SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ નોધ : પ્રથમ પરિગ્રહોમાંથી પરિણમતી વિષમતાઓનો વિચાર કર્યો (ગાથા-પ) ત્યારબાદ સમક્તિના આવરણરૂપ શ્રધ્ધાના દોષોના નિવારણનો વિચાર કર્યો. (ગાથા ૮,૯, ૧૦) અને ત્યારબાદ ચારિત્ર્યના અતિચારોનો વિચાર કર્યો. (ગા. ૧૧, ૧૨, ૧૩) આટલી સફાઈ થયા બાદ હવે ગૃહસ્થજીવનમાં જે વ્યક્તિગત તથા સામાજિક જવાબદારીઓ ઉત્પન્ન થાય છે અને તેમાં જે ક્ષતિઓ આવે છે તેનો વિચાર થાય છે. આ વિચારોના મૂળમાં વિશ્વમયતાનો ખ્યાલ, જેની ચર્ચા આપણે ગાથા ૧૧, ૧૨, ૧૩, ની નોધમાં કરી ગયા, તે ઉપર જ લક્ષ્ય રાખવાની જરૂર છે. કારણ કે પ્રતિકમણની સમગ્ર ક્રિયાનો આધાર વિશ્વમયતા જ છે. ગૃહસ્થજીવન ફક્ત વ્યક્તિગત જીવન, ઐહિક સુખ, કૌટુંબિક વિસ્તાર અને અહમ પોષક પ્રવૃત્તિ માટે જ નથી. માનવી એક સાંસારિક પ્રાણી છે. આ સંસારની જ પેદાશ છે, સમાજે જ તેનું પાલન - પોષણ કરેલ છે. તે જે કાંઈ છે તે માટે તે સમાજનો ઋણી છે. તેથી ગૃહસ્થાશ્રમની ફરજો બજાવતાં તે જો સામાજિક ઋણ અદા કરવાનું ચુકી જાય તો તે દોષને પાત્ર ઠરે છે. તેમ ન થાય તેમ જોવાને માટે સંતોએ બાર અણુવ્રતોના પાલનનો આદેશ આપ્યો છે. તે આદેશોનો ભંગ સંસારની પ્રવૃત્તિઓ કરતાં ક્યાં ક્યાં થયો તેનું આંતર – નિરીક્ષણ કરી તેનું પ્રતિક્રમણ કરવા અહિં આદેશ છે. મુનિશ્રી સંતબાલજી આ વિષય અંગે કહે છે. “આપણે પોતાનાં દોષો દૂર કરી નાખીએ પછી બીજા માટે કાંઈ કરવાનું રહે છે ? ખરી રીતે, બીજા પ્રાણીઓ અને આપણે જુદા નથી. - વિશ્વના પ્રાણી માત્ર એક છે. એક વાતાવરણની અસર બીજા ઉપર પડે છે... એટલે કહ્યું છે કે ગૃહસ્થાશ્રમમાં રહીને પોતાની ફરજ બજાવતાં વિકાસ કરો... એટલા માટે બાર વ્રતો કહ્યા છે. ” આણંદાદિ શ્રાવકો પાસે કરોડો સોના મહોરો હતી. આટલે બધો પરિગ્રહ હોય અને આસક્તિ કેમ નહીં હોય ? આવો સવાલ થાય, પરંતુ પહેલેથી જ તાલીમ લેતા. પંદર દિવસ થાય એટલે ર૪ કલાક સુધી બધી ૧૭ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004594
Book TitleVandittu Pratikraman
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherNeki Pankaj Shah Florida USA
Publication Year2004
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy