SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતા-ર શતાવધાની મહાતપસ્વી સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયજયાનંદસૂરીશ્વરજી મહારાજ સૌરાષ્ટ્ર પ્રદેશે ગિર રળિયામણેા વિસ્તાર છે. એમાં ભાદર નદીના કાંઠે વધુ સેહામણા છે. ભાદરના કાંઠે ટેકરી પર વસેલુ' જેતપુર શહેર અતિસુંદર છે. ત્યાંનાં લાકે સુખી અને સમૃદ્ધ છે તેમ ધાર્મિક રુચિથી પણ સપન્ન છે. આ શહેરમાં આજથી ૬૬ વર્ષ પહેલાં ગાળવાળા ધનિષ્ઠ સુશ્રાવક શ્રી જીવણભાઇ ઝવેરભાઇ શાહના પતિસેવાપરાયણા ધર્મ પત્ની સાંકળીબાઈની રત્નકુક્ષિએ સ. ૧૯૯૨ના માગશર સુદ ૧ ને દિવસે પુત્રનો જન્મ થયેા. બાળકનું નામ જેઠાલાલ રાખવામાં આવ્યું. આ ઉપરાંત, આ દંપતીને એક પુત્ર અને પાંચ પુત્રીએ હતી. જેઠાલાલે નાની વયે જ પિતાનું અને મેાટાભાઈનું શિરછત્ર ગુમાવી દીધું. માત્ર ચાર ગુજરાતીનો અભ્યાસ કરી શકવા અને સંસારના બેજામાં દિવસે વીતવા માંડથા. પરતુ તેમની મુખાકૃતિ સંસારી કરતાં સંયમી હોવાની છાપ વધુ પાડતી હતી. સાધુતાને સાધવા, શાસનની શાન વધારવા અને જિનશાસનના જયજયકાર કરવા માટે જ આ આત્માએ અવતાર લીધે તેમ લાગતું હતું. એક વખત જેઠાલાલ માતા સાથે સિદ્ધગિરિની યાત્રાએ ગયા. ત્યાં પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયમેાહનસૂરીશ્વરજી મહારાજનાં દર્શન થયાં. જેઠાલાલને જોતાં જ પૂ. આચાર્યદેવે સાંકળીબેનને કહ્યું, બેન ! તારા પુત્ર સુંદર રેખાઓવાળે છે. તમે તેને સંયમમાગે સંચરવાની સંમતિ આપશે તે એ જિનશાસનના મહાન પ્રભાવક બનશે; અને સ્વપરનું કલ્યાણ સાધશે. ' પૂ. ગુરુદેવની વાત માતા– પુત્રને જચી ગઇ. જેઠાલાલે સંયમ સ્વીકારવાની સદ્ભાવના દર્શાવી. પૂ. ગુરુદેવે તેમને મુનિશ્રી ચશેાવિજયજી મહારાજને અભ્યાસ કરાવવા માટે સોંપ્યા. દરમિયાન સૌ પ્રથમ તેમનાં મોટાંબહેન હીરાબહેને પાલીતાણામાં સાધ્વીશ્રી જયંતીશ્રીજી પાસે સયમ સ્વીકારી સાધ્વીશ્રી પ્રિયંવદાશ્રીજી અન્યાં. તે પછી એક વર્ષ, સ. ૧૯૯૨ના માગશર સુદ ત્રીજના શુભ દિવસે જેઠાલાલને પૂ. આ. શ્રી વિજયમેહનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, પૂ. ઉપાધ્યાય શ્રી પ્રતાપવિજયજી મહારાજ, પૂ. પંન્યાસ શ્રી ધર્મવિજયજી મહારાજ તથા પૂ. મુનિરાજ શ્રી યશેાવિજયજી મહારાજની ઉપસ્થિતિમાં દીક્ષા આપવામાં આવી. અને મુનિ શ્રી જયાન ંદવિજયજી નામ આપીને પૂ. મુનિશ્રી ચશેાવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. 6 ૨૪૭ મુનિશ્રી બાલ્યકાળથી જ ધાર્મિક અભ્યાસમાં વિશેષ રુચિ ધરાવતા હતા. એમાં સયમજીવનના સ્વીકાર કરીને તે મનગમતુ ક્ષેત્ર સાપડયું. તેએશ્રીએ ગુરુનિશ્રામાં સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, તર્ક, આગમ, કર્મગ્રથે આદિના ગહન અભ્યાસ કરી લીધે. વ્યાકરણ, ન્યાયતી અને સાહિત્યતીથ આદિ યુનિવર્સિટીની પરીક્ષા આપી. ત્રણે ડિગ્રી પરીક્ષા આપવા માટે અમદાવાદ ત્રણ વર્ષોં સ્થિરતા કરી. સ. ૨૦૦૭માં પ્રથમ વાર પૂજ્યશ્રીએ સા અવધાન કર્યાં. ખરી રીતે તેા મુનિશ્રી યશેાવિજયજી મહારાજ શતાવધાની બનવાના હતા; પરંતુ અન્ય કાર્યો વચ્ચે તેઓશ્રી પાતાના અભ્યાસ પૂરો કરી ન શકયા. એટલે તેએ શ્રી એ પોતાના પ્રિય શિષ્યને અવધાન શીખવવા ઇચ્છા કરી. શતાવધાની પંડિત ધીરજલાલ શાહ અવધાન Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy