SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ઊતર્યાં. પ્રે-ચાર દિવસ આરામ લઈ, સ્વસ્થતા મેળવી, પૂજ્યશ્રી પિડવાડા પધાર્યા. હૃદયરોગના હુમલા પછી ડોકટરે પૂજ્યશ્રીને વિહાર કરવાના નિષેધ કર્યાં. સયમપ્રેમી સાધુવર ડાળીના વિહારને તે સ્વીકારે જ શાના ? પણ પૂજ્યશ્રીના સંયમનેા અદ્ભુત પ્રભાવ કે, શિષ્યપ્રશિષ્યાદિ સાધુણે સ્ટ્રેચરમાં ઊંચકીને ગ્રામાનુગ્રામ વિહાર કરાવ્યેા. ખંભાતના છેલ્લા ચાતુર્માસમાં પૂજ્યશ્રીની કાયા અનેક રાગેાથી ઘેરાઈ ગઈ; પણ સમતાના બખ્તર વડે પૂજ્યશ્રીએ રેગપરિષહના જબરદસ્ત સામના કર્યો. પૂજ્યશ્રી સદાય ચતુવિધ સંઘના હિતની સતત ચિંતા કરતા. તે માટે સતત પ્રયત્નો કરતા. સિદ્ધાંત અને 'ચમની રક્ષા કરવા માટે રાતદિવસ ભારે પરિશ્રમ કરતા. શાસ્ત્રાના હાર્દને પામેલા આ મહાપુરુષ પાસે એવી મહાન કળા હતી કે સંઘની એકતા કે શાંતિ જોખમાય નહીં એવા રસ્તે સૌને સમજાવી, પૂજ્યશ્રી આપવાદિક આચરણા-પટ્ટક બનાવવા દ્વારા કાઢી શકા હતા. પૂજયશ્રીની શાસનપ્રભાવના પણ અવ`નીય હતી. સુવિહિત મુનિઓનું સન કર્યું.... આ. શ્ર યાદેવસૂરિજી, પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી તથા બીજા અનેક આત્માઓની શાસનપ્રભાવક ડીક્ષા તેઓશ્રી હસ્તક થઈ. પૂજ્યશ્રીની નિશ્રામાં કાલ્હાપુર, પડવાડા, અમદાવાદહડીભાઈની વાડી, પ્રતાપનગર, સાંતાક્રુઝ (મુખઇ), રાજકોટ વગેરે અનેક સ્થળે ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહાત્સવે! ઊજવાયા; ઉપધાન તપેા, છછરી પાળતા સ`ઘા, ઉજમણાં, જિનભક્તિ મહાત્સવા વગેરે પણ ખૂબ થયાં. યુવાન પેઢીના સંસ્કારેની રક્ષા માટે પૂજ્યશ્રીએ પોતાના વિદ્વાન શિષ્યરત્ન પન્યાસ શ્રી ભાનુવિજયજી ગણિવ ( હાલ આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરિજી) મહારાજ પાસે અનેક ધાર્મિક શિબિરો કરાવી. એને લીધે અનેક ભાવિકા સવરિત ધને પામ્યા, અનેક યુવાને સુસંસ્કારી બન્યા. પોતાની અ ંતિમ અવસ્થામાં પણ શાસનને પ્રધાનતા આપી તી રક્ષા માટે પૂ. શ્રી યશેાદેવસૂરીશ્વરજી મહારાજને અંતરિક્ષજી તરફ માકલ્યા. તીરક્ષા વગેરે અનેક કાર્યો પૂજ્યશ્રીએ કર્યો.... શાસનપ્રભાવક " પૂજ્યશ્રીની સહનશીલતા અદ્ભુત હતી. છેલ્લું ચાતુર્માસ સ. ૨૦૨૩નુ ખંભાત મુકામે કર્યું. આ ચાતુર્માસ તથા શેષકાળમાં રોગ પરિષદ્ધના ભારે સામને કર્યાં, અદ્ભુત સમના દ્વારા પૂજ્યશ્રીએ રાગેાની ફાજના પરાભવ કર્યાં. રાગ-દ્વેષ ફાવી ન જાય તેની પૂજ્યશ્રી સતત કાળજી રાખતા. નૂતન સર્જન થતાં ક સાહિત્યનું સંશેાધન છેલ્લી અવસ્થા સુધી ચાલુ હતું. સાથે સાથે ઉપમિતિ ભવપ્રપ`ચકથા'નું શ્રવણ કરતા, રાત્રે તેના પદાર્થો યાદ કરતા. રાત્રે અનેક પ્રકારની સજ્ઝાયા–સ્તવના અને શાન્તસુધારસભાવનાં કાવ્ય રસપૂર્વક સાંભળતા. આ રીતે દિવસે પસાર થતા. પૂજ્યશ્રીની તખિયતના સમાચાર સાંભળતાં દૂર દૂરથી શિષ્ય-પ્રશિષ્યા આવવા લાગ્યા. સમુદાયના મોટા ભાગ એકત્રિત થયા હતા. એક ગાઝારા દિવસ આણ્યે. તે દિવસે પૂજ્યશ્રી તેા સવારથી વધુ સ્વસ્થ હતા. માંકડની વિરાધનાના ભયે મકાન બદલવાના વિચાર કરતા હતા. એવામાં સાંજે આસન ખલ્યું. આગળના હોલમાંથી પાછળ જ્ઞાનમ'દિરના હોલમાં પધાર્યા. પ્રતિક્રમણ કર્યુ. પછી રાજની પ્રણાલિ મુજબ સ્તવન-સજ્ઝાય સાંભળ્યાં. શા થતાં બેસતાં જ હાર્ટ એટેક આવ્યો, ગભરામણ શરૂ થઈ. સ્થ ંડિલ ગયા. ત્યાંથી આવીને પાટ પર Jain Education International 2010_04 20 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy