SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સ્મરણવડે ધ્યાન કરવામાં આવે છે. પ્રણિધાન* માટેની ગાથા કહે છે. " ‘લાગસ’–સૂત્રની સાતમી ગાથામાં નિરાલંબન ધ્યાન છે. ઈંદ્રિય અને મનના સ્રોત રોકાઈ જવાથી જે શુદ્ધ ચૈતન્યને અનુભવ બાકી રહે છે, તે નિરાલંબન ધ્યાન ’ છે. એકાગ્રતા અથવા માનસિક ધ્યાનમાં કોઈ ને કોઈ આલંબન રહ્યા કરે છે, પછી ભલે ને તે સ્થૂલ હોય કે સૂક્ષ્મ હાય. નિરાલંબન ધ્યાનમાં મનની ક્રિયા નિરુદ્ધ થઈ જાય છે અને શુદ્ધ ચૈતન્યના દીપ પ્રદીપ્ત થાય છે. નિરાલંબનના અર્થ અહીં નિશ્ચયના સ્થાને નિશ્ચયનય સાપેક્ષ સમજવા. અહીં સૂક્ષ્મ આલેખન હોવા છતાં અપેક્ષાએ તેને નિરાલંબન કહે છે. આ કાર્યાત્સગ ધ્યાન ત્રણ ગાથાઓને શાસ્ત્રમાં સામન ધ્યાનમાં ધ્યાતા અને ધ્યેય ભિન્ન હેાય છે. નિરાલંબન ધ્યાનમાં ધ્યાતા યેય અને ધ્યાન એ ત્રણેની અભિન્નતા હોય છે. < કાર્યોત્સર્ગધ્યાનમાં કેટલાક આગારાની છૂટ રાખવા માટે અન્નત્થ સૂત્રના પાઠ ભણવા પડે છે. તેમાં પ્રાણની ગતિ, વાત, પિત્ત અને કફના સંચાર તથા સૂક્ષ્મ ક ંપન કે હલન-ચલન ઇત્યાદિ સાહજિક ક્રિયાએ હેાવાથી, જેના ઉપર મનુષ્યને કાબૂ રહેતા નથી—તે બાર આગારાની છૂટ રાખવામાં આવે છે. આ રીતે બાર નૈસર્ગિક ક્રિયાઓ અને ચાર ઉપસર્ગરૂપ આકસ્મિક ક્રિયાએ મળીને સાળ માખતાની છૂટ કાયેત્સર્ગમાં રખાય છે; એટલે તેમાંની કેાઈની ઉપસ્થિતિ થવાથી કાર્યાત્સગને ભગ્ન કે વિરાધિત માનવામાં આવતા નથી. આ આગારે કે અપવાદ સિવાય સર્વ પ્રકારની કાયિક-વાચિક-પ્રવૃત્તિઓ અને ચોક્કસરૂપના ધારેલા ધ્યાન સિવાયની માનસિક સર્વ પ્રવૃત્તિઓ છેડી દેવાની હોય છે એટલે કે સ્થાનવડે, મૌનવડે અને ધ્યાનવડે સ્થિર થવાનું હોય છે. C Jain Education International 2010_03 આ પ્રકારે કાયાનું વ્યુત્સર્જન કરવાનું હોય છે એટલે તેનું મમત્વ હેાડવાનું હોય છે અને કાર્યોત્સર્ગધ્યાન સમયે ‘લેગર્સ ’–સૂત્રના પાઠનું અથવા કોઈ શાસ્ત્રપાડનું સ્મરણ કે ધ્યાન કરવાનું હોય છે. * ‘પ્રણિધાન' એટલે ધ્યેય પ્રત્યેની એકાગ્રતા, ધ્યેય પ્રત્યેની અટલ શ્રદ્ધા કે ધ્યેયને પહેાંચવાની અપૂર્વ આત્મશ્રદ્ધા-એવા અથ થાય છે. પર ંતુ પ્રસ્તુત સ્તવ અંગે પ્રણિધાન 'આશંસા અર્થાત્ તીર્થંકર પ્રસાદાદની તીવ્ર અભિલાષાના અથમાં છે. ( જુએ : લલિત વિસ્તરા, ગુ. અનુ. ભાગ-૨; પૃ૦ ૧૪૫ ). " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy