________________
S
ગાથા
અહિ આ ગાથામાં જે શ્રધ્ધાની વાત આવે છે. તે “આત્મશ્રદ્ધા” ની વાત છે. આત્મા છે. તેનું સ્વરૂપ શું છે, તેનું જ્ઞાન નથી પરંતુ તે છે તેની ઝાંખીજ માત્ર છે. તેટલી શ્રદ્ધા પણ ન હોય તેનો રસ્તો સમક્તિનો નથી અને તેને માટે પ્રતિક્રમણની કોઈ અગત્ય પણ નથી. શ્રધ્ધા તણા ઘાતક પાંચ દોષ આ, દુબુધ્ધિના વહેમ વિતર્કથી ભર્યા.
શંકા, વિપર્યાસ વિકલ્પ જીવમાં, જડ પ્રશંસા જડવાદ પૂજના. (૯) અર્થાત : દુબુધ્ધિથી ઉત્પન્ન થયેલ વહેમ અને વિતર્કથી ભરેલ શ્રધ્ધાના ઘાતક પાંચ
દોષો છે. તે શંકા, વિપર્યાસ, વિકલ્પ, જડ પ્રશંસા અને જડવાદ છે. નોધ: મુનિશ્રી આ અંગે જણાવે છે. “શંકા ન કરવી તેવો અહિ નિષેધ નથી
પણ શંકાનો પાયો જિજ્ઞાસા હોવો જોઈએ. ગૌતમ વારેઘડીએ પોતાને જે શંકા થતી તે ભગવાનને પૂછી જોતા. જિજ્ઞાસા રહિત જયારે શંકા થાય છે. ત્યારે તેનો પાયો કાચો રહી જાય છે. એમાંથી ચર્ચા અને વિતંડાવાદ જન્મે છે.” સમ્યકત્વ દ્રષ્ટિ સુવિચાર નમ્રતા, વિવેક જિજ્ઞાસુમતિ, ગુણજ્ઞતા,
રોકી વધારે જીવ કેરી મૂઢતા, આત્માતણી નાસ્તિક આ અશ્રધ્ધા. (૧૦) અર્થાત : આત્માના અસ્તિત્વમાંજ અશ્રધ્ધા હોય તેવી નાસ્તિકતા જીવની અજ્ઞાનતા
છે અને તે સમ્યક્તની દ્રષ્ટિ, સુવિચાર, નમ્રતા, વિવેક, જિજ્ઞાસુમતિ અને
ગુણજ્ઞતાના ગુણોને રોકી રાખે છે. નોધ : મુનિશ્રી આ અંગે જણાવે છે. “અગ્નિને અડીએ તો દઝવશે તેથી
આપણે અગ્નીને અડતા નથી. આજ રીતે મોહ, રાગ-દ્વેષ, માન માયાનાં અનિષ્ટોની આપણને ખબર નથી એટલે એનાથી ડરતા નથી અને અગ્નિની દાહકતાથી અજાણ બાળકની જેમ આપણે એમાં અબુધની જેમ વર્તીએ છીએ. “જીવને કોઈ રોકી રાખતું હોય તો મૂઢતા રોકે છે. ... એટલે મૂઢતા દૂર કરવી જોઈએ..... “નિમિત્તમાં દષ્ટિ હોય એવો મનુષ્ય દુર્ગુણો અને દોષનો ટોપલો સાથેજ રાખે છે. એને કોઈ સારું દેખાતું નથી પણ એની મૂઢતા ગયા પછી ખરાબમાં ખરાબ તત્વમાંથી પણ સારંજ ગ્રહણ
ગાથા
૧૪
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org