SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ શાસનપ્રભાવક તેઓશ્રીની તબિયત નબળી રહેતી હતી. તેમ છતાં, અપ્રમત્ત રહેતા. તેઓશ્રી રાત્રે માત્ર બે કલાક નિદ્રા લેતા અને ધ્યાનમાં તથા જાપમાં સમય વિતાવતા. આવી વૃદ્ધાવસ્થામાં પણ પૂજ્યશ્રી નવી નવી ગાથાઓ કંઠસ્થ કરતા. સં. ૨૦૪૬નું ચાતુર્માસ ખંભાતમાં કરી તેઓશ્રી અમદાવાદ પધાર્યા હતા અને અંતિમ શિષ્ય મુનિ શ્રી હિતરુચિવિજ્યજીની દીક્ષા પછી સાબરમતીમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા. પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું ૭૮ વર્ષનું સુદીર્ઘ દીક્ષા જીવન સંખ્યાબંધ મહત્ત્વની ઘટનાઓથી સભર હતું. પૂજ્યશ્રીનું જીવન એટલે ઇતિહાસ. છેલ્લા સૈકામાં થઈ ગયેલા મહાન જૈનાચાર્યોને ઇતિહાસ પૂજ્યશ્રીના જીવનકાર્યની નેંધ વિના અધૂરો ગણાય. - પ. પૂ. ગચ્છાધિપતિના નિકટના સંપર્કમાં આવવાનું મારે છેલ્લાં થોડાં વર્ષોમાં વિશેષ બન્યું. એક રીતે કહીએ તે અમારો સંબંધ જુદી જ ભૂમિકાએ હતા. મારું વતન પાદરા છે. પૂજ્યશ્રી પણ પાદરાના વતની હતા. એક જ ગામના વતની તરીકેને અમારો સંબંધ, બીજા ભક્તો જેટલે ગાઢ નહિ તો પણ સહેજ જુદી કટિને હતે. મારા પિતાજી શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહની ઉંમર હાલ ૯૬ વર્ષની છે. તેઓ અને પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી સહાધ્યાયી હતા. તેઓ બંનેને ઉછેર પાદરા ગામમાં સાથે થયું હતું. પાદરામાં બંનેએ સરકારી (ગાયકવાડી) શાળામાં પ્રથમિક શિક્ષણ સાથે લીધું હતું. મારા પિતાશ્રીનાં એ સમયનાં સંસ્મરણો હજુ પણ તાજા છે. કાળધર્મના ડા દિવસ પહેલાં જ પૂજ્યશ્રીએ પાદરાના વતની શ્રી મેતીલાલ કસ્તુરચંદ સાથે મારા પિતાશ્રીને ધર્મલાભ કહેવડાવ્યા હતા. પૂજ્યશ્રીને જન્મ એમના સાળના ગામ દહેવાણમાં વિ. સં. ૧૯૫ર ના ફાગણ વદ ૪ ના શુભ દિને થેયે હતે. એમનું નામ ત્રિભુવન રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ છોટાલાલ અને માતાનું નામ સમરથબહેન હતું. બાળક ત્રિભુવનના જન્મ પછી માતા પિયરથી પાદરા આવે તે પહેલાં તે પિતાશ્રી છોટાલાલનું અવસાન થયું. છોટાલાલને બીજા બે ભાઈઓ હતા. છોટાલાલની માતાનું નામ (ત્રિભુવનની દાદીમાનું નામ) રતનબા હતું. એમનાં કુટુંબમાં બાળકો જીવતાં નહેતાં. એવા કુટુંબમાં કઈ બાળક જીવી જાય તેને કેઈની નજર ન લાગે તે માટે વિચિત્ર નામ પાડવાની પરંપરા ગામડાઓમાં હજુ પણ ચાલી આવે છે. આથી બાળક ત્રિભુવનને માતા તથા દાદીમા “સબૂડો” કહીને બોલાવતાં. પાદરામાં ઝંડા બજાર તરફ આવેલી સરકારી શાળા પાસે એક ખડકીમાં રતનબાનું કુટુંબ એક નાનકડા ઘરમાં રહેતું. તેઓની આર્થિક સ્થિતિ સાધારણ હતી. થોડા વખત પછી ત્રિભુવનની માતા સમરથબહેન મરકીના રેગમાં મૃત્યુ પામ્યાં ત્યારે ત્રિભુવનની ઉંમર સાત વર્ષની હતી. ત્રિભુવને પાદરાની સરકારી શાળામાં અભ્યાસ ચાલુ કર્યો. મારા પિતાશ્રી અને ત્રિભુવન એક વર્ગમાં ભણતા. શાળામાં હજી પીવાના પાણીની વ્યવસ્થા થઈ ન હતી, એટલે છોકરાઓ આસપાસનાં ઘરમાં જઈને પાછું પી આવતા. ત્રિભુવનનું ઘર શાળાની નજીક હતું એટલે કેટલાક જૈન છોકરાઓ ત્રિભુવનના ઘરે પાણી પીવા જતા. શાળામાં ત્યારે હેડમાસ્તર તરીકે રણછોડરાય નામના શિક્ષક હતા. બીજા શિક્ષકેમાં વિશ્વનાથ, ભૂલાભાઈ વલ્લભભાઈ મગનલાલ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy