SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ર શાસનપ્રભાવક શાસ્ત્રના રંગથી રંગી દીધું હતું. શાસ્ત્રનું જ્ઞાન પંડિત બનવા પૂરતું કે પરના ઉપદેશ માટે કે વિતંડાવાદ માટે ન હતું, પણ સ્વયં જીવનમાં પરિણમાવવા માટે હતું. સ્વયં આરાધનામાં, સમુદાયમાં, શાસનના અને સંઘના પ્રશ્નોમાં સર્વત્ર તેઓશ્રી શાસ્ત્રવચનને અને વડીલ ગીતાને આગળ કરતા. પિતે પણ એવા સમર્થ ગીતાર્થ હતા કે કયારે ઉત્સર્ગ માગને અપનાવવા, કયા સંજોગોમાં અપવાદમાગને અપનાવે તે વધુ સારી રીતે જાણીને શાસ્ત્રાણા અને પરંપરાનું સ્વરથાને ઔચિત્ય સમજીને સંઘને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસરીને યોગ્ય માર્ગ, દર્શન કરતા. સંઘભેદથી તેઓશ્રી વ્યથિત હતા. “અલ્પ વ્યય અને અધિક લાભમાં પ્રવર્તતા વણિકની જેમ ગીતાર્થો મહાલાભ અને અલપ દેલવાની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે.” આ છેત્ર સૂત્રનાં વચનને તેઓશ્રીએ આત્મસાત્ કર્યું હતું. વળી, “સમસટ્ટા રિરિયા તિક્ષ્ય કમાવા હૃતિ-એકસરખી પ્રરૂપણ અને સામાચારીવાળા જ તીર્થના પ્રભાવક થાય છે.” એ મહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજનું વચન પણ તેઓશ્રીના હૃદયમાં સુસ્થાપિત હતું; એટલે ભારે જહેમત ઉઠાવીને સં. ૧૯૨થી તપગચ્છમાં થયેલ તિથિભેદને તેઓશ્રીએ અપવાદિક પટ્ટકનું આલંબન લઈને સં. ૨૦૨૦માં મહદંશે નિવાર્યો હતો. સંઘભેદ નિવારવાનું તેઓશ્રીના જીવનનું આ મહાન કાર્ય હતું. પૂજ્યશ્રીની મતિ અતિ સૂક્ષમ હતી. સૂક્ષ્મ પદાર્થોનું ઊંડું અવગાહન કરતા, એટલું જ નહિ, કઠણમાં કઠણ ગ્રંથને પણ પિતાની બુદ્ધિથી ઉકેલવા પ્રયત્ન કરતા. “અનેકાંત જયપતાકા” જેવા જટિલ ગ્રંથનું સંશોધન-સંપાદન પિતાની સૂક્ષ્મ બુદ્ધિથી સારી રીતે કરી આપવા છતાં ક્યાંય પિતાના નામ માટે આગ્રહ રાખ્યું ન હતું. “કેમ પ્રકૃતિ એ જૈનવાદ્ધમયમાં અતિ કઠિન અને સૂફમમતિગ્રાહ્ય ગ્રંથ હતે. છેલ્લાં શેડાં વર્ષોથી પરિશ્રમના અભાવે આ ગ્રંથનું અધ્યયન અટકી ગયું હતું. પૂજ્યશ્રીએ અથાગ મહેનત કરી, અનેક વાર ચિંતન-મનન કરી, કર્મપ્રકૃતિના પદાર્થોને ઉકેલ્યા. એટલું જ નહિ, પદાર્થોને કંઠસ્થ કર્યા અને વર્ષો સુધી કર્મગ્રંથ અને કર્મપ્રકૃતિના પદાર્થોનું રાત્રિના ચાર-ચાર, છ-છ કલાક સુધી પારાયણ કર્યું. અનેક સાધુઓને તથા શ્રાવકને કર્મગ્રંથ, કર્મ પ્રકૃતિ, પંચસંગ્રહાદિ શાનું શિક્ષણ આપ્યું. પૂજ્યશ્રીએ કર્મસિદ્ધાંત આત્મસાત્ કર્યો હતો, જેથી સકળ સંઘમાં કેઈને પણ આ કઠણ ગ્રંથનું અધ્યયન કરતાં શંકા ઉત્પન્ન થતી ત્યારે તે પૂજ્યશ્રી પાસે આવીને, તેનું સમાધાન મેળવીને, સંતુષ્ટ થતા. પૂજ્યશ્રીએ ચૂર્ણિ, ટીકાઓ સહિત કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ આદિ અનેક ગ્રંથનું સંશોધન-સંપાદન કર્યું. સાથે સાથે કર્મસિદ્ધિ, માર્ગદ્વાર વિવરણ, સંક્રમકરણ ભાગ ૧-૨ વગેરે નૂતન ગ્રંથોનું સર્જન પણ કર્યું. તદુપરાંત, તેઓશ્રીએ પિતાની પાછલી ઉંમરમાં દસ-બાર મુનિઓના સમૂહને કર્મસિદ્ધાંત વિષયક વિશેષ જ્ઞાન આપીને તૈયાર કર્યા અને અવગઢિ, બંધવિધાન વગેરે લાખો લેકપ્રમાણ કર્મસાહિત્યના વિશાળકાય ગ્રંથો તૈયાર કરાવી કર્મવિષયક જૈનસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. પૂજ્યશ્રીનું આ સાહિત્યસર્જન જિનશાસનમાં અમરત્વનું અધિકારી બની ચૂકયું છે. પૂજ્યશ્રીના વિશાળ જ્ઞાનથી જૈનેતર પંડિત પણ આકર્ષાયા હતા. વડોદરામાં પંડિત પાસે પૂજ્યશ્રી ન્યાયને અભ્યાસ કરતા ત્યારે વડોદરાના રાજપંડિતને પૂજ્યશ્રીને પરિચય થયે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy