SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવા ૩૭૧ વ્યાખ્યાન ગમે તેટલું ચાલે તે ય મને સમયની યાદ અપાવશે। નહીં. અને અધ્યાત્મના સરસ વિષય શેાધીને ત્રણ સામાયિક કરતાં પણ વધુ સમય સુધી વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાન પૂરું થયું ત્યારે શેડ બેલ્યા કે, “ ગુરુ મહારાજ ! આજે અધ્યાત્મની વાર્તામાં એટલા બધા રસ પડો કે સમય કથાં પસાર થઈ ગયા તેની ખબર જ ન પડી ! ” ત્યારે ગુરુ મહારાજે (6 કહ્યું, પ્રેમાભાઈ ! તમે તા કોઈક દિવસ જ આવી અધ્યાત્મની વાતમાં રસ લેનારા, જ્યારે અમે તે રાત-દિવસ આવી ઊડી વાતામાં રસ લેનારા છીએ. અમારે સમય કાં પસાર થઈ જાય છે એની તા અમને ખબર રહેતી નથી; પણ અમને રાત-દિવસના સમય આ પડતો હાય છે એનું ઘણું દુઃખ રહે છે ! ” આ સાંભળીને પ્રેમાભાઈ અવાક્ થઈ ગયા ! એમણે પેાતાની ટીકા માટે મહારાજશ્રીની ક્ષમા માંગી. એવી જ રીતે, એક જમાનામાં મહેસાણામાં સાધુઓને સુક્કો રોટલા અને થોડુ પાણી વહોરાવવાની પ્રથા થઈ પડેલી. પિરણામે કોઇ સાધુ મહેસાણા જવાનું પસંદ કરતાં નહીં. પૂજ્યશ્રીને આ વાતની ખબર પડી. તેમણે શ્રી દેવવિજયજી મહારાજને ચાતુર્માસ માટે મહેસાણા મેાકલ્યા. એમને આજીવન આયંબીલ વ્રત હતું. તેઓ લુખ્ખા-સુક્કો નીરસ આહાર લઈને હંમેશા ભગવતીસૂત્ર સમાવતા રહ્યા. પરિણામે લેાકેાને સાધુઓના શુદ્ધ આહારપાણી, સાધુભક્તિ, સુપાત્રદાન આદિ વિષયો વિશે ઊંડી સમજણ પ્રાપ્ત થઈ. અને વહોરાવવાની પ્રથામાં ફેરફાર થયા. આવા પ્રખર ચારિત્રપાલક સાધુભગવંત મૂળચંદજી મહારાજ સ. ૧૯૪૪નું ચામાસું પાલીતાણામાં, ગિરિરાજ શત્રુંજયની છાયામાં, વીતાવતા હતા ત્યારે તેઓશ્રીની તબીયત બગડી. પગમાં ઊઠેલા ફોલ્લા મળ્યો નહીં. છાતીમાં દર્દ થવા માંડ્યુ. શ્રી વૃદ્ધિચ ંદજી મહારાજ અને ભાવનગર સંઘના આગેવાનોની વિનંતીથી શિષ્યપરિવાર સાથે ભાવનગર પધાર્યા. વૃદ્ધિચંદજી મહારાજ ખડે પગે વૈયાવચ્ચ કરવા લાગ્યા. સ. ૧૯૪૫ના માગશર વદ ને દિવસે અપેારે ૩-૨૦ કલાકે ૫૯ વર્ષની વયે પૂજ્યશ્રીએ દેહ ડચો. પ્રાંગણમાં તેમના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર કર્યાં. અને સમાધિમંદિર ધાબુ'. તેઓશ્રીને અંજલિ આપતાં મહારાજે લખ્યું છે 66 ગુરુ બ્રહ્મચારી ધર્માધારી મહાવ્રતી ગુણપાવના, પજાબપાણી સકલવાણી મહાજ્ઞાની શુભમના; શ્રી જૈનશાસન એકછત્ર સુરાજ્ય શાસક મંડના, તે મુક્તિવિજય ગણીન્દ્ર ગુરુનાં ચરણામાં હ વંદના ! Jain Education International 2010_04 ભાવનગરના સંઘે દાદાસાહેબના ત્યાં જ આ મહાન પ્રભાવકનુ શ્રી દર્શનવિજયજી ( ત્રિપુટી ) ፡ ( સ`કલન : રમણલાલ ચી. શાહ, ‘ પ્રબુદ્ધજીવન 'માંથી સાભાર. ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy