SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૧૩ કરતાં ચારિત્ર પાળનાર સાધુને જઘન્ય પરિણતિએ પણ અસંખ્યગુણ નિર્જરા હોય અને ઉત્તરોત્તર ગુણસ્થાનકમાં અસંખ્ય ગુણ અસંખ્યાતગુણી નિજા હોય છે. એમ ચોથે, પાંચમે, છઠે વગેરે ગુણસ્થાનકે રહેલ જીવ પૂર્વ પૂર્વ કરતાં અનેકગુણ અનંતગુણ વિશુદ્ધિવાળા હોય છે. છતાં પ્રથમ સમકિત પામનાર જીવને સઘળાં દુઃખોમાંથી છોડાવનાર જ્ઞાનાદિ ગુણમય, વિશુદ્ધસહજ આત્મસ્વરૂપનું ભાન થતાં મહાનિધિ મળ્યાની જેમ પૂવે અનંત સંસારમાં જે આનંદ ન થયું હોય એ અપૂર્વ અવર્ણનીય આનંદ-ભાલ્લાસ-અધ્યાત્મપ્રસાદ થાય છે. આ પ્રકારે લેગસ્સ–સૂત્રની પાંચમી ગાથામાં પ્રાયશ્ચિતકરણની સમજૂતિ ગર્ભિત રીતે સૂચવવામાં આવી હોય તેમ વિચારી શકાય છે. વિલોહીના-વિરાટ્રીક–વિશુદ્ધિ એટલે આત્માની નિર્મળતા-આત્માના અધ્યવસાયની નિર્મળતા અને તે દ્વારા ચિત્તની શુદ્ધિ, ચિત્તવૃત્તિઓનું શધન કરવું ખાસ જરૂરી છે અને તે થાય ત્યારે જ શુદ્ધિને માર્ગ ખુલ્લો થાય છે. તે માર્ગ આ પ્રમાણે છે-- દિત્તિય-ચંદ્રિય-મહિયા--આ ત્રણ જુદી જુદી પ્રક્રિયા છે. પહેલી પ્રક્રિયાથી દશનભાવના અનુસાર દશન-વિશુદ્ધિ માટે નામસ્મરણ કર્યું, તેમ સમજવું બીજી પ્રક્રિયાથી જ્ઞાનભાવનાર અનુસાર જ્ઞાન-વિશુદ્ધિ માટે વિનયપૂર્વક વંદન કર્યું, તેમ સમજવું. ત્રીજી પ્રક્રિયાથી ચારિત્રભાવના અનુસાર ચારિત્ર-વિશુદ્ધિ માટે સભૂતગુણોનું ઉત્કીર્તન કર્યું, તેમ સમજવું. આ પ્રમાણે દર્શન, જ્ઞાન અને ચારિત્રની વિશુદ્ધિ માટેની પ્રક્રિયાઓ લેગસસૂત્રની છઠ્ઠી ગાથામાં ભાવી શકાય છે. કોઈ દોષનું સેવન થયું હોય તે તે સંબંધી પૂર્ણ પર્યાલચના કરવાથી તથા વિવિધ પ્રકારના આચારની શુદ્ધિને આશ્રય લેવાથી આમાની વિશુદ્ધ સ્થિતિ પુનઃ સ્થાપિત કરી શકાય છે. ૧ દર્શનભાવના-માનસિક શાંતિ અને સત્યનિષ્ઠા. ૨ જ્ઞાનભાવના–ધ્યાનમાં લડાયક શાસ્ત્રોના સ્વાધ્યાય. ૩ ચારિત્રભાવના-પાંચ મહાવ્રતનો અભ્યાસ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તેમના ધ્યાનશતક” ગ્રંથમાં આ ત્રણ ભાવના માટે નીચે પ્રમાણે જણાવે છે – Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy