SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવા આવેલ વડગચ્છના શ્રી મુનિચંદ્રસૂરિએ દૂર ઊભા રહી શાંતિસૂરિનું ન્યાયવિષયક પ્રવચન સાંભળ્યું. શ્રી શાંતિસૂરિની અધ્યાપનપદ્ધતિએ મુનિચંદ્રસૂરિને પ્રભાવિત કર્યાં. તેઓ ૧૫ દિવસ સુધી ત્યાં આવી, દૂર ઊભા રહી, શાંતિસૂરિ દ્વારા પોતાના શિષ્યાને અપાતી પાડવાચના ગ્રહણ કરતા રહ્યા. સેાળમા દિવસે શાંતિસૂરિએ પોતાના શિષ્યની પરીક્ષા લીધી. તેમના શિષ્યામાંથી કાઇ તેમના પ્રશ્નોનું સંતાષજનક સમાધાન આપી શકયા નહિ. શ્રી મુનિચદ્રસૂરિએ નમ્રતાપૂર્ણાંક શાંતિસૂરિને આદેશ પ્રાપ્ત કરી ૧૫ દિવસના પાઠ અનુક્રમે કહી જણાવ્યા, તેથી શ્રી શાંતિસૂરિ અત્યંત પ્રસન્ન થયા. ત્યારથી શ્રી મુનિચંદ્રસૂરિએ શ્રી શાંતિસૂરિના આદેશથી ત્યાં રહી પ્રમાણુશાસ્રના અભ્યાસ કર્યો. ૫ એ વખતે પાટણમાં સુવિહિત મુનિઓને રહેવા માટે સ્થાન મળતું નહિ. ચૈત્યવાસીઓનું વસ્વ હોવાને લીધે પાટણની આસપાસ પણ સુવિહિતમાગી મુનિએ માટે સ્થાન મળવું સુલભ ન હતુ. આથી શ્રી શાંતિસૂરિના સહયોગથી શ્રાવકોએ સ્થાનીય ટંકશાળની પાછળ એક ઘરમાં શ્રી મુનિચંદ્રસૂરિને રહેવા માટે ચાગ્ય વ્યવસ્થા કરી આપી. આ સમયમાં શ્રી મુનિચંદ્રસૂરિએ શ્રી શાંતિસૂરિ પાસેથી ન્યાયવિદ્યાનું ગંભીર શિક્ષણ પ્રાપ્ત કર્યું; અને પછી આચાય હરિભદ્રસૂરિના ધર્માંબિંદુ, ઉપદેશપદ, લલિતવિસ્તરા આદિ ગ્રંથા ઉપર વૃત્તિ-૫જિકા વગેરેનું સર્જન કર્યું હતું. સાહિત્યક્ષેત્રમાં શ્રી શાંતિસૂરિની પ્રસિદ્ધિ ટીકા-ગ્રંથકાર રૂપે છે. તેમણે ઉત્તરાધ્યયનસૂત્ર પર પાચ ટીાની રચના કરી છે. આ ઉચ્ચકોટિની પ્રાકૃત ટીકા છે. આ ટીકાથી શ્રી શાંતિસૂરિના બહુમુખી જ્ઞાનનો પરિચય થાય છે. પ્રાકૃત ભાષા પરનું તેમનુ વિશિષ્ટ સામર્થ્ય પણ માલુમ પડે છે. પાઇય ટીકા ( ઉત્તરાધ્યયનની ટીકા ) જૈનસાહિત્યમાં વધારે પ્રસિદ્ધ છે. તે ઘણી સામગ્રીથી ભરેલી છે. એનાં ઘણાં પાડાંતો છે. કથાનક સક્ષિપ્ત શૈલીમાં લખાયાં છે. મૂળપાડ અને નિયુક્તિ બ ંનેની વ્યાખ્યા કરતી આ ટીકા ૧૮૦૦૦ શ્ર્લોકપ્રમાણ છે. આમાં ૫૫૭ ગાથા નિયુ`ક્તિની છે. સ્થાને સ્થાને વિશેષાવશ્યક ભાષ્યની ગાથાઓ તેમ જ દશવૈકાલિક સૂત્રની ગાથાઓના પ્રયાગ પણ કરવામાં આવ્યા છે. ભાષા અને શૈલીની દષ્ટએ આ ટીકા ઘણી ઉત્તમ છે. ઉત્તરાધ્યયન સૂત્ર પર જેટલી ટીકાઓ મળે છે તેમાં આ ટીકા શ્રેષ્ઠ છે. પં. શ્રી કલ્યાણવિજયજી ગણિના એક લેખ મુજબ, જીવવિચાર-પયરણ અને સંઘાચાર ચૈત્યવંદન મહાભાષ્ય નામના ગ્રંથો પણ આ જ શાંતિસૂરિની કૃતિ હોવાનુ મનાય છે. પ્રો. હીરાલાલ ૨. કાપડિયાના એક સંશેાધનાત્મક લેખના આધારે વાદિવેતાલ શાંતિસૂરિએ અભિષેકવિધિ ચાને પ પજિકા રચી છે, આનું સાતમું પ તે જ ‘ ગૃહચ્છાન્તિસ્તોત્ર’ છે, અ'તિમ સમયે આચાય શ્રી શાંતિસૂરિ ઉપાસક યશના પુત્ર સાઢે કાઢેલ યાત્રાસંઘ સાથે ગિરનાર પર્વત પર ગયા હતા. ત્યાં તેઓ ૨૫ દિવસના અનશનપૂર્વક વીરનિર્વાણુ સ. ૧૫૬૯ ( વિ. સ’. ૧૦૯૬ ) જેઠ સુદ ૯ ને મગળવારે સ્વર્ગવાસ પામ્યા. શ્ર. ૨૯ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy