SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શાસનપ્રભાવક સ્મરણ કરતાં કહ્યું કે–“ભક્તિમાન, શક્તિમાન, મહામતિ, મહાઅમાત્ય શાકડાલ ઇન્દ્રના મંત્રી બૃહસ્પતિની જેમ મારા મહામંત્રી હતા. દૈવયોગે તે આવી રીતે મૃત્યુ પામ્યા. આજે હું શું કરું? તેના વિના હું મારી સભાને શૂન્ય હોય એમ માનું છું.” નંદ રાજાના આ શબ્દોએ સર્વ સભાસદોને મેહથી વિહ્વળ કર્યા. જ્યારે આ બાજુ, સ્થૂલિભદ્રની વિરહવ્યથાથી કેશા પણ ઉદાસ રહેવા લાગી. તે આકંદ કરવા લાગી. મહાઅમાત્ય શ્રીયક રાજકાર્યમાં વ્યસ્ત રહેવા છતાં ગણિકા કેશને ધેય આપવા માટે તેની પાસે જતે ગણિકા કશા મંત્રી શ્રીયક પાસેથી સાત્વિક બોધ પ્રાપ્ત કરીને આશ્વાસન પામી દિવસે પસાર કરતી હતી. વરચિની કપટપૂર્ણ નીતિ સર્વની સામે સ્પષ્ટ થઈ ગઈ હતી. પકડાલના મૃત્યુ પછી વરચિ સ્વછંદવિહારી થઈને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. ઉપકેશાના ભવનમાં તેનું નિર્વિઘ આવાગમન શરૂ થઈ ગયું હતું. ખરાબ કાર્યનું પરિણામ અંતે અકલ્યાણકર જ આવે છે. મદિરાપાનના અતિસેવનથી વરરુચિનું દુઃખદ મરણ થયું. સંસારવિરક્ત અમાત્યપુત્ર સ્થૂલિભદ્રનાં ગતિશીલ ચરણે આચાર્ય સંભૂતિવિજય પાસે પહોંચ્યા. તેમની પાસે વિરનિર્વાણ સં. ૧૪૬માં દીક્ષા લીધી. મુનિજીવનમાં પ્રવેશ પામી યૂલિભદ્રજી સર્વના પ્રીતિપાત્ર બન્યા. તે વખતે તેમની વય ૩૦ વર્ષની હતી. આચાર્ય શ્રી સંભૂતિવિજયની મુનિમંડળીમાં શ્રી સ્થૂલિભદ્ર મુનિ વિનયવાન, ગુણવાન અને બુદ્ધિમાન મુનિ હતા. તેમણે આચાર્ય શ્રી સંભૂતિવિજય પાસે આગમ સાહિત્યનું ગંભીર અધ્યયન કર્યું. એક વખત વિનયવાન–ગુણવાન શ્રી સ્થૂલિભદ્ર મુનિએ પૂર્વપરિચિત કેશા ગણિકાના હિતની દ્રષ્ટિથી તેના ભવનમાં ચાતુર્માસ કરવાની ઇચ્છા ગુરુ સમક્ષ વ્યક્ત કરી. આચાર્યશ્રી સંભૂતિવિજયે “તથાસ્તુ” કહી સ્વીકૃતિ આપી. શ્રી સ્થૂલિભદ્ર મુનિ પિતાના સંકલ્પિત લક્ષ્ય તરફ ચાલ્યા. તેઓ કેશાની એ ચિત્રશાળામાં પહોંચ્યા કે જ્યાં તેમણે પહેલાં બાર વર્ષ વિષયોમાં પસાર કર્યા હતાં. કેશાએ શ્રી ટ્યૂલિભદ્ર મુનિનું સ્વાગત કર્યું. શ્રી ટ્યૂલિભદ્રમુનિએ ચિત્રશાળામાં ચાતુર્માસ કરવાની અનુજ્ઞા માગી. કેશી બોલી કે—“પ્રાણનાથ! આજે આપના આગમનથી હું ધન્ય બની. આ ચિત્રશાળા આપની જ છે આપ હર્ષપૂર્વક તેમાં નિવાસ કરે.” ગણિકા કેશાની અનુજ્ઞાથી ચિત્રશાળામાં મુનિ સ્થૂલિભદ્રના ચાતુર્માસને પ્રારંભ થયો. લોકેની દષ્ટિમાં જે કામસ્થલ હતું તે ધર્મ સ્થલ બની ગયું. કેશ સ્થૂલિભદ્રમુનિ માટે પ્રતિદિન ષટ્રસ ભેજન તૈયાર કરતી હતી. મૂલ્યવાન આભૂષણો પહેરી તેમની સામે આવતી હતી. વિવિધ ભાવોની રચના કરીને તેમની સામે નૃત્ય કરતી હતી. પૂર્વના ભાગોને યાદ કરાવી તેમને મુગ્ધ બનાવવા પ્રયત્ન કરતી હતી. પરંતુ શ્રી ધૂલિભદ્રમુનિ પિતાનાં વ્રતમાં હિમાલયની જેમ અચલ હતા. તેમની મુખમુદ્રા પર બ્રહ્મચર્યનું તેજ ચમકતું હતું. કેશાનાં કામબાણ નિષ્ફળ નીવડ્યાં. તે શ્રી સ્થૂલિભદ્રમુનિની સંયમસાધના સામે નમી પડી અને એક દિવસ મસ્તક નમાવી કહેવા લાગી કે – હે મુનિવર ! મને ધિક્કાર છે. મેં આપને આપના વ્રતથી ચલાયમાન કરવા માટે જે જે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy