SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-૨ ૧૦૩ ભવિષ્યમાં સિદ્ધ થનાર ધર્મશૂરવીરતાનું સંકેત ન આપતું હોય ! નામ તો માત્ર સ્થાપન રૂપે જ રહ્યું, પૂર્ણ દેહલાલિત્ય અને શ્વેત વાનને કારણે તેઓ “લાલા” તરીકે સમગ્ર સુરતમાં ખ્યાતિ પામ્યા. સમય જતાં વ્યાવહારિક અભ્યાસ સાથે માતા-પિતાના ધાર્મિક સંસ્કારોથી પણ વસિત થવા લાગ્યા. મેગાનુયોગે સં. ૧૯૯૭માં પૂ. શાસનસમ્રાટકીને પટ્ટધર પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ તથા ઉપા. શ્રી કસ્તૂરવિજયજી ગણિવરનું સુરત-વાડીના ઉપાશ્રય ચાતુર્માસ થતાં તેઓશ્રીની વૈરાગ્યસભર વાણી અને સતત પ્રેરણાથી “લાલા”ને આત્મા સંસારની ઉપરછલ્લી લાલાશને જાણી જાગી ઊઠયો. પરિણામે, નિશાળમાં કે સંસારમાં ક્યાંય ચેન પડતું નહીં. ઘરેથી નીકળે નિશાળે જવા, પણ પહોંચી જાય ઉપાશ્રયે અને જ્યાં રજાને કે સંભળાય એટલે ઉપાશ્રયથી બાળક સાથે બાળસહજ તેફાનમસ્તી કરતાં કરતાં ઘર ભેગા થાય. જેથી કોઈને ખ્યાલ ન આવે કે લાલે નિશાળે જાય છે કે ઉપાશ્રયે ! કેવી સંયમ લેવાની તીવ્રતા! ત્યાર પછી પૂ. આ. શ્રી વિજયેલાવણ્યસૂરિજી મહારાજ આદિના સમાગમમાં આવતાં તેમને સતત સંસારની અસારતા અને સંયમની મહત્તાને ખ્યાલ આવતે ગયો પછી તે મરણાંતકષ્ટ જેવી ટાઈફેઈડની ભયંકર બીમારી પ્રબળ અશાતા વેદનીય કર્મના ઉદયે આવતાં, જીવનની પણ આશા રહી નહિ. આવા કાળમાં તેમણે મને મન નિશ્ચય કર્યો કે, તબિયત પૂર્વવત્ સારી થઈ જતાં કેઈપણ સંજોગોમાં સંયમ સ્વીકારીશ. આમ, ભયંકર બિમારી જીવનની અનુપમ તાજગીમાં નિમિત્ત બની ! સ્વાચ્ય અનુકૂળ થતાં જ, “કુટુંબીજને મેહ, મમત્વના કારણે સંયમ માટે અનુમતિ નહીં આપે.” એવી ધારણાથી કેઈ ને જણાવ્યા વગર ઘરેથી નીકળી પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ વિહાર કરીને જે ગામમાં ગયા હતા ત્યાં પહોંચીને અભ્યાસ કરવા લાગ્યા. કુટુંબીજનેએ ચારે બાજુ તપાસ આદરી. સમાચાર મળતાં જ પાછા ઘેર તેડી લાવ્યા. સંસારમાં નાખવા વિવાહની વાત કરવા લાગ્યા. પણ આ તે “લાલા” અને પાછા “સુરવિંદ –એ આવી વાતોથી ડગે કાંઈ ! તેમની જેવી સંયમની તીવ્ર ભાવના, તેટલી જ સામે તીવ્ર અસંમતિ. બેમાંથી કે મચક ન આપે. એ સમયે ભવિતવ્યતાના યોગે “મા કમળા” જીવલેણ બીમારીમાં પડ્યાં. અને એમના મનમાં વિચાર આવ્યો કે મેં જીવનમાં ઘણું લાભ લીધા, પરંતુ કેઈની “છાબ” માથે લીધી નથી. તે શું હું છાબ માથે લીધા વિના જ ચાલી જઈશ? કુટુંબને એકઠું કરીને પિતાની ભાવના જણાવી. વાત સાંભળતાં જ તરવરિયા યુવાન સુરવિદે મેગ્ય અવસર પારખીને, ખમીરભર્યા સૂરથી પિતાને સૂર પૂરી, પિતાની ભાવના જાહેર કરી અને સંમતિ મળી ગઈ. સુરવિંદને મનમયૂર નાચી ઊઠ્યો. આનંદવિભેર લાલાની લાલિમા મુખારવિંદ પર ચમકી ઊઠી ! લાલા” બને છે “લાલા મહારાજ’ : માતા કમળાબેનની તબિયત લક્ષમાં રાખીને નજીકનાં જ મુહૂર્ત જોવરાવવામાં આવ્યાં. સં. ૨૦૦૦ના માગશર વદ ૧નું શુભ મુહૂર્ત નકકી થવા છતાં ય કેટલાંક સગાં-સ્નેહીજને સ્વકીય સામાન્ય સ્વાર્થને સિદ્ધ કરવા સુરવિંદને સમજાવવા લાગ્યા. પણ શાશ્વત સુખને અભિલાષી આ શૂરવીર આત્મા સંસારનાં ક્ષણિક સુખમાં અટવાય Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy