SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ કાયોત્સગ ધ્યાન ગાથા-૭ અહીં પાંચમા ગાંગ “રૂપી દ્રવ્યાલંબનરહિત” એટલે “નિરાલંબનને ઉપગ રાખવાનું છે. અહીં નિર્વિકલ્પ ચિન્માત્રસમાધિ હોય છે. અહીં અમનસ્ક અથવા ઉન્મના દશા છે, એટલે અહીં નથી મન, નથી માત્રા, નથી કાલ, નથી દેશ, નથી દેવતા, નથી સાંસારિક–પ્રપંચને કોઈ પણ અંશ. આ શુદ્ધચિદાનંદભૂમિ છે. આ પરમ લક્ષ્ય છે. પરમાત્મા સાથે “અભેદ પ્રણિધાનના કારણે અંતરાત્મભાવ અનેક ચંદ્રોથી વધારે નિર્મલ, અનેક સૂર્યોથી વધારે તેજસ્વી અને દુવિય, અનંત અપાર અને ગંભીર છે. અહીં ભાવસિદ્ધોની સામ્યવસ્થા નિગૂઢ અર્થવાળી અને દુર્વિગ્રાહ્યા હોય છે. તેથી સાધકને સામ્યવસ્થાને જે પ્રતિભાસ થાય છે, તે ગંભીરતાના વિષયમાં સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ અધિક ગભીર જણાય છે. અંતરાત્મભાવમાં પ્રગતિ સાધતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યાર પછી જે સ્વાભાવિક અને સહજ સ્થિતિ મેક્ષની છે, તેની જ યાચના કરાય છે. પાંચમી ગાથા અનુસાર પ્રાયશ્ચિત કર્યા પછી “મિથ્યાત્વશલ્યન કાંઈ અંશ રહ્યો હોય તેને અહીં નાશ થાય છે. છઠ્ઠી ગાથા અનુસાર વિશુદ્ધિ કર્યા પછી “માયાશલ્યને કાંઈ અંશ રહ્યો હોય તેને પણ અહીં નાશ થાય છે અને સાતમી ગાથા અનુસાર વિશલ્યીકરણ કર્યા પછી “નિદાનશલ્ય જે સૌથી છેલ્લે જાય તેને પણ નાશ થાય છે, એટલે પૂર્ણ વિશલ્યીકરણ થાય છે. પાપકર્મોનું અહીં નિશ્ચંતન થાય છે. “પરતત્ત્વ-સમાપત્તિને લઈને મહાપથપ્રયાણુ” શરૂ થાય છે અને અંતે એક્ષ-સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy