SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શાસનપ્રભાવક આર્યરક્ષિત બોલ્યા કે –“હે પ્રભો! હું તે આચાર્ય શ્રી સલિપુત્ર પાસેથી આવું છું.” એ સાંભળી વાસ્વામી સૂરિ બોલ્યા–“શું તમે આર્ય રક્ષિત છે? શેષ પૂર્વેને અભ્યાસ કરવા અહીં અમારી પાસે આવ્યા છે? પણ પાત્ર–સંથારો વગેરે તમારાં ઉપકરણો ક્યાં? તે લઈ આવે. આજે તમે અમારા અતિથિ છે તેથી ગોચરી વહેરવા ન જશે. અહીં જ આહાર-પાણી કરીને અધ્યયન શરૂ કર.” એટલે મુનિ આર્ય રક્ષિત કહેવા લાગ્યા–“હું બીજા ઉપાશ્રયમાં ઉતર્યો છું. તે આહાર–પાણી અને શયન ત્યાં જ કરીશ.” ત્યારે વાસ્વામી બાલ્યા–“અલગ રહેવાથી અભ્યાસ કેમ થઈ શકે ? ” એટલે મુનિ આર્યરક્ષિતે શ્રી ભદ્રગુપ્તસૂરિએ કહેલ વચન કહી સંભળાવ્યું. ત્યારે “અહો, એમ છે! ” એમ બોલતાં વાસ્વામીએ શ્રતમાં ઉપગ મૂક્યો. પછી તેમણે જણાવ્યું કે—મારી સાથે આહાર અને શયન કરવાથી ગુરુના કહ્યા પ્રમાણે સાથે અંત થાય, એ વચન સૂરિમહારાજ ઉચિત બોલ્યા છે માટે હવે તેમ જ થાઓ.” પછી શ્રી વાસ્વામી સૂરિ તેમને પૂને અભ્યાસ કરાવવા લાગ્યા. એમ કરતાં દસમા પૂર્વને અર્ધભાગ શરૂ કર્યો. એમાં મુશ્કેલીથી અભ્યાસ કરી શકાય તેવા ભાંગા, દુર્ગમ ગમક, દુષ્કર પર્યાય અને સમાન શબ્દોના જવિક હતા. તેના વીશ જવિકને અભ્યાસ કરી લીધે; પરંતુ અભ્યાસ કરતાં તેમને ભારે શ્રમ પડવા લાગે. આ બાજુ આર્ય રક્ષિતમુનિની માતા રુદ્રસેને વિચારવા લાગી કે –“અહો ! વિચાર વિના કામ કરવા જતાં મને પિતાને જ તેના પરિણામે પરિતોષ રૂપ ફળ મળ્યું. હદયને આનંદ આપનાર આર્ય રક્ષિત સમાન પુત્ર મેં હાથે કરીને મોકલી દીધે. માટે તેને બેલાવવા હવે ફલ્લુરક્ષિતને મોકલું.” એમ ધારીને તેમણે સરળ એવા સોમદેવ પુરોહિતને પૂછ્યું, ત્યારે તે બે કે, “હે ભદ્ર! તારું કહેલ મને પ્રમાણે છે, માટે તેને યોગ્ય લાગે તેમ કર.” પછી તેણે પિતાના બીજા પુત્રને મોકલતાં ભલામણ કરી કે, “હે વત્સ! તું તારા ભાઈ પાસે જા અને મારું કથન તેને નિવેદન કર કે, માતાએ તેને બંધુસમાગમથી રહિત કરી મોહ તજા, પરંતુ વાત્સલ્યભાવને તે જિનેશ્વરેએ પણ માન્ય કરેલ છે. કારણ કે ગર્ભમાં રહેલા શ્રી વીરપ્રભુએ પણ માતાની ભક્તિ સાચવી. માટે હવે સત્વરે આવીને માતાને તારું મુખ બતાવ, નહિતર મારે પણ તારા માર્ગને આશ્રય લેવું પડશે અને તે પછી તારા પિતા અને પુત્ર-પુત્રી વગેરે માટે પણ એ જ રસ્તો છે. વળી તારે કદાચ સ્નેહભાવ ન હોય તે ઉપકારબુદ્ધિથી એક વાર હર્ષપૂર્વક આવીને મને કૃતાર્થ કરે. હે વત્સ ! માર્ગ અને દેહમાં યત્નયુક્ત થઈને તું જા અને પ્રમાણે કહેજે. તારા ભાગ્ય પર અમે જીવનારા છીએ.” માતાનું વચન સાંભળીને નમ્ર ફશુરક્ષિતે પિતાના બંધુ મુનિ આર્ય રક્ષિત પાસે જઈને તેને માતાનું કથન કહી સંભળાવ્યું કે, “માતાને વિશે વત્સલ તારા જે બંધુ કે હશે? કારણ કે કુળલજજાને લીધે તારા પિતાએ તે મને કંઈ પણ આકેશવચન સંભળાવ્યું જ નથી. તે હે વત્સ ! તું સત્વરે આવે અને તારું મુખ મને બતાવ. તારા દર્શનામૃતથી તૃપ્ત થઈ હું તૃષ્ણારહિત થાઉં. હે બંધ ! આપણી માતા રુદ્રમાએ મારા મુખથી તને એ પ્રમાણે કહેવરાવ્યું છે, માટે કૃપા કરીને તમે સત્વરે ચાલે.” આ કથન સાંભળી શ્રી આર્ય રક્ષિતમુનિ Jain Education International 2010.04 . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy