્ટિ”, “ગણધરવાદ” આદિનું વાચન-મનન જીવને શાંતિસમાધિ સદ્ગતિ તરફ લઈ જવામાં અત્યંત સહાયક બને છે. પૂજ્યશ્રીની સંસ્કૃત ભાષા, ન્યાયદર્શન (તર્કશાસ્ત્ર) વગેરે ભણાવવાની પદ્ધતિ અને ખી છે. એથી કેટલાંય મુનિરને ટૂંક સમયમાં ભણીને તૈયાર થયાં છે. ન્યાયદર્શનને અભ્યાસ કરનારાઓ માટે ખાસ “ન્યાયભૂમિકા” પુસ્તકનું સર્જન કર્યું છે. આ એક સેંકડો વર્ષોમાં આગવું સર્જન છે. કાશીમાં ભણેલા પંડિત કહે છે, “આ સર્જનારને લાખ લાખ ધન્યવાદ આપું છું. અમારા કાશીના બુઝર્ગ પંડિત પાસે આ ભૂમિકા સમજાવવાની કળા નથી.” અષ્ટાપદજીની પૂજાને આખ્યાનરૂપે ભણાવવાની એમની અનેખી શૈલી શ્રોતાની વિશાળ સભાને મંત્રમુગ્ધ કરી ૩-૪ કલાક માટે વણથાક્યા જકડી રાખે છે. ઈ. સ. ૧૯૬૨થી ચાલતી આધ્યાત્મિક શિબિરમાં મેટ્રિક પાસ-કૉલેજના વિદ્યાર્થીઓ પહેલાં તે નાસ્તિક જેવા વિચારો સાથે દાખલ થતા. શિબિરમાં ૪-૪, ૫-૫ પ્રવચને દ્વારા એમનાં હૃદયપરિવર્તન એવાં થતાં કે જીવનમાં આચાર, અનુષ્ઠાને, ધર્મશ્રદ્ધા અને આત્મગુણોથી ભાવિત થઈ શિબિરને અંતે હર્ષનાં આંસુસહ વિદાય થતા. તેઓશ્રી એક મહાન સાધુ સ્વરૂપે અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા જૈનધર્મને જયજયકાર કરવામાં જયવંતા બને અને એ માટે શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુ બક્ષે એવી અંતરની અભ્યર્થના સાથે પૂજ્યપાદશ્રીના ચરણારવિંદમાં કોટિ કોટિ વંદના! પૂ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના
શિષ્ય-પ્રશિષ્યોની યાદી : ૧. સ્વ. પં. શ્રી પદ્યવિજયજી મહારાજ, ૨. સ્વ. આ. શ્રી વિજ્યગુણાનંદસૂરિજી મહારાજ, ૩. પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરિજી મહારાજ, ૪. પૂ. ઉપ. શ્રી યશોભદ્રસૂરિજી મહારાજ, ૫. સ્વ. મુનિશ્રી તરુણવિજયજી મહારાજ, ૬. સ્વ. મુનિશ્રી રત્નાંશુવિજયજી મહારાજ, ૭. સ્વ. મુનિશ્રી ધર્મષવિજ્યજી મહારાજ, ૮. પૂ. આ. શ્રી વિજયજયષવિજ્યજી મહારાજ, ૯. પ્રવર્તક મુનિશ્રી ધર્મગુપ્તવિજયજી મહારાજ, ૧૦. પૂ. આ. શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ, ૧૧. સ્વ. આ. શ્રી વિજયધર્મજિતસૂરિજી મહારાજ, ૧૨. વ. મુનિશ્રી મણિપ્રભવિજયજી મહારાજ, ૧૩. પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજ, ૧૪. સ્વ. મુનિશ્રી પ્રવિજયજી મહારાજ, ૧૫. પૂ. આ. શ્રી વિજ્યહેમચંદ્રસૂરિજી મહારાજ, ૧૬. પ્રવર્તક મુનિશ્રી ગીન્દ્રવિજયજી મહારાજ, ૧૭. પૂ. આ. શ્રી વિજયજિતેન્દ્રસૂરિજી મહારાજ, ૧૮. પૂ. આ. શ્રી વિજય શેખરસૂરિજી મહારાજ, ૧૯. પૂ. આ. શ્રી વિજયજગચંદ્રસૂરિજી મહારાજ, ૨૦. પૂ. પં. શ્રી વિમલસેનવિજયજી મહારાજ, ૨૧. પૂ. આ. શ્રી વિજયગુણરત્નસૂરિજી મહારાજ, ૨૨. વિ. મુનિશ્રી નંદિવર્ધનવિજ્યજી મહારાજ, ૨૩. સ્વ. મુનિશ્રી ગુણભદ્રવિજયજી મહારાજ,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org