SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ શાસનપ્રભાવક પરિણામે સમગ્ર અમદાવાદમાં ઠેર ઠેર આ જ ચર્ચા થવા માંડી. એમાં અહિંસાપ્રેમી હિંદુ પણ જોડાયા. અમદાવાદમાં માણેકચોકમાં ૫૦ હજારની મેદની સમક્ષ પૂ. શ્રી રામવિજયજી મહારાજે જોરદાર પ્રવચન કર્યું. એથી અમદાવાદમાં મેટુ આંદોલન સર્જાયું. બીજી બાજુ સઘેા તરફથી કાનો આશ્રય લેવામાં આવ્યા અને કાનૂની કાર્યવાહી પણ કરાવાઈ. પરિણામે ભદ્રકાળી માતાના મંદિરના પૂજારીએ ગભરાઈ ગયા. વિજયાદશમીના દિવસે ભદ્રકાળી માતાના મંદિર આગળ આ હિંસક પ્રથા અટકાવવા હજારો માણસો એકત્ર થઈ ગયા. આવા પ્રચંડ વિરોધની સામે પૂજારીઓને નમતું જોખવુ પડ્યું અને એકડાના વધ થઈ શકયો નહીં. લોકોએ તુ ના પાકારા કર્યાં. ત્યારથી ભદ્રકાળીના મંદિરમાં બકરાના વધની પ્રથા કાયમ માટે કાયદેસર બંધ થઈ ગઈ. 6 એ દિવસેામાં જૈનશાસનમાં એક વિચિત્ર ઘટના બનવા પામી હતી. લાલન નામના પડિત ઘણા વિદ્વાન હતા. એમનાં પ્રવચનના પ્રભાવ લેાકા પર બહુ સારો પડયો હતેા. એમના એક જુદી કાર્ટિના અનુયાયી વર્ગ ઊભા થવા લાગ્યા હતા. એમના શિષ્યેામાં શિવજીભાઈ નામના એક શિષ્ય મુખ્ય હતા. લાલન જ્યાં જતા ત્યાં · લાલન મહારાજની જય’ના જયનાદ એમના ભક્તજન પોકારતા. એમના અનુયાયી વના પડિત લાલન પ્રત્યેની ભક્તિના અતિરેક એટલી હદ સુધી વધી ગયા કે તેઓ તેમને તીર્થંકર તરીકે માનતા. એક દિવસ લાલન મહારાજની એમના ભક્તોએ સિદ્ધગિરિ શત્રુ જયની તળેટીમાં પચીસમા તીથ‘કર તરીકે આરતી ઉતારી. આ ઘટનાએ જૈન સમાજમાં ઘણા ખળભળાટ મચાવી દીધા. તે સમયે આગમેદ્ધારક શ્રી સાગરાનન્દજી મહારાજે આ ઘટનાના સખત વિરોધ કર્યાં હતા. પૂજ્યશ્રી રામવિજયજી મહારાજે પણ આ ઘટના સામે આંદોલન જગાવ્યુ. એમણે પૂ. સાગરજી મહારાજ સાથે વિચારવિનિમય કરીને આ બાબતમાં કઇક કરવુ જોઈ એ તેવા નિય કર્યાં. એ સમયે શ્રી સાગરાનંદજી મહારાજના ભક્તોએ લાલન શિવજી સામે આ બાબત અંગે અદાલતમાં કેસ દાખલ કર્યાં. અદાલતમાં જુબાની આપવા માટે છાણીથી ઉગ્ર વિહાર કરીને પૂ. સાગરજી મહારાજ સુરત આવી પહોંચ્યા. શાસ્ત્રાના આધારે એમણે આપેલી સમ` જુબાનીને કારણે અદાલતને ચુકાદો લાલન શિવજીની વિરુદ્ધ આન્યા. એમ કહેવાય છે કે પતિ લાલનને પોતાને તીકર તરીકે ઓળખાવવાની કોઈ ઇચ્છા ન હતી, પરંતુ ભક્તાના આગ્રહને તેઓ વશ થઈ ગયા હતા. એ માટે એમને પશ્ચાત્તાપ થયા હતા. ત્યાર પછી તેા પતિ લાલન અમદાવાદમાં પૂ. શ્રી રામવિજયજી મહારાજના વ્યાખ્યાનમાં આવતા અને એ સાંભળીને તેમણે પોતાની ભૂલ માટે પશ્ચાત્તાપ પણ વ્યક્ત કર્યાં હતા અને તેમના હૃદયનું પરિવર્તન થયું હતું. દેવદ્રવ્ય, બાળદીક્ષા, વ્યવહારુ કેળવણી, સમાજસુધારા, તિથિચર્ચા વગેરે વિષયામાં પૂ. શ્રી રામવિજયજી મહારાજ પોતાના વિચારો મેાક્ષના લક્ષ્યની દૃષ્ટિથી તત્ત્વદર્શન અને શાસ્ત્રના આધારે સચોટ રીતે રજૂ કરતા, પરંતુ ફક્ત વર્તમાન વ્યવહારુ ઉપયાગી દૃષ્ટિથી જ વિચારતા લોકો સાથે આવા વિષયામાં વૈચારિક સંઘષ થાય અને તેના આઘાત-પ્રત્યાઘાત પડે એ સ્વાભાવિક છે. પોતાના જીવનકાળ દરમિયાન પૂ. શ્રી રામચંદ્રજી મહારાજે આવા ઘણા ઝંઝાવાતા જોયા હતા અને દરેક પ્રસંગે તેઓશ્રી જરા પણ ચલાયમાન થયા નહોતા. પેાતાના Jain Education International. 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy