SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-ર ૧૩૩ શાસનપ્રભાવના કરીને સ્વ–પર કલ્યાણના કીતિ કળશે સ્થાપિત કરી ગયા. એટલું જ નહિ, વિશાળ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર દ્વારા વિશાળ પાયે શાસનપ્રભાવના સતત ચાલુ રહે તેવું સિદ્ધ કરતા ગયા. વર્તમાનમાં વિદ્યમાન પ. પૂ. આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી મનહરકીર્તાિસાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી ભદ્રબસાગરસૂરીશ્વરજી મહારાજ તેમ જ શિષ્ય–પ્રશિષ્ય આદિ ૫૫ સાધુભગવંતે તથા ૯૫ સાધ્વીજી મહારાજે વિચારી રહ્યાં છે. એવા એ મહાન શાસનપ્રભાવક ગુરુભગવંતને કોટિ કોટિ વંદના ! ૯૦૦૦ ઉપરાંત જિનબિંબની અંજનશલાકા જેમના વરદ હસ્તે થઈ છે એવા પરમ શાંત-સૌમ્યમૂર્તિ અને અદ્દભુત શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ કાગળનાં ફૂલેમાં સૌંદર્ય હોઈ શકે, પણ એમાં સુગંધ હતી નથી. એનું સૌંદર્ય આપણા મનને બહેલાવી શકે છે, પરંતુ સુવાસથી આનંદવિભેર કરી શકતું નથી. નેત્રાદિ પાંચે ઈન્દ્રિયેના અજોડ સંયમી પરમ શ્રદ્ધેય પૂજ્ય આચાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ પણ સંસાર રૂપી ઉપવનમાં એવા ફૂલ હતા કે જેમની આત્મિક સૌદર્યશ્રી અદ્ભુત સૌરભથી મહેકતી હતી. તેઓશ્રીને જન્મ સં. ૧૯૯૦ના માગશર વદ ૬, તા. ૧૯-૧૨-- ૧૯૧૩ને શુક્રવારે પંજાબ પ્રાન્તના લુધિયાણ જિલ્લાના જગામા ગામે થયે હતા. તેમના પિતાનું નામ રામકૃષ્ણદાસજી અને માતાનું નામ રામરખીદેવી હતું. પૂજ્યશ્રીનું પિતાનું નામ કાશીરામ હતું. તેઓ સ્થાનકવાસી જૈન હતા. બાળક કાશીરામને ઉછેર જેનધર્મના આદર્શ સંસ્કારને અનુરૂપ થયે હતે. બે ભાઈઓ અને ચાર બહેનોના વિશાળ કુટુંબમાં જન્મથી જ કાશીરામનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી હતું. પ્રાથમિક શિક્ષણ વતનની પાઠશાળામાં લઈને આગળ અભ્યાસ માટે લાહોર ગયા. ત્યાં બી. એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં ઓનર્સ સાથે પાસ કરી. પરંતુ કિશોરાવસ્થાથી જ કાશીરામનું મન એકદમ વૈરાગ્યવાસિત બની ગયું હતું. પરંતુ માતાપિતાના આગ્રહથી લગ્ન કરવા પડ્યા. મૂળ ધર્મથી સ્થાનકવાસી હોવાને કારણે મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી હતા. આત્મકલ્યાણના પંથે આગળ વધવાની તીવ્રતમ ઇચ્છા હતી. સં. ૧૯૯૪ના પિષ વદ ૧૦ના શુભ દિવસે તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ. કારણ કે ગિનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજનાં પુસ્તકેએ તેમના મન ઉપર ઘેરી અસર કરી હતી. પરિણામે, અમદાવાદમાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી કીર્તિ સાગરસૂરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં દીક્ષિત થઈને તપસ્વીરત્ન મુનિરાજ શ્રી જિતેન્દ્રસાગરજી મહારાજના શિષ્ય બન્યા. અને મુનિ શ્રી કૈલાસસાગરજી નામે ઘેષિત થયા. દીક્ષા પછી પૂજ્યશ્રીની આત્મવિકાસની પ્રક્રિયા ઉત્તરોત્તર વિકાસ પામતી ગઈ. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy