________________
૨૩૪
શાસનપ્રભાવક
ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજના ગ્રંથને પ્રગટ કરવા પૂજ્યશ્રીની પ્રેરણાથી યશોભારતી જેન પ્રકાશન સમિતિની સ્થાપના થઈ. એ સંસ્થા તરફથી દસ વરસમાં સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ભાષાના ૩૦ ગ્રંથે તેઓશ્રીની અથાગ મહેનતથી સંશોધન-સંપાદન કરવાપૂર્વક પ્રકાશિત થયા છે. આ અથાગ પરિશ્રમ માગે તેવું અત્યંત કઠિન કાર્ય પણ તેઓશ્રીએ પાર પાડ્યું. ત્યારપછી કળાનાં પ્રકાશને માટે “ચિત્રકળા-નિદર્શન” નામની કળા બાબત સ્વતંત્ર કાર્ય કરી શકે તેવી સંસ્થા પણ સ્થાપી. આ સંસ્થાએ પ્રગતિના પંથે પદાર્પણ કરી પ્રારંભમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીનું અનુપમ ચિત્રસંપુટ પ્રગટ કર્યું છે. પ્રારંભમાં સંસ્થા તરફથી પ્રાચીન સ્તવને, પદો અને ગીની રેકર્ડ તૈયાર કરવી, જે સમાજમાં એક નવી જ પહેલ કરી, આજની યુવાન પેઢીને પ્રોત્સાહિત કરી છે.
અજોડ-અભૂતપૂર્વ વિશ્વપ્રસિદ્ધ ગ્રન્થનું પ્રકાશન : છેલ્લા એક દશકાથી પૂજ્યશ્રીએ વિશ્વવંદ્ય ભગવાન મહાવીરસ્વામીની શાસ્ત્રીય કથાને ૩પ સુંદર ચિત્રોમાં અંક્તિ કરવા માટે ભગીરથ પુરુષાર્થ સેવ્યો છે. આ ચિત્રોનું સર્જન કરવા માટે તેમણે સિદ્ધહસ્ત ચિત્રકાર શ્રી ગોકુલદાસ કાપડિયાને વારંવાર સૂચનાઓ આપી, ચિત્રે ભાવનામય અને સુંદર બને તે માટે પ્રેરણા આપી છે. તેમનું એક કલાકાર તરીકે સન્માન સાચવીને, તેમની પાસેથી કામ લીધું છે. વળી આ ગ્રંથ ચિરસ્મરણીય બની રહે તે માટે આ ચિત્રનો પરિચય એ રીતે આવે છે કે તેમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીની સંપૂર્ણ જીવનકથા કડીબદ્ધ આવી જાય. પરિણામે, વાંચકના મન પર ભગવાનનું સળંગ-સુરેખ ચિત્ર અંકિત થાય. વિશેષમાં આ ગ્રંથને લાભ બધા લઈ શકે તે માટે તેને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી – ત્રણે ભાષામાં પરિચય આપે છે. જેનશાસનના ઇતિહાસમાં આવું પ્રકાશન પહેલી જ વાર થયું છે. પૂજ્યશ્રીનાં સૂઝસમજ, બુદ્ધિપ્રતિભા, અનુભવ અને કળાદષ્ટિ વડે તૈયાર થયેલું આ ચિત્રસંપુટ વિશ્વવિખ્યાત બન્યું છે.
મુંબઈ–બીરલા માતુશ્રી ગૃહમાં યાદગાર ઉદ્દઘાટન : આ અજોડ અને અભૂતપૂર્વ ગ્રન્થને અતિભવ્ય પ્રકાશનસમારેહ તા. ૧૬-૬-૭ ના રોજ બીરલા માતુશ્રી ગૃહ– મુંબઈમાં પૂ. ગુરુદેવેની અધ્યક્ષતામાં ભારે જનમેદની વચ્ચે આનંદપૂર્વક થયું હતું. બીરલા સભાગૃહમાં ૩૦ વર્ષમાં આ સમારોહ થયો ન હતો. એ વખતે મહારાષ્ટ્રના શિક્ષણપ્રધાન શ્રી અનંતરામ જોષીએ આ ગ્રંથનું પ્રકાશન કર્યું હતું. દેશભરમાંથી ગવર્નર, પ્રધાને, આચાર્યો, વિદ્વાને અને અનેક સંઘના સંદેશાઓ આવ્યા હતા. ચારેય સંપ્રદાયના આગેવાનોએ હાજરી આપી હતી. આ સંપુટ ચારેય સંપ્રદાયના આગેવાનેએ સમારંભ વખતે પૂ. ગુરુદેવને અર્પણ કર્યો હતે. ચિત્રસંપુટને રથમાં મૂકી, મોટરમાં મૂકી કચ્છ, રાજસ્થાનમાં વરઘેડા નીકળ્યા હતા. મદ્રાસ, જયપુર વગેરે સ્થળે જંગી સમર્પણ સમારંભ યોજાયા હતા. ચિત્રસંપુટ પાછળ પ્રજા ઘેલી બની ગઈ હતી. પૂજ્યશ્રીની આ કાર્યમાં કામે લાગેલી પ્રતિભા અને પુરુષાર્થની ભારોભાર પ્રશંસા થઈ હતી.
આચાર્યશ્રીની મહાન કૃતિનો વિશ્વને મહાન લાભ : તાજેતરમાં સુરત
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org