SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતે-૧ દશનશુદ્ધિ અને ચારિત્રશુદ્ધિનો સિંહનાદ કરનારા સમગ્ર પરિવારને વિરતિધર્મનું પ્રદાન કરનારા શ્રમણરન : - સાધુઓની દિનચર્યા સાધનારૂપ હોય છે. સાધુ પિતાની દરેક ક્ષણ આરાધના માટે વાપરે છે. વિરાધનામાંથી બચાવવા મનવચનકાયાથી પવિત્ર થવા માટે, દર્શન–જ્ઞાન–ચારિત્રની વૃદ્ધિ માટે શુદ્ધિ માટે વાપરે છે. સાધુ જ્યણા-જીવદયા પાળવા માટેના પુરુષાથી હોય છે. જે વિરાધના થાય તે તેનું મન-વચન કાયાથી પ્રાયશ્ચિત્ત કરે છે. સાધુ સંસારમાં જળકમળવત્ રહેવા માટે અપ્રમત્તપણે ઉદ્યમ કરે છે. સાધુઓની આ દિનચર્યા પ્રાચીન કાળમાં ખૂબ જ આદર્શ ભૂત હતી ત્યારે દિનચર્યાને મોટો ભાગ જ્ઞાનાર્જન અને જ્ઞાનદાનમાં જ પસાર થતે. આમ છતાં, આજના શ્રમણ સમુદાયની જીવનચર્યા પણ ઠીક ઠીક પ્રેરક રહી છે. આવશ્યક ક્રિયાઓમાં સવારસાંજ પ્રતિક્રમણ અને પ્રતિલેખન (વપરાશમાં આવતાં વ આદિનું જીવદયાની દષ્ટિએ નિરીક્ષણ), દર્શન, સ્વાધ્યાય, વિહાર, ધર્મોપદેશ આદિ આવી શકે. સદાય અધ્યાત્મની મસ્તીમાં જ રાચતા હોય એવા સાધુએ શાસનનાં સાચાં ઘરેણાં છે ! તપનો મહિમા અને શાસનના શણગાર સમા તપસ્વી શ્રમણ : તપ એ સાધુજીવનને પ્રાણ છે. તપ અને સાધુજીવન એ એક સિક્કાની બે બાજુઓ છે. તપ એટલે ઉપવાસ-આયંબિલ આદિ એ વ્યાખ્યા સાચી હોવા છતાં પૂરતી નથી. જેનદર્શને તપને બાર પ્રકારમાં વર્ણવેલ છે. એની વિગતે રસપ્રદ અને પ્રેરક છે. સાધુજીવનમાં એ બારેબાર કે બારમાંના કેઈ પણ એકની બહલતા જોવા મળતી હોય છે. તેથી જેનશાસનમાં તપ અને તપસ્વીઓની ઉજજવળ પરંપરાને વિશાળ પ્રવાહ અખલિતપણે વહેતો જ રહ્યો છે. પર્યુષણ જેવાં પર્વોમાં તે આ તપસ્યાઓ સોળે કળાએ ખીલી ઊઠે છે. દેવ-ગુરુ-ધર્મની વાસ્તવિક સમજણ : સુદેવ-વીતરાગ, નિરંજન, નિરાકાર એ જ દેવ. સુગુરુ-ત્યાગી, તપસ્વી, પંચ મહાવ્રતધારી એ જ ગુરુ. સુધર્મ-અહિંસામૂલક ધર્મ એ જ ધર્મ દેવ-ગુરુ-ધર્મની સાચી સમજણ ઉપર જ મોક્ષમાર્ગને પ્રયાસ આધારિત છે. જેનામાં રાગદ્વેષ ન હોય એ દેવ ગણાય. રાગદ્વેષ જીતવા જેઓ કટિબદ્ધ હોય એ ગુરુ ગણાય. અને જે અહિંસામૂલક હોય તે ધર્મ ગણાય. ટૂંકમાં, જે વીતરાગ હોય તે દેવ. વીતરાગતાને પામવા જે વિરાગી બને તે ગુરુ અને વિરાગ વિકસાવી વીતરાગતા તરફ પ્રયાણ કરાવે તે ધર્મ. આવા દેવ-ગુરુ-ધર્મ જ સાચા ગણાય. આ જાતની અનુપમ શ્રદ્ધાને જૈનદર્શન “સમ્યદર્શન” તરીકે ઓળખાવે છે. અને આવા સમ્યક દર્શનને પાયાના ગુણ તરીકે ઓળખવામાં આવે છે. આ ગુણપૂર્વકની નાનકડી ધર્મક્રિયાને ખૂબ જ કીમતી ગણવામાં આવી છે. આ ગુણની ઉપેક્ષાપૂર્વકની Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy