SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ શાસનપ્રભાવક સાડા છ વર્ષની ઉંમરે સં. ૧૯૮૮ના માગશર વદ ૧૧ને પુણ્ય દિને શ્રી શંખેશ્વર મહાતીર્થની છાયામાં બાલદીક્ષા મહોત્સવ ઊજવાયે. સિદ્ધચકારાધક તીર્થોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજના શિષ્ય મુનિશ્રી અરુણોદયસાગરજી બન્યા. માતા અને બહેન તથા ભાઈ પણ દીક્ષિત બન્યાં હતાં. આમ, પિતાપુત્ર ગુરુ-શિષ્ય બન્યા. મુનિશ્રી ધર્મસાગરજીએ બાલમુનિમાં સંસ્કાર સાથે જ્ઞાનવૃદ્ધિ થાય તેવા પ્રયત્ન આદર્યા. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, આદિના અધ્યયન સાથે જેનધર્મનું અગાધ જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. પરિણામે, તેઓશ્રી જૈનધર્મના ગણનાપાત્ર શાસ્ત્રવેત્તા તરીકે સિદ્ધ-પ્રસિદ્ધ થયા. “જ્ઞાન ત્રિયાખ્યાં મોક્ષ: ” એ જેનધર્મના સૂત્ર પ્રમાણે જ્ઞાન અને ક્રિયા એક જ રથનાં બે ચક્રે છે. મુનિશ્રીએ બંને ચક્રોને સુસાધ્ય બનાવી દીધાં. સં. ૨૦૨૨માં જેઠ વદ ૧૧ને દિવસે કપડવંજ મુકામે ગચ્છાધિપતિ પૂજ્યપાદ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે ગણિપદથી અલંકૃત કરવામાં આવ્યા અને સં. ૨૦૨હ્ના મહા સુદ ૩ને દિવસે સકલ સંઘની વિનંતીથી નરોડા તીર્થ—અમદાવાદમાં પૂ. ઉપાધ્યાયજી શ્રી ધર્મસાગરજી મહારાજની નિશ્રામાં પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. તે સમયે પૂજ્યશ્રીના નામમાં પણ ફેરફાર કરવામાં આવ્યું. પૂ. ગુરુદેવને “અરુણોદયસાગરને ઉચ્ચાર ફાવતું ન હતું, તેથી “પંન્યાસ શ્રી અભયસાગરજી” નામકરણ થયું. બાવાદ પરમો ધર્મઃ ” સૂત્રને સાક્ષાત્ આચરણમાં ઉતારી તેઓશ્રી વિદ્યા, જ્ઞાન અને તપમાં ખૂબ જ આગળ વધ્યા. નાના બાળક જેવી નિખાલસતા, સાચા સાધુની નિરાભિમાનીતા, સદાય સ્વસ્થ ચહેરે, ધીરગંભીર મુખભાવ, અપ્રમત્ત જીવન, શાસ્ત્રાનુસારી સાધના પૂજ્યશ્રીના ઉચ્ચ સાધુજીવનનાં સાક્ષીભૂત અંગે છે. શ્રમણજીવનની મર્યાદામાં રહીને, ટાંચા સાધને દ્વારા વિજ્ઞાન સામે જેહાદ જગાવવાની બુલંદી તેઓશ્રીના જીવનદર્શનના સુવર્ણકળશ રૂપે શોભે છે. તેમના હૈયામાં પ્રથમથી જ આ ભાવના જાગૃત થયેલી કે વિજ્ઞાનવાદે સજેલી વિસંવાદિતાને દૂર કરવા સૂર્ય-ચંદ્રની ગતિ આદિ વિશે સ્પષ્ટ જ્ઞાન મળે. ધર્માચાર્યોએ લોકોને ભરમાવ્યા નથી, શાસ્ત્રોનું જ્ઞાન હું નથી તેની ખાતરી થાય. પૃથ્વી ફરતી નથી, પણ સ્થિર છે. અને ચંદ્ર પર ઊતરેલે માનવી ખરેખર ચંદ્ર પર ઊતર્યો હશે કે નહિ, વગેરે ભૂગોળ-ખળના પ્રશ્નોને પૂજ્યશ્રીએ વિતરાગી વાણની સટતાથી અને નિર્ણાયકતાથી વ્યક્ત કર્યા. “ભૂ-ભ્રમણ શોધ સંસ્થાન” નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા સં. ૨૦૨૪થી મહેસાણામાં કાર્યરત છે. પૂજ્યશ્રીએ આ અંગે દેશવિદેશના પ્રખ્યાત વિજ્ઞાનીઓ સાથે પત્રવ્યવહાર કર્યો. પરિણામે, તેઓશ્રીને વિશ્વની અનેક સંસ્થાઓએ સભ્યપદ એનાયત ક્ય. આવી સંસ્થાઓમાં– અમેરિકાની નેશનલ જ્યોગ્રાફિકલ સાયટી, મુંબઈની એશિયાટિક સોસાયટી, દિલ્હીની ઓલ ઈન્ડિયા સાયન્સ ટીચર્સ એસોસિયેશન અને હૈદ્રાબાદની ડેકકન ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્ઝર્વેટરી જેવી જાણીતી અનેક સંસ્થાઓએ પૂજ્યશ્રીને સભ્યપદ આપીને સન્માન્યા હતા. તેઓશ્રીએ ઘણાં વર્ષો જંબુદ્વીપ, જેન ખગોળ અને આધુનિક શોધખોળે વચ્ચે શું તફાવત છે તે દર્શાવવામાં ગાળ્યાં હતાં. અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી વગેરે ભાષાઓમાં પુસ્તક પ્રગટ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy