SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શાસનપ્રભાવક દિવસે સાણંદ મુકામે આચાર્યપદે આરૂઢ કરી શ્રી વિવિબુધપ્રભસૂરિજી નામે ઉઘોષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક દીક્ષાઓ, પદવીઓ, વિવિધ અનુષ્ઠાને, પ્રતિષ્ઠા આદિ ધર્મકાર્યો સમ્પન્ન થયાં છે. વિશેષ કરીને ગુજરાતમાં અને રાજસ્થાનમાં અનુપમ શાસનપ્રભાવના થઈ છે. પૂજ્યશ્રી સાધના-આરાધનામાં મગ્ન રહેવા સાથે શાસનનાં અને શ્રીસંઘનાં અનેકવિધ કાર્યોમાં સતત નિશ્રાનું પ્રદાન કરતા રહ્યા છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે ઉત્તરોત્તર વધુ ને વધુ ધર્મકાર્યો પ્રવર્તતાં રહે અને એ માટે પૂજ્યશ્રી સ્વાથ્યપૂર્ણ દીર્ધાયુષ્ય પામે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને કટિશ વંદના! સરળતમ સ્વભાવના તપસ્વી સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયઅરવિંદસૂરીશ્વરજી મહારાજ જિનાજ્ઞા અને ગુર્વાસાના પાલન દ્વારા જેમનું ગુલાબી જીવન ચોગરદમ સુવાસ પ્રસરાવી રહ્યું છે તેવા નિઃસ્પૃહી આચાર્યપ્રવર શ્રી વિજયઅરવિંદસૂરિજી મહારાજને જોતાં જ પવિત્ર “પંચસૂત્ર'નું “ઇવેવસ્થા કરાવો ” સૂત્ર યાદ આવે. પૂજ્યશ્રીનું સંયમી જીવન જાણે કે આવા સૂત્રની જીવંત અનુવૃત્તિ લાગે “જ્ઞાનસારસૂત્ર”ના “નિgવે માસુમ્ ' પદને જીવંત અનુવાદ તેમની દિનચર્યા અને જીવનચર્યામાંથી સાંપડે છે. સ્પૃહા વિનાનું તેમનું જીવન ખરેખર પાર્થવૃત્તિથી ભર્યુંભર્યું છે. ગુલાબ અને પારિજાતક-શાં પુપે જેમ આખી રાત્રિની પ્રતીક્ષા પછી સવારે સૂર્યનાં કિરણોના સ્પર્શથી ખીલી ઊઠે, તેમ પૂર્વભવનાં અનેક પુણ્યકર્મોના બળે વર્તમાનમાં જિનશાસનના નમંડળમાં તેજસ્વી તારલાની જેમ સેળે કળાએ ખીલી ઊઠી અનેક શ્રીસંઘને પ્રેરણા આપી રહ્યા છે. સાચે જ ગુલાબ-શા ગુલાબી અને કમળ-શા કેમળ સ્વભાવ દ્વારા તેઓશ્રી પિતાના નામને સાર્થકતાની ગરિમા અપી રહ્યા છે. કચ્છની ખમીરવંતી ભૂમિએ અનેક સંતે, મહેતા અને વીરપુરુષોની મૂલ્યવાન ભેટ આપી છે. પૂજ્યશ્રી પણ કચ્છના પિતા પુત્ર છે. સં. ૧૯૮પના જેઠ સુદ ૧૨ને મંગળવારે કચ્છના મનફરા ગામે આ મહાપુરુષને જન્મ થયે. તેમનું સંસારી નામ અમૃતલાલ હતું. પિતાશ્રી પેથાભાઈ ગાલા અને માતુશ્રી વાલીબેન ધર્મપરાયણ અને સાત્વિક વૃત્તિનાં હોવાને કારણે પુત્રને પણ એવા સંસ્કારી વાતાવરણમાં ઉછેર થયે. બાળપણથી જ અમૃતલાલ ધર્મરંગે રંગાયા. વીતરાગમાર્ગના પ્રવાસી બનવા અને કષાયોને ડામવા સંગ્રામ શરૂ થયે. જેન શાસનના સ્વાર કલ્યાણ માટે ભેખ લેવાની તમન્ના જાગી. આખરે એ શુભ યોગ ઊભે થયે. સં. ૧૯૯૬ના મહા સુદ ૧૦ને રવિવારે મનફરામાં દીક્ષા ગ્રહણ કરી. પૂ. જનકવિજયજી મહારાજના શિષ્યરત્ન મુનિ શ્રી હકારવિજયજી મહારાજ તેમના ગુરુદેવ બન્યા અને દાદા ગુરુદેવ પૂ. આચાર્ય ભગવંત શ્રી ભદ્રસૂરિજી મહારાજના આશિષ સાથે સંયમયાત્રા આરંભી. અગિયાર વર્ષની કુમળી વયથી આરંભાયેલી પૂજ્યશ્રીની સંયમયાત્રા નિરભિમાનીતા, સાદગી અને અપ્રમત્તતાના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy