SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ શાસનપ્રભાવક વિશદ અધ્યયન કર્યું. સૂત્રસિદ્ધાંતમાં અનુગદ્વાર, દશવૈકાલિક, આવશ્યસૂત્ર, આચારાંગ, સૂયગડાંગ, ઠાણુગ, વિશેષાવશ્યકનો ભાગ, જીવાભિગમ અને લેક પ્રકાશ આદિનું અધ્યયન કર્યું. તિષશાસ્ત્રમાં આરંભસિદ્ધિ, નીલકંઠી ષપંચાશિકા, લઘુ પારાશરી આદિ ગ્રંથે કંઠસ્થ કર્યા. તેમ જ જૈનશાસ્ત્ર અનુસાર ઉત્તરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર, મહાનિશીથ, નંદીસૂત્ર, છાણાંગ અને ભગવતીજી આદિ સૂત્રોનાં ગદ્વહન કર્યા. પૂજ્યશ્રી કાકચેષ્ટા, બકધ્યાન, ધાનનિદ્રા, અલ્પાહાર અને સ્ત્રીત્યાગ – વિદ્યાથીનાં પાંચ લક્ષણોથી યુક્ત હતા. તેઓશ્રીની ગ્રહણશક્તિ અને ઉદ્દબોધનશક્તિ અદ્દભુત હતી. એટલે જ આટલું વિપુલ વિદ્યાજન કરી શક્યા અને બહુશ્રત વિદ્વાનની કટિમાં બિરાજી શક્યા. સં. ૨૦૦૬ના દાદરના ચાતુર્માસમાં તેઓશ્રીએ પ્રવચન સારોદ્ધાર જેવા મહાન ગ્રંથ પર વાચન આપી, પિતાના પ્રકાંડ પાંડિત્યને પરિચય આયે હતે. તેમ છતાં, પૂજ્યશ્રી વિદ્વાનને છાજે તેવી વિનમ્રતાના ભંડાર છે. ૩૮ વર્ષથી એકધારી ગુરુસેવા કરીને તેઓશ્રીએ એ સિદ્ધ કરી બતાવ્યું છે. ટૂંકમાં, પૂજ્યશ્રીએ વિદ્વત્તા, સાહિત્યસર્જન, શતાવધાન વિદ્યામાં તેમ જ શાસનપ્રભાવનામાં ઉજજવળ કીતિ સંપાદન કરી છે, પરંતુ તેઓશ્રીનું સાચું વ્યક્તિત્વ તે સાધુતામાં જ ઝળકે છે. તેઓશ્રીની સોહામણી, શાંત અને પ્રસન્ન મુખમુદ્રા પ્રથમ દર્શને જ સાધુતાને પરિચય આપી રહે છે. તેઓશ્રી પરમ વિનયી, સરળ સ્વભાવના અને નિખાલસ વર્તન કરનારા સાધુવર્ય છે. ઉપરાંત, પિતાનાં મહાવતેમાં અવિચળ રહે છે; ક્રિયાકાંડમાં ચુસ્ત છે; વ્યવહારમાં દક્ષ છે. નાની અમસ્થી અલના પ્રત્યે પણ મિથ્યા દુષ્કૃત લઈને ચારિત્રને નિર્મળ બનાવે છે. અર્ધશતી જેટલા સુદીર્ઘ દક્ષા પર્યાયમાં તેઓશ્રીએ પૂ. ગુરુદેવ સાથે વિવિધ પ્રાન્તમાં હજારો માઈલેને પગપાળા વિહાર કર્યો છે. આબાલવૃદ્ધ સૌને આકર્ષણ કરીને સન્માર્ગે સ્થિર કરવા પુરુષાર્થ સેવ્યું છે. ખાસ કરીને, દક્ષિણ ભારતના વિહારમાં અહિંસાધર્મને અત્યંત યશસ્વી પ્રચાર કરીને સમર્થ ધર્મપ્રચારકની કટિમાં પિતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. આનંદી સ્વભાવ અને મધુર શૈલીને લીધે પૂજ્યશ્રીનાં વ્યાખ્યાને દષ્ટાંતે અને તર્કયુક્તિઓથી સભર શોભી રહે છે. એ રીતે અનેક વિદ્વાને, અધ્યાપકે, કોલેજિયને તેઓશ્રી પાસેથી સમાધાન પામ્યા છે. સમુદાયનાં નાનાંમોટાં કાર્યોમાં સતત વ્યસ્ત રહેવા છતાં તેઓશ્રી કવિતા, લેખ વગેરે લખતા રહે છે. ઉપરાંત, બહેળા પત્રવ્યવહારના વ્યવસ્થિત અને નિયમિત ઉત્તરે આપવા એ તેઓશ્રીને ગુણવિશેષ છે. આમ, અનેક પ્રકારે વિશાળ શાસનપ્રભાવનામાં રત રહેતા પૂ. આ. શ્રી વિજયકીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજને થડા સમય પહેલાં જ, વિશાળ જનસમુદાયના જયકાર વચ્ચે રાષ્ટ્રસંત”નું બિરુદ અર્પણ કરવામાં આવ્યું છે. એવા એ બહુમૂલ્ય રત્ન સમા આચાર્યદેવને કેટિશઃ વંદના ! Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy