SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ શાસનપ્રભાવક ઇંગ્લેન્ડની પ્રથમ બેન્કિંગ પરીક્ષા પુરસ્કાર ઉત્તીર્ણ કરીને દેશ અને કુટુંબની શોભામાં ચાર ચાંદ લગાડ્યા. પરંતુ કેલેજમાં ભણતાં કાંતિલાલને કેલેજને માદક રંગ નહિ, પણ વિદ્યાશાળામાં બિરાજમાન પૂ. ઉપાધ્યાયજી શ્રી પ્રેમવિજયજી મહારાજના સ્ફટિકનિર્મળ આમાના સુવિશુદ્ધ શાંત સ્વભાવને રંગ લાગે. મોટાભાઈના ભરયુવાનવયે થયેલા અસહ્ય અને અવર્ણનીય મૃત્યુના આઘાતે કાંતિલાલના અંતરમાં સંસારની ક્ષણભંગુરતા આંકી દીધી, એમાં નાનાભાઈ પિપટલાલની ઈચ્છાને ઉમેરે થયે અને બંને ભાઈઓએ ભવતારિણી ભાગવતી દીક્ષા લેવાને નિરધાર કર્યો. સં. ૧૯૯૧ના . ઉપાધ્યાય શ્રી પ્રેમવિજ્યજી ગણિવર ચાણસ્મામાં બિરાજમાન હતા ત્યાં બંને ભાઈઓ પહોંચી ગયા. અને પિષ સુદ ૧૨ને મંગળવારે બંને ભાઈઓએ શ્રીસંઘના જ્યનાદ વચ્ચે પૂ. ઉપાધ્યાયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરીને નવા જીવનને શુભારંભ કર્યો. તે દિવસથી કાંતિલાલ મુનિશ્રી ભાનવિજયજી મહારાજના રૂપે-સ્વરૂપે અને પપટલાલ એમના જ શિષ્ય રૂપે મુનિશ્રી પદ્મવિજયજી મહારાજ તરીકે વંદાવા-પૂજાવા લાગ્યા. શાળાજીવન દરમિયાન જ પૂજ્યશ્રીએ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતે. શોખ અને સ્વભાવથી જ્ઞાનના અથી હતા જ. તર્ક યુક્ત ચિંતન, વેધક બુદ્ધિશક્તિ, ક્રમિક વિચારધારા, ચિત્તનું સંતુલન અને સવગ્રાહી–સારગ્રાહી ચિત્તશક્તિને લીધે પ્રથમથી જ તેઓશ્રી એક કુશળ ચિંતકની છાપ ઉપસાવી શક્યા. તેઓશ્રીની પ્રજ્ઞાશક્તિને પારખી પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ પૂજ્યશ્રીને દર્શનશાસ્ત્રના અભ્યાસમાં જોડ્યા. ન્યાયદર્શનના પ્રાચીન અને નવીન ગ્રંથને ગુરુગમથી તલસ્પર્શી અભ્યાસ કર્યો. જેન દાર્શનિક ગ્રંથોનું પણ ગહન અધ્યયન કર્યું. વેદાંત, સાંખ્ય, મીમાંસા, વૈશેષિક અને બૌદ્ધ – આ છ દર્શનેનું પણ ઊંડું અવગાહન કર્યું. આમ, ટૂંક સમયમાં જ તેઓશ્રી આ વિદ્વત્તાથી અત્યંત પ્રભાવિત થયા અને તેઓશ્રી પાસે સમુદાયના મુનિવર્યોને અધ્યાપન માટે મૂક્યા. આમ, પૂજ્યશ્રી અધ્યાત્મવિદ્યાના મહાન અધ્યેતા તરીકે સુખ્યાત બન્યા. સેનામાં સુગંધ ભળે તેમ, પૂજ્યશ્રીએ જ્ઞાનસાધના સાથે જ ઉગ્ર તપની ઉપાસનાને પણ આરંભ કર્યો, વર્ધમાનતપની ઓળીને પાયે નાખે અને અનેક તપશ્ચર્યાઓ સાથે વર્ધમાનતપની ૧૦૮ એળી પ્રસન્નચિત્તે પૂર્ણ કરી. આજે પણ તપની આ સાધના ઉત્કૃષ્ટપણે ચાલી રહી છે. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ વિશુદ્ધ અને વત્સલ છે. પાતળે સૂકલકડી દેહ, કરુણા અને વિનમ્રતા ભરેલી સાદા ચશ્માં પાછળ ચમકતી તેજસ્વી આંખો, પ્રસન્નતાથી સદાય પ્રફુલ્લ ચહેરે, જાડાં વેત વ – એ પૂજ્યશ્રીનું બાહ્ય વ્યક્તિત્વ છે, તે આંતરગુણના પ્રભાવે પૂજ્યશ્રી સૌ કેઈને મનને હરી લે છે. પૂજ્યશ્રીની આંખમાં આત્મભાવનું અંજન છે, અંતરમાં પરમાત્માનું ગુંજન છે, હોઠ પર પ્રશમભાવનું સિમત છે, ચહેરા પર પ્રસન્નતા અને વાણીમાં વૈરાગ્યની ભીનાશ છે, વ્યવહારમાં જિજ્ઞાસાનો શીતળ ચંદસ્પર્શ છે. પૂજ્યશ્રીના ગમનાગમનમાં ચંપાના ફૂલની સુવાસ છે, તે કલમમાં કર્મની સામે તાતી ધર્મ – આરાધનાનો આદેશ છે. એ વાણીમાં વૈરાગ્યભાવને વધાવતી દિવ્ય સંજીવની છે. સ્પર્શ, તે પછી પૂજ્યશ્રીની વાણીને હોય કે કલમને, હાથને હોય કે ચરણને, પણ જેણે જેણે એને અનુભવ કર્યો તેના હૈયે સમ્યક્ત્વનું હજાર પાંખડીનું સુમન ખીલ્યા વગર ન રહે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy