SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ *૧૦ શાસનપ્રભાવક 6 ' એટલી ખૂબીથી થયું કે અપ્પભટ્ટસૂરિ અને આમ રાજા સિવાય આ કથનના રહસ્યને કોઈ ' રાજાના આગમનની વાત જાણી ન શક્યું. ત્રીજા દિવસે બપ્પભટ્ટિસૂરિએ સભાની વચ્ચે ‘આમ સપ્રમાણ કહી બતાવી. રાજાધરાજે પણ સત્ય હકીકત જાણી, આચાર્યશ્રીને વિહાર કરવા સમતિ આપી. આથી શ્રી બપ્પભટ્ટિસૂરિ ત્યાંથી વિહાર કરી કાન્યકુબ્જ (કનાજ ) પધાર્યા. આચાર્ય સિદ્ધસેનસૂરિ એ વખતે વૃદ્ધ થઈ ગયા હતા. શિષ્ય બપ્પભટ્ટને કનાજથી પેાતાની પાસે ખેલાવી ગણના સારાયે ભાર તેમને સોંપ્યા અને પોતે અનશન લઈ સ્વર્ગ વાસ પામ્ય!. આચાય અપ્પટ્ટિસૂરએ પણ તે પછી જ્યેષ્ઠ ગુરુબંધુ શ્રી ગેાવિંદસૂરિ અને શ્રી નન્નસૂરિને ગચ્છ ભળાવી આમ ’રાજાની વિનતિથી કનાજ પધાર્યાં. એક વાર ‘ આમ ' રાજાને બપ્પભટ્ટસૂરિના ચારિત્રધર્માંની કસેટી કરવાનું મન ક્યું. એક રાત્રે તેણે એક ગણિકાને પુરુષવેશ પહેરાવી બપ્પભટ્ટસૂરિ પાસે મેાકલી. બપ્પભટ્ટસૂરિ તા હતા. ગણિકા અવાજ કર્યાં વગર અપ્પટ્ટિસૂરિ સૂતા હતા ત્યાં પહોંચી અને તેમનાં ચરણની સેવા કરવા લાગી. સ્ત્રીના કોમળ હાથના સ્પર્શે . બપ્પભટ્ટિસૂરિ જાગી ગયા અને તરત જ ઊભા થઈ ખેલ્યા કે~~ “ વાયુથી તૃણુ ઉડાડી શકાય છે પણ મેરુપર્યંત કંપાયમાન થતા નથી. તું જે માગે થી આવી છે તે માગે કુશળતાપૂર્વક પાછી ચાલી જા, તેમાં જ તારું કલ્યાણુ છે. ” આ સાંભળીને ગણિકા ઝંખવાઈ ને ચાલી ગઈ અને સવારના આમ 'રાજા પાસે જઈને ગણિકા બેલી કે— રાજન્ ! આચાર્ય અપ્પભટ્ટ પેાતાના વ્રતમાં મેરુની જેમ દૃઢ છે. તેમનું મન મારા હાવભાવથી જરા પણ ચલાયમાન થયું નહિ. ’ હું આમ 'રાજા શ્રી અપ્પટ્ટિસૂરિના દેઢ ચારિત્રખળની આ વાત સાંભળી અતિ પ્રસન્ન થયેા. પણ તેમનાં દર્શન કરવા જવામાં તેને હવે ખૂબ સકોચ થવા લાગ્યા. આચાય વ્પભિટ્ટસૂરિએ આવીને તેમના સોચ દૂર કરવા કહ્યું કે- - રાજન્ ! વધારે વિચાર કરવાની કંઈ જરૂર નથી. રાજાને સર્વ પ્રકારે પરીક્ષા કરવાના અધિકાર છે. ’’ એક વખત રાજા ધરાજના નિમંત્રણથી, ‘ આમ રાજા તરફથી આચાય બપ્પભિટ્ટસૂરિ અને રાજા ધરાજ તરફથી બૌદ્ધ વિદ્વાન વનકુંજરના છ મહિના સુધી શાસ્ત્રાર્થ થયા. અને રાજાએ હાજર હતા. અંતે આચાય બપ્પભટ્ટિના વિજય થયા. શાસ્ત્રામાં જય મેળવવાથી તેમને ‘ વાદિકુ જરકેસરી'નું બિરુદ અપાયું. આ પ્રસંગ પછી આચાર્ય અભિટ્ટના સમજાવવાથી ‘ આમ ’રાજા અને ધર્મરાજ વચ્ચે ઘણા જૂના વૈરનું શમન થયું. આને લીધે જૈનધર્મના મેટા મહિમા થયા. રાજા પહેલેથી પ્રભાવિત અંગીકાર કરવાની પ્રેરણા મથુરાના વાતિ નામે સાંખ્યયોગીના મંત્રપ્રભાવથી આમ થયા હતા. એક વખત અપ્પભટ્ટિસૂરિએ ‘ આમ ’રાને જૈનધર્મ આપી. ઉત્તરમાં ‘ આમ ’રાજાએ કહ્યું કે—‹ આપે વિદ્યાબળથી મારા જેવાને પ્રભાવિત કરવાનું કાર્ય કર્યુ છે, પણ આપની શક્તિ ત્યારે જાણી શકાય કે આપ જ્યારે મથુરાના વાતિ ચોગીને મેધ પમાડી જૈન બનાવા. "" " આમ ’ રાજાનાં આ વચનેથી બપ્પભટ્ટિસૂરિએ મથુરા તરફ પ્રયાણ કર્યું. ત્યાં પહોંચી Jain Education International. 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy