SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ શાસનપ્રભાવક બ્રહ્મચર્યની નિષ્ઠા અને તપોધર્મની તેજસ્વિતા ધારણ કરનારા નવયુગ – પ્રવર્તક, શાસ્ત્ર વિશારદ પૂ. આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી (કાશીવાળા ) મહારાજ પ્રાકૃતિક દથી નયનરમ્ય મહા નગરીમાં “શ્યામવચ્છ” જેવા પવિત્ર ખાનદાન કુળમાં રામચંદ્ર શેઠ અને કમળા શેઠાણ ઉદાર, સરળ, શીયળસંપન્ન અને જૈનધર્મના રંગે રંગાયેલાં રહેતાં. સત્વરિત કુટુંબમાં ચારિત્રશીલ સંતાન જન્મે છે અને સ્વ–પરના કલ્યાણમય કાર્યો કરીને જગતને ઊર્ધ્વગામી બનાવે છે. આવા એક પુણ્યશાળી દંપતીને ત્યાં પૂજ્યશ્રીને જન્મ થયે હતે. જન્મનામ મૂળચંદ હતું. બાળપણથી ધર્મ પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા મૂળચંદને શાળાના શિક્ષણમાં બહુ રસ પડથો નહીં, એટલે પિતાએ દુકાને બેસાડી દીધા. વેપાર-ધંધા કરતાં કરતાં મૂળચંદ સટ્ટાને રવાડે ચડી ગયા. એમાં એક વાર મોટી ખોટ ખાધી. પિતાએ ઠપકે આયે. આ આઘાતથી મૂળચંદની વૈરાગ્યવૃત્તિ જાગી ઊઠી. તે ભાવનગર આવ્યા. ત્યાં પૂ. શ્રી વૃદ્ધિવિજયજી મહારાજના વ્યાખ્યાન શ્રવણનો અવસર પ્રાપ્ત થયે. મૂળચંદ મુનિવર્યશ્રીની વાણીથી અત્યંત પ્રભાવિત થયા. તેણે દીક્ષા લેવાને અટલ નિર્ધાર કર્યો. પૂ. શ્રી વૃદ્ધિવિજયજી મહારાજ પાસે દીક્ષા લઈ મુનિ ધર્મવિજયજી બન્યા. સંસારી જીવનની તડકી-છાંયડીમાંથી મુક્ત થયેલાં પૂજ્યશ્રીએ સંયમજીવન સ્વીકારીને નિશ્ચય કર્યો કે ગુરુદેવનાં ચરણોની સેવા કર્યા વિના સૂવું નહીં; પઠન પાઠન અને દીક્ષા પાલનમાં નિરૂધમી અને નિરૂત્સાહી થવું નહીં; અસંયમનાં સ્થાને ઉપસ્થિત કરવાં નહીં; ટૂંકી દૃષ્ટિને સ્થાને જેનશાસનને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જવાની પ્રવૃત્તિઓ ચલાવવી. આવા નિષ્ઠાવાન નિર્ણયથી તેઓ બહુ જ ટૂંકા ગાળામાં ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કેષ ઉપરાંત આગમના અઠગ અભ્યાસી બની રહ્યા. સમાજમાં દીર્ઘદ્રષ્ટિ ધરાવતા દિગ્ગજ પંડિતો તૈયાર કરવાને ઈરાદે, અત્યંત પરિશ્રમ વેઠીને, કેટલાક વિદ્યાર્થીઓ અને મુનિરાજોને સાથે લઈ જઈને બનારસ (કાશી)માં પુણ્યપવિત્ર શ્રી યશોવિજયજી મહારાજ”ના નામે સંસ્કૃત પાઠશાળા સ્થાપી. આ પાઠશાળામાં સર્વ પ્રકારેને વ્યવસ્થિત અભ્યાસ આરંભાયે. તદુપરાંત, પૂજ્યશ્રીના અથાક પ્રયત્નોથી વ્યાકરણ, કાવ્ય, ન્યાય, કેષ આદિ ગ્રંથો અને વિશેષાવશ્યક જેવા આગમિક ગ્રંથનું પ્રકાશન થયું. આ ગ્રંથ વિના મૂલ્ય ભારતમાં અને પાશ્ચાત્ય દેશોમાં મકવવામાં આવ્યા. આમ, તેઓશ્રીના વરદ્ હસ્તે જેનશાસનની અભૂતપૂર્વ સેવા થઈ, એટલું જ નહિ; પણ પૂજ્યશ્રીએ પ્રગટ કરેલાં આ ગ્રંથનાં વિવરણોએ પણ સાહિત્યક્ષેત્રે અદ્ભુત પ્રભાવ પાથર્યો. દા. ત. ન્યાયના ગ્રંથે શાંકરભાષ્યના ભક્તોએ જોયા ત્યારે ખબર પડી કે મહાવીર સ્વામીને સ્વાદુવાદ સંશયવાદાત્મક નથી, પણ નિર્ણયાત્મક સત્ય છે. પારસ્પરિક કલેશે અને મિથ્યા વાગ્યુદ્ધો સમાવવા માટે સર્વથા સક્ષમ છે. તે જ પ્રમાણે, આગમિક ગ્રંથોને જોયા પછી પંડિતોને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની મર્યાદાને ખ્યાલ આવ્યું. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy