SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ – ચિત્ર પરિચય – ૧. કયેત્સર્ગમુદ્રામાં શ્રી મહાવીર પ્રભુ (આવરણ-પૃષ): પ્રસ્તુત ગ્રંથના આવરણ-પૃષ્ઠમાં ગ્રંથ અને પ્રકાશક સંસ્થાના નામોલ્લેખ ઉપરાંત ગ્રંથના વિષયને અનુરૂપ “કાયેત્સર્ગ મુદ્રામાં શ્રી મહાવીર પ્રભુનું ચિત્ર રજૂ કરાયું છે. તાલધ્વજગિરિ ઉપર મુખ્ય દેરાસરની બાજુએ એક ઊભા કાઉસગ્ગિયાની ભૂતિ છે- તેના આધારે આ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ મૂર્તિના પગની નીચે જમણી બાજુએ યક્ષ તથા ડાબી બાજુએ અંબિકાદેવી છે. પ્રભુની મૂતિ નીચે લાંછન ન હતું પરંતુ બંને બાજુ સિંહની આકૃતિ હેવાથી ચિત્રકારે તે મૂતિ શ્રી મહાવીર પ્રભુની કલ્પી વચમાં સિંહની આકૃતિ લાંછન તરીકે મૂકી છે. આ ચિત્ર “ કાયોત્સગ ધ્યાનમાં લીન થવા માટે ઉપયોગી “જિનમુદ્રાનું દિગ્દર્શન કરાવે છે, તેથી તે સાધકોને “ કાત્સર્ગ ધ્યાન માર્ગે આગળ વધવામાં અવશ્ય સહાયક થશે. ૨. ચતુર્વિશતિ જિનનામ દેહસ્થ ચકસ્થાનમાં ન્યાસવડે અંતર્ગત કરવાની વિધિ (પૃ. ૨૪): આ ચિત્રમાં “લોગસ્સ–સૂત્રની ગાથા ૨-૩-૪ માં આવતાં ચતુર્વિશતિ જિનનામેનો મૂલાધારથી સહસ્ત્રાર સુધીના સાત ચક્રસ્થાનેમાં ક્રમશઃ સ્મરણપૂર્વક “અંતર્ગત-ન્યાસ” કરી સાડાત્રણ વય સાધવાની વિધિ દર્શાવેલ છે. તે પ્રમાણે “ન્યાસ કરવાથી વાચક અને વાને અભેદ સહજ સધાય છે. આ ચિત્ર લેખકે સ્વયં–ફુરણાથી પરિશ્રમપૂર્વક તૈયાર કરાવ્યું છે. UR ૩. કુંડલિનીનું ઊર્ધ્વરેહણ દર્શાવતું યંત્ર (પૃ. ૫૯) આ યંત્ર-ચિત્રમાં “સમના-શકિત” અને “કુંડલિની શક્તિને સાક્ષાત્કાર થાય ત્યારે મૂલાધારથી સહસ્ત્રાર સુધી કુંડલિનીનું ઊર્ધ્વરેહણ-ચક્રભેદન તથા બ્રહ્માકાર સ્થિતિ અર્થાત એકૃષ્ટ ભાવસમાધિની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે સાંકેતિક રીતે દર્શાવેલ છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy