________________
નોધ :
આ અણુવ્રતમાં અહિંસાનો વ્યાપ ઘણો વિસ્તૃત કલ્પાયો છે, જે જીવ-હિંસાથી આગળ વધીને તમામ પ્રકારની ભાવ હિંસાને પણ આવરી લે છે. “એ આદર્યું મેં જિનદેવ, ભાવથી” - આ વાક્યમાં પણ મુનીશ્રીએ “ભાવ” ઉપર જ જોર આપ્યું છે, હકીકતે જ્યારે જ્યારે સ્કૂલ હિંસા થાય છે ત્યારે ત્યારે તેનાં પહેલાં ભાવ - હિંસા શરૂ થઈ ગયેલ હોય છે. અને કર્મનું બંધન આ ભાવ - હિંસાના પ્રકાર અને ભાવની ઉગ્રતા ઉપર જ આધાર રાખે છે. આજ કારણસર મુનિશ્રી "વિવેક" અને "ઉપયોગ” ની જરૂરિયાત ઉપર વજન આપતાં કહે છે, “ગમે તેવા અનિષ્ટો આવે ત્યારે તમે અંગત રીતે સામનો કરો, પણ સામાજિક સડાનો, પ્રશ્ન આવે ત્યારે. વિવેક વાપરવો પડશે... નકામું ફુલ ચુંટશો તો વનસ્પતિનો ધાત થશે. પાણીનું ટીયું બગાડશો તો પાણીના જીવનો ઘાત થશે. બીજી બાજુ સુન્યાય કે રક્ષા માટે સાપરાધી એવા એવા પંચેન્દ્રિય મનુષ્યનો વધ કરવો પડે તો ક્ષમતા આપી. એક ફુલની પાંખડી પણ અકારણ દુભાય નહીં એ વાત આપી અને બીજી બાજુ હજારો જીવોની હિંસા થઈ તેવી લડાઈઓમાં જેન રાજાઓ ભળ્યા છે... એટલે સંયમમાં પ્રેમ રાખીને અનિવાર્ય કાર્યો માટે થતી હિંસાનું વિચારપૂર્વક નિવારણ કરવું જોઈએ. અકારણ તો કોઈની હિંસા ન જ થાય પણ અનિવાર્ય હિંસામય ઉપયોગ રહે એટલે કે કોઈ પાસેથી ગજા ઉપરવટ કામ ન લેવું, કોઈના અંગનું છેદન સજારૂપે ન કરવું, અન્નપાણીમાં અંતરાય ન કરવો, બાંધવા ગોધવાની સજા ન કરવી. આમ પ્રાણી માત્રમાં એકત્વ રહે એટલે વિશ્વબંધુત્વ ભાવ વધે એવી નિરતિચાર વિશ્વવાત્સલયની ભાવના ભરી છે. તેથી હું તેને લક્ષમાં રાખી બધી કિયા સંયમથી તથા વિવેકથી કરીશ.”
૧૯
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org