________________
ગાથા
વંદિતુ પ્રતિક્રમણ
(રાગ શાર્દુલ) જ્ઞાને આપ ત્રિલોક - વ્યાપક છતાં સ્વાધીન સંસારથી, ને તેથી પ્રભુ આપના અવનીથી મંદિર ઊંચે રહ્યાં; આવું છું જિનદેવ ! તોય શરણે ઊર્મિ વિમાને ઊડી,
વંદુ છું વિતરાગ ! આપ ચરણે અર્થો ધરી અંગના; (૧) અર્થાત : જેને રાગદ્વેષ નથી તેવા નિઃસ્વાર્થ જિનેશ્વરનું શરણ સ્વીકારીને આ ગાથામાં
કહે છે કે પ્રભુ આપ આપના જ્ઞાનના બળે કરીને ત્રિલોક વ્યાપી છો અને છતાં સંસારથી વિરક્ત છો. અને સંસારી જીવોથી ઘણા ઊંચા આસને બીરાજો છો. તેમ છતાં મારા ભવોર્મિ રૂપી વિમાનની મદદથી આપને
સ્મરું છું અને આપના ચરણમાં મારું સમર્પણ કરું છું. નોધ : સંસારની રોજીંદી ઘટમાળથી નિવૃત્ત થઈ આત્મસ્થિત થવા માટે પ્રથમ
તો જે આત્મા રાગ-દ્વેષ જેવા વિકારો થી મુક્ત છે તેને શરણે જઈએ તોજ થોડા સમય માટે પણ તેમના જેવા થવાય. સર્વે સાધુજનો વહે નદ બની ઓ સિંધુ ! આપ પ્રતિ, હું બિંદુ બની એમના વહનમાં ભેળાંનું ભાવે નમી, રાખીને નિજ દ્રષ્ટિને નિજ, પ્રતિ ટાળી વિભાવો બધા,
સંભારું મમ સાધના ત્રુટી ફળે હવે સુક્ષ્મ કે સ્કૂલ વા. (૨) અર્થાત : હે વિતરાગ ! આપ જ્ઞાન - સિંધુ છો અને આપના ચિંધેલા પથ પર
ચાલતા સાધુ જનો નદી સ્વરૂપે આપને પામવા પ્રગતિ કરી રહેલ છે. આ પ્રવાહમાં મારું સ્થાન તો એક બિંદુ જેવડુંજ છે તેથી તેમાં ભળી આપને ભેટવાના મારા ભાવો છે. આથી સંસારના તમામ વિભાવોને બાજુએ રાખીને હું આત્મ-દષ્ટિ કેળવું છું અને મારી સૂક્ષ્મ તથા સ્થૂલ તમામ ત્રુટીઓને આત્મનિરિક્ષણ કરી યાદ કરવા ઇચ્છું છું.
ગાથા
૧૦
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org