SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ २५० તેમનુ' ગૌરવ કર્યુ. સૂરાચાયની કાવ્યરચનાથી રાજા ભાજ પહેલેથી પ્રભાવિત થયા હતા. તેમની શાસ્ત્રાની કુશળતાએ ધારાનગરીના અન્ય વિદ્વાનો ઉપર ઘણી સુંદર છાપ પાડી. એક દિવસ રાજા ભાજને જુદાં જુદાં દનાનાં વિવિધ વિધાન જોઇ એમને એક કરવાનું સૂઝયું. તેમણે યે દનાનાં તેમ જ ઉપદર્શનાના અનેક ધર્માચાર્યને લાવી એક વાડામાં પૂર્યાં અને જણાવ્યું કે—“તમે સૌ જુદો જુદો ધર્મવિધિ બતાવી જનતાને ભ્રમમાં નાખા છે. તે તમે સૌ મળીને એક એવું દર્શન બનાવા કે જનતાને ભ્રમણા ન રહે. તમે આવી વ્યવસ્થા કરશે તે જ અહીંથી છૂટી શકશેા. ” સૂરાચાય ને આ વાતની જાણ થઈ. તે રાજા ભાજને મળ્યા અને સમજાવતાં કહ્યું કે રાજન્ ! તમારી આ ધારાનગરીમાં ૮૪ પ્રાસાદ, ૮૪ ચૌટા, ૮૪ બજાર વગેરે અલગ અલગ કેમ છે? તમારા વિચાર મુજબ તા એ દરેકને એક ઠેકાણે એક કરી દેવાં જોઈ એ અને એમ કરવાથી ગ્રાહકોને ભટકવાનુ` કષ્ટ દૂર થાય. '' . શાસનપ્રભાવક 66 રાજા ભાજ હસીને મેલ્યા કે ગુરુદેવ! બધી દુકાના એક કેમ થઇ શકે ? સૌને જુદી જુદી ચીજવસ્તુ જોઇતી હાય છે. તે એક જ સ્થાને હોય તેા જબરી ભીડ થાય. મેાટી મુશ્કેલી અને પ્રતિકૂળતા સર્જાય. આથી જરૂરિયાત મુજબ જુદી જુદી દુકાના ગાઠવેલી છે. શહેરની વ્યવસ્થા અને અનુકૂળતા જાળવવા એમ કરવું જરૂરી છે. ” સૂરાચાયે મૂળ વાત પર આવતાં કહ્યું. હું રાજન્ ! પ્રજાની ભિન્ન ભિન્ન રુચિ કે જરૂરિયાતને પૂરી પાડવા માટે જેમ જુદી જુદી દુકાનો ગોઠવી છે તેમ મનુષ્યની ભિન્ન ભિન્ન બુદ્ધિ, શક્તિ અને પરિસ્થિતિ માટે અલગ અલગ ધર્મ વ્યવસ્થા પણ જરૂરી છે. દયાથી જૈનધમ પાળે, રસાી કાલધર્મ પાળે, વ્યવહારપ્રધાન વેદધર્મને માને, અને મુક્તિવાંછું નિરંજન દેવની ઉપાસના કરે. આવા માનવસંસ્કારા ચિરકાળથી પ્રવર્તે છે. તેના ઉચ્છેદ કઈ રીતે ઇષ્ટ ગણાય ? ’” રાજા ભેજ નિરુત્તર બન્યા. ગુરુદેવની વાત તેને સ્પર્શી ગઈ. બધા ધર્માચાર્યે ને મુક્ત કર્યા. એક વખત રાજા ભાજ દ્વારા રચિત વ્યાકરણમાં અશુદ્ધિઓ બતાવી સૂરાચાયે વિદ્વત્ સભામાં તેમના ઉપહાસ કર્યાં. આથી રાજા ભોજ કુપિત થયા. આ કોપનુ ભય'કર પરિણામ સૂરાચાય ને ભાગવવું પડે તેમ હતું, પરંતુ વિ ધનપાલે વચ્ચે પડી સૂરાચાર્ય ને બચાવી લીધા અને ગુપ્તપણે કુશળતાથી તેમને ત્યાંથી રવાના કરી દીધા. પ્રભાવચરિત્રકાર કહે છે કે, સૂરાચાય પાટણ પધાર્યાં ત્યારે રાજા ભીમદેવ અને સૂરાચાયે કર્યાં હતા. ગુરુ દ્રોણાચાય પણ શિષ્યના સુખરૂખ અત્યંત પ્રસન્ન થયા હતા. 6 સાહિત્યક્ષેત્રે શ્રી સૂરાચાય ની રચના અલ્પ હોવા છતાં મહત્ત્વપૂર્ણ છે. વ, સ ૧૦૯૦ માં તેમણે ગદ્ય-પદ્યમય નેમિનાથચરિત્ર ’ની અને ઉચ્ચકેટની ઐતિહાસિક · નાભેયનેમિદ્વિસ'ધાન કાવ્ય'ની રચના કરી હતી. શ્રી સૂરાચાય કુશળ વાચનાદાતા હતા, તેથી તેમના અનેક શિષ્યા વાદકુશળ બન્યા હતા. અને અનેક ભાવિકા શિષ્ય બન્યા હતા. આ રીતે શાસનની Jain Education International. 2010_04 ભાજરાજાની પડિતસભા પર વિજય મેળવી ખ'નેએ હાથી પર બેસીને પાટણમાં પ્રવેશ આગમન અને વિજયના સમાચાર જાણી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy