SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ શાસનપ્રભાવક વિષયમાં પીએચ.ડી.ના પરીક્ષક તરીકે પણ તેઓશ્રીની નિમણૂક થયેલી હતી. આમ, પૂજ્યશ્રી વિદ્યાસાધનાના બહુમુખી કેન્દ્ર સમા બની રહ્યા હતા. પિતાની આ જ્ઞાનરાશિને સૌ કોઈને સરળતાથી અને સમભાવથી લાભ મળી રહે તેની તેઓશ્રી ખેવના કરતા. આ કાર્યમાં પણતા કે દીનતા રાખતા નહીં. ઊલટું, કીર્તિની કામના કર્યા વગર અન્યને ઉપયોગી થવામાં સાર્થકતા સમજતા. તેમ છતાં એટલા જ વિનયી અને વિનમ્ર રહેતા. આગમ-પ્રકાશનના પ્રથમ ગ્રંથના પ્રકાશન સમયે પૂજ્યશ્રીએ વિનમ્રભાવે કહ્યું હતું : “આ આગમે તૈયાર કરીએ છીએ તે વિદ્વાને તપાસે. તપાસીને તેમાં અલને હોય કે સંપાદનપદ્ધતિમાં દેષ હોય તે તેનું ભાન કરાવશે તે અમે રાજી થઈશું. સ્તુતિ કરનાર તે ઘણા મળે છે, પરંતુ ત્રુટિ દેખાડનારા વિદ્વાને ઓછા મળે છે. હું ઈચ્છું છું કે કઈ ત્રુટિઓ બતાવે. અમે એ લક્ષમાં લઈ ભવિષ્ય થનારાં સંપાદનમાં એને ઉપયોગ કરીશું.” આવી અનન્ય વિનમ્રતા જવલ્લેજ જોવા મળે ! પૂજ્યશ્રીના આ કાર્યની મહત્તા દર્શાવતાં પંડિતવર્ય શ્રી સુખલાલજીએ એક સ્થળે કહ્યું હતું : “મુનિશ્રી પુણ્યવિજ્યજીનું અત્યાર સુધીનું કામ ન કેવળ જેન–પરંપરા સાથે જ સંબંધ રાખે છે, અને ન કેવળ ભારતીય સંસ્કૃતિ સાથે જ સંબંધ ધરાવે છે, બલ્ક, માનવસંસ્કૃતિની દૃષ્ટિએ પણ અત્યંત ઉપયોગી છે. જ્યારે હું એ વાતને વિચાર કરું છું કે તેઓનું આ કાર્ય અનેક સંશેાધક વિદ્વાને માટે અનેકમુખી સામગ્રી રજૂ કરે છે અને અનેક વિદ્વાનોના પરિશ્રમને બચાવે છે ત્યારે એમના પ્રત્યેની કૃતજ્ઞતાથી હૈયું ભરાઈ જાય છે. એવા એ આજીવન જ્ઞાનતપસ્વી, શ્રતશીલવારિધિ, આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ મુંબઈ મુકામે કાળધર્મ પામ્યા ત્યારે અગણિત માનવસમુદાયની આંખે આંસુથી છલકાઈ ઊઠી હતી. તેમની અંતિમ યાત્રામાં દેશ દેશથી માનવ સમુદાય ઊમટયો હતે. પૂજ્યશ્રીની અનેક ગુણાનુવાદ સભાએ શહેરે શહેરમાં થઈ હતી. જ્ઞાનગા વટવૃક્ષ સમા એ મુનિવર્યને કેટિ કોટિ વંદના ! (સંકલન : સને ૧૯૭૧ના “જૈન” સાપ્તાહિક પત્રના અંકમાંથી સાભાર) સાઠથી વધુ મુમુક્ષુઓના દીક્ષાદાતાઃ “જૈન સંસ્કૃતિરક્ષક સભા ના સ્થાપક ૧૭૫ ઉપરાંત જિનમંદિરનો જીર્ણોદ્ધારક : પોતાના સમગ્ર કુટુંબને સંયમમાર્ગે વાળનાર પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ સમગ્ર ભારતવર્ષ આઝાદી માટેના નારાઓથી ગુંજતું હતું ત્યારે જિનશાસનનાં કેટલાંક તીર્થસ્થાનેને આઝાદી અને આબાદીના પંથે લઈ જવામાં અગ્રણી એવા ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજને જન્મ થયો હતે. ઉત્તર ગુજરાતનું ગામ ઉનાવા, ઊંઝા પાસેનું મીરાંદાતાર. ત્યાં પિતા નહાલચંદ અને માતા ખુશીબહેનને ઘરે સં. ૧૯૫૭ના ભાદરવા સુદ ૭ને દિવસે એક Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy