SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવા ૧૯૧ C ત્યાં બૌદ્ધભિક્ષુ નંદ સાથે રાજસભામાં શાસ્ત્રાર્થ થયે. શ્રી મલ્લવાદીસૂરિએ ‘ નયચક્ર ’ના આધારે શાસ્ત્રા શરૂ કર્યાં. છ મહિના સુધી શાસ્ત્રાર્થ ચાલ્યા. છેવટે શ્રી મલ્લવાદીસૂરિના વિજય થયા. જૈનશાસનનુ ગૌરવ પુનઃ સ્થાપિત થયું. આથી સમસ્ત સ ંઘમાં આનંદ આનંદ છવાઈ ગયા. રાજાએ પણ ઘણી પ્રસન્નાપૂર્યાંક આચાર્યશ્રીને અજેયવાદી 'નુ બિરુદ અણુ કર્યુ અને ઔદ્ધભિક્ષુ નંદને ભરૂચમાંથી ચાલ્યા જવાને આદેશ આપ્યા. પણ, ઉદાર અને દયાવાન શ્રી મલ્લવાદીસૂરિએ રાજાને કહી એ આદેશ બંધ રખાવ્યેા. શ્રી જિનાનંદસૂરિ આ વાત જાણી સંઘસહિત વલભીથી ભરૂચ પધાર્યા, તેને ઘણા જ બહુમાનપૂર્વક નગર–પ્રવેશ થયા. સાધ્વી દુલ ભદેવી પણ પુત્ર-સૂરિના વિજયથી પ્રસન્ન થયાં. ગુરુશ્રી જિનાનંદસૂરિએ ઘણા હ પૂર્વક આશિષ આપ્યા અને ગચ્છના ભાર યથાયેાગ્ય એવા શ્રી મલ્લવાદીસૂરિને સોંપ્યા. પ્રબંધચિ'તામણિ ' પ્રમાણે શ્રી મલ્લવાદીને આ શાસ્ત્રાર્થ બૌદ્ધો સાથે વલભીમાં રાજા શિલાત્યિની સભામાં થયાના ઉલ્લેખ છે. વળી, શ્રી જિનાનંદસૂરિના પરાભવની વાત મલ્લવાઢીને માતા દુર્લભદેવી દ્વારા જાણવા મળી હતી. અને સાથેાસાથ એ પણ જાણવા મળ્યું કે— 'तीर्थं शत्रुजयाहूवं यद् विदितं मोक्षकारणम् । (6 ચૌàમૂતવિષ્ઠિતમ્ ॥ ૨૨ ॥ " ( श्वेताम्बरा- भावतस्तद् ( અર્થાત્, જેનું મુખ્ય તીર્થ શત્રુંજય હતું, તે તીથ બૌદ્ધોના કબજામાં હતુ'. તેના પર તે વખતે જેનાના અધિકાર રહ્યો ન હતા. ) માતાની આ વાત સાંભળી મલ્લવાદીસૂરિએ પ્રતિજ્ઞા કરી કે 'नोन्मूलयामि चेद बौद्धान् नदीरय व द्रुमान् । भवामि સર્વજ્ઞભ્રંશ—પાત માનનમ્ ॥ ૨૬ ॥ तदा ,, " આ આકરી પ્રતિજ્ઞા સાથે મલ્લવાદીસૂરિએ કોઇ ગુફામાં ઘેર તપ કર્યું. તપના પ્રભાવથી પ્રગટ થઈ દેવીએ મલ્લવાદીસૂરિની બુદ્ધિની પરીક્ષા કરી. પરીક્ષામાં ઉત્તીણ થયેલા મલ્લવાદીને દેવીએ પ્રસન્ન થઇ કહ્યું કે, · મૂચઃ પરમત્તાપદ: ' ( તમે પરમતના વિજેતા બનો. ) દેવી પાસેથી આવા પ્રકારનું વરદાન પામી, ન્યાયવિદ્યામાં પ્રવીણ બની મલ્લાવાદીસૂરિએ વલભીમાં ઔદ્ધભિક્ષુ નંદ સાથે શાસ્ત્રા કર્યાં અને વિજય મેળવ્યેા. આ શાસ્ત્રાર્થ ‘ વિજયસિંહસૂરિ પ્રબંધ ” મુજબ વીરનિર્વાણુ સં. ૮૮૪ (વિ. સ. ૪૧૪)માં થયેા હતે. k ( આચાર્યશ્રી મલ્લવાદીસૂરિ વાદ્યકુશળ હતા, તેમ જ સમર્થ સાહિત્યકાર પણ હતા. તેમના દ્વારા રચાયેલા ત્રણ ગ્રંથાના ઉલ્લેખ મળે છે : ૧. દ્વાદશાર નયચક્ર, ૨. ૨૪ હજાર શ્લેાકપ્રમાણ પદ્મચરિત્ર, ૩. સન્મતિતક ટીકા. આ ત્રણ ગ્રંથામાં અત્યારે ફક્ત દ્વાદશાર નયચક્ર ગ્રંથ મળે છે. તે તર્ક ન્યાયવિષયક ઉત્તમ ગ્રંથ છે, ‘ નયચક્રશાસ્ત્ર ’ગ્રંથ ૧૩ વિભાગમાં વહેચાયેલા છે. શરૂઆતમાં ૧૨ ભાગમાં વિધિનિયમથી ઉત્પન્ન થતાં ૧૨ નયાનુ વર્ણન છે, જે આ શાસ્ત્રના ૧૨ આરા રૂપે છે અને એ જ કારણે આ શાસ્ત્રનુ નામ દ્વાદશાર નયચક્ર પણ છે. ૧૩મા ભાગમાં ૧૨ નાનુ સંચેાજન Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy