SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯o શાસનપ્રભાવક જીવંત રાખનારા વિરલાઓ આ પૃથ્વી પર વિરલ હોય છે. પૂજ્યશ્રીનાં અન્ય શાસનપ્રભાવક કાર્યો જોઈએ તે સાનંદાશ્ચર્ય ધન્ય થઈ જઈએ. “દિવ્યદર્શન ”ની દિવ્ય વાણીથી જેમ અનેક વાચકવર્ગને પ્રેરણા આપી રહ્યા છે, તેમ ધાર્મિક શિબિરનું આયોજન પણ પૂજ્યશ્રીની અદ્વિતીય અને અવર્ણનીય પ્રવૃત્તિ છે, જે શ્રી જૈનસંઘને પ્રથમ ભેટ છે. છેલ્લાં પંદર વર્ષથી ઉનાળાની લાંબી રજાઓ દરમિયાન ૨૧-૨૧ દિવસની શિબિરે યોજે છે. અને આ “જેન ધાર્મિક શિબિરમાં સતત પ–પ કલાક અખંડ વાચના આપે છે. હજારે નવયુવાનના માનસને સમજીને સરસ રીતે સમજાવવાને અવિરામ ક્રમ આજે પણ ચાલુ છે. આ યુવાને પૂજ્યશ્રીની શીતળ નિશ્રામાં રહીને જ્ઞાન–વૈરાગ્યની વાણી સાંભળીને અને પૂજ્યશ્રીના વિશુદ્ધ આચાર, તપ, ધાર્મિક ક્રિયાઓને સાક્ષાત્ નિહાળીને જૈનત્વના સંસ્કાર પ્રાપ્ત કરે છે. પૂજ્યશ્રી ધર્મને વિજ્ઞાનની અને મને વિજ્ઞાનની દૃષ્ટિથી યુવાનોના હૃદયમાં સ્થાપી આપે છે. પરિણામે, શિબિરમાં પ્રવેશ પામેલે યુવાન શિબિરાંતે જેન બનીને જ જગતમાં પાછા ફરે છે. પૂજ્યપાદશ્રીને આજ સુધીમાં નિર્વિવાદ યશસ્વી સિદ્ધિઓ અને સફળતા મળી છે. કારણ કે અભિમાનના દ્રષિત સ્પર્શથી પૂજ્યશ્રી હરહંમેશ અળગા રહ્યા છે. નિરાભિમાની સાથે નિસ્પૃહી પણ એટલા જ. જાડું બરછટ વસ્ત્ર પરિધાન કરે, પિતાની ઉપાધિઓમાંથી એક પણને પિતાના નામ સાથે રાખવાની મનાઈ ફરમાવે, લખવામાં સસ્તી અને સાદી પેનને ઉપયોગ કરે લખવા માટે ખાસ પ્રકારના કાગળને આગ્રહ નહીં, પાનિયાના કેરા ભાગ પર પાના ઉત્તર આપે; દાન માટે કેઈને પણ જરાયે આદેશ નહિ કરવાની સરળતા દાખવે; આવા તે અનેકાનેક ગુણેથી જેઓશ્રીનું વ્યક્તિત્વ અનેકશઃ પ્રભાવ પાથરી રહ્યું છે તેવા પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ શાસનના સાચા શણગાર છે. તેઓશ્રીના વ્યક્તિત્વ, વસ્તૃત્વ અને નેતૃત્વથી પ્રભાવિત સમુદાય અને સંઘ કે અનોખી શાતા અને સાંત્વના પામે છે. પૂજ્યશ્રી વ્યાધિમાં વ્યગ્ર થયા નથી, વિહારમાં દોષિત આહાર લીધે નથી, તપશ્ચર્યાથી કેઈ દિવસ કંટાળ્યા નથી; ગ્રંથ લખતાં કે સાપ્તાહિકમાં લખાણ લખતાં કેઈ કાળે વિરામ લીધે નથી; વિશાળ સમુદાયની સતત ખેવના કરી છે, તપ માટે કે સાહિત્યસર્જન માટે કઈ કાળે પ્રમત્તતા દર્શાવી નથી. જ્યારે જુઓ ત્યારે એકધારી પ્રસન્ન મુખમુદ્રા ઊંડા ચિંતનમાં ડૂબેલી દેખાય. સૂસવતી ઠંડી હોય કે અકળાવતી ગરમી હોય, માઝમ રાત હોય કે શીતળ પ્રભાત હોય, માનવસમુદાયની ભીડ હોય કે શાંત એકાંત હોય, ગમે તેવી પરિસ્થિતિમાં પૂજ્યશ્રીના વ્યક્તિત્વમાંથી રૃતિની સારંગીના સૂર સંભળાયા જ કરતા હોય છે. શ્રીસંઘને આજે એવા જ આચાર, વિચાર, સંયમ, સહિષ્ણુતા અને સૌમ્યતાયુક્ત મહાન વ્યક્તિત્વની જરૂર છે જે સંઘ અને સંસ્કૃતિના પ્રખર પક્ષકાર હોય, સંઘનું આચારમય ઉત્થાન કરવામાં સમર્થ હેય. પૂજ્યશ્રીના જીવનકાર્યોથી આવા આદર્શો આપેઆપ મૂર્ત થાય છે. અમૂલ્ય જતન અને અમૂલ્ય સંવર્ધન એ તેઓશ્રીના આદશે છે. જેની વિચારધારાને અને જેનાચારને પુષ્ટ કરવાની Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy